ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો હતો. 2016માં 104 અને 2017માં 80 સિંહોનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું હતું. આંકડા સિંહોની સલામતીને લઈને ચિંતા ઉપજાવે તેવા હતા તેમ છતાં ભાજપ સરકારે કોઈ પગલાં લીધા ન હતા. એશિયામાં એક માત્ર પશ્ચિમ ભારતનું સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે ગીર જંગલમાં હવે સિંહનું રહેઠાણ બચ્યું છે. ગુજરાતે સિંહને સાચવીને બચાવ્યા છે. સિંહોની સંખ્યા સતત વધતી જાય છે, જંગલ એરિયા ઘટી રહ્યો છે એટલે સિંહ જંલમાંથી બહાર રેવન્યુ વિસ્તારમાં નીકળી રહ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં 184 સિંહનાં મોત થયાં તેમાં 32 મોત અકુદરતી થયાં હતા. આ વર્ષે રોગચાળાથી વધારે મોત થયા છે. તેથી 100થી વધું સિંહના મોત 2018માં થઈ શકે છે.
રેવન્યુ વિસ્તારમાં એક વાર નીકળી ગયેલો સિંહ ફરી જંગલમાં જતો નથી તે સતત સંઘર્ષ કરતો રહે છે અને મોતને ભેટે છે. મજબૂત સિંહો નબળા સિંહને બહાર ધકેલતા રહે છે. સિંહ ખોરાકની શોધમાં રેવન્યુ એરિયામાં છેક સોસાયટીઓ સુધી આવી જાય છે. ગીરના જંગલમાં સિંહની ક્ષમતા 250 જેટલી છે. તેની સામે અઢી ગણાં સિંહો થઈ ગયા છે.
1965માં ગીર અભયારણ્યનો 1153 કિ.મી.નો વિસ્તાર, 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કી.મી. જાહેર થયો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ 1412 ચો.કી.મી. વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો 22,000 ચો.કિ.મી.નો છે. સિંહની વસતી વધતાં જંગલ બહાર લોકોની વચ્ચે આવવા લાગ્યા હતા. 2004માં મિતીયાળા અને 2008માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. હાલ સિંહની વસ્તી 600 છે.
1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા. સિંહની વસતી જૂનાગઢ 268, ગીર સોમનાથ 44, અમરેલી 174 અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ છે.
કયા વર્ષોમાં કેટલા સિંહનાં મોત થયાં?
વર્ષ મોત
2009-10 45
2010-11 44
2011-12 37
2012-13 48
2014-15 54
2016-00 104
2017-00 80
કૂલ 412