ખેડૂતોને અમેરિકા 45 લાખ અને ભારત 26 હજાર સબસિડી આપે છે, યુરિયાની રાહત

अमेरिका किसानों को 45 लाख और भारत 26 हजार की सब्सिडी देता है, यूरिया की राहत, America gives subsidy of 45 lakhs and India 26 thousand to farmers, relief of urea

અમદાવાદ, 13 જુલાઈ 2023

28-06-2023ના રોજ સેન્ટર ફોર ડબલ્યુટીઓ સ્ટડીઝના વર્ષ 2018-19ના અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 20 હજાર રૂપિયા પ્રતિ ખેડૂત (તમામ સ્ત્રોતોમાંથી મળીને) સબસિડી મળતી હતી. જ્યારે અમેરિકામાં 45.22 લાખની સબસિડી (2016ના અહેવાલ મુજબ) ) સરકાર દ્વારા આપવામાં આવતી હતી. 2023-24માં 26,437 રૂપિયા ભારતના ખેડૂત કુટુંબને ખાતર સબસીડી આપવામાં આવે છે.

જો ખાતરમાં સબસિડી આપવામાં ન આવે તો હાલ ખેડૂતોની કુંટુંબની આવક રૂ8 હજાર છે તે ખતાર ખરીદી શકે તેમ નથી.

માર્ચ 2019માં ભારતીય આંકડાકીય સંસ્થાના અહેવાલ અનુસાર, કેન્દ્ર અને રાજ્યો મળીને ખેડૂતોને લગભગ 3,36,000 કરોડ રૂપિયાની સબસિડી આપે છે. કેન્દ્ર 1,20,500 કરોડ રૂપિયા અને રાજ્યો 1,15,500 કરોડ રૂપિયાની સબસિડી આપે છે.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) દ્વારા આજે કુલ રૂ. 3,70,128.7 કરોડના ખેડૂતો માટેની યોજનાઓના પેકેજને મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી.

CCEAએ યુરિયાના કર અને નીમ કોટિંગના ચાર્જને બાદ કરતા ખેડૂતોને રૂ. 242/ 45 કિલોની થેલીની કિંમતે મળે તે માટે યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

ત્રણ વર્ષ (2022-23 થી 2024-25) સુધી યુરિયા સબસિડી માટે રૂ. 3,68,676.7 કરોડ અપાશે. આ રકમ 2023-24 માટે ખરીફ મોસમ માટે તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા રૂ. 38,000 કરોડની પોષકતત્વો આધારિત સબસિડી સિવાયની છે.

યુરિયાની MRP 45 કિલોની થેલી દીઠ રૂ. 242 છે (નીમ કોટિંગ અને લાગુ પડતા કર સિવાય), જ્યારે થેલીની વાસ્તવિક કિંમત રૂ. 2200ની આસપાસ આવે છે.

ખાતર પરની સબસિડી 2014-15માં રૂ. 73,067 કરોડ હતી તે વધારીને 2022-23માં રૂ. 2,54,799 કરોડ કરી હતી.

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

ઉત્પાદન

રાજસ્થાનના કોટામાં આવેલા ચંબલ ફર્ટી લિમિટેડ, પશ્ચિમ બંગાળના પનગઢ, તેલંગાણાના રામગુંદમ, ઉત્તરપ્રદેશના ગોરખપુર, ઝારખંડના સિંદરી અને બિહારના બરુહાની ખાતે આવેલ મેટિક્સ લિમિટેડ 2018થી યુરિયાના ઉત્પાદન કરે છે.

યુરિયાનું સ્વદેશી ધોરણે ઉત્પાદન 2014-15માં 225 LMT, 2021-22માં 250 LMT, 2022-23માં 284 LMT હતી. 2025-26 સુધીમાં ભારતમાં જ બધું યુરિયા પેદા થતું હશે.

નેનો યુરિયા

2025-26 સુધીમાં, પરંપરાગત યુરિયાના 195 LMT જથ્થાની સમકક્ષ 44 કરોડ બોટલનું ઉત્પાદન થઇ શકે તેવી ક્ષમતા ધરાવતા આઠ નેનો યુરિયા પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે. નેનો ખાતરમાંથી નિયંત્રિત રીતે પોષક તત્વો મુક્ત થાય છે જે પોષક તત્વોના ઉપયોગની ઉચ્ચ કાર્યક્ષમતામાં યોગદાન આપે છે અને ખેડૂતોને ખર્ચ ઓછો થાય છે. નેનો યુરિયાનો ઉપયોગ કરવાથી પાકની ઉપજમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો

વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો

ગુજરાતમાં વિશ્વનો પહેલો નેનો યુરિયા પ્લાન્ટ આવેલો હોવા છતાં ખાતરની આ નવી પ્રોડક્ટોનો ઉપયોગ કરવામાં રાજ્યના ખેડૂતો ખચકાટ અનુભવી રહ્યા છે. નેનો યુરિયાના વેચાણના મામલે ગુજરાત ટોચના 10 રાજ્યોમાં પણ નથી. 500 મિલી બોટલની કિંમત રૂ. 240 છે, જ્યારે યુરિયાની એક બેગની કિંમત રૂ. 266 છે. દર મહિને અંદાજે નેનો યુરિયાની 1.5 લાખ બોટલનું વેચાણ થાય છે. 4-5 લાખ બોટલો આ વર્ષે વેચવાની હતી.

નેનો યુરિયાના વેચાણના મામલે 21 રાજ્યોની યાદીમાં ગુજરાત 11માં ક્રમે છે. ગુજરાતમાં ઓગસ્ટ 2021થી નેનો યુરિયાનું ઉત્પાદન શરૂ થયું ત્યારથી 12 ડિસેમ્બર 2022 દરમિયાન રાજ્યમાં કુલ 17.94 લાખ બોટલ નેનો યુરિયાનું વેચાણ થયું હતું. ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન નેનો યુરિયાની 79.19 લાખ બોટલ વેચાઇ હતી. રાજસ્થાનમાં 31.44 લાખ બોટલ, બિહાર 30.67 લાખ બોટલ, ત્રીજા ક્રમે પંજાબ 30.4 લાખ બોટલના વેચાણ થયું હતું.

ઓગસ્ટ 2021 અને ડિસેમ્બર 2022 વચ્ચે ગુજરાતમાં નેનો યુરિયાનું વેચાણ દેશમાં નવી પ્રોડક્ટ્સના કુલ વેચાણના માત્ર ચાર ટકા જેટલુ થયુ હતું.

સૌથી ઓછું વેચાણ કેરળમાં 2 લાખ બોટલ, હિમાચલ પ્રદેશમાં 2.09 લાખ બોટલ અને ઉત્તરાખંડમાં 2.85 લાખ બોટલ વેચાઇ હતી.

ઓગસ્ટ 2021 બાદથી નેનો યુરિયાની 3.66 લાખ બોટલની નિકાસ કરવામાં આવી હતી. જેમાંથી 3.06 લાખ બોટલ શ્રીલંકામાં અને 60,000 બોટલ નેપાળમાં મોકલવામાં આવી હતી.

ઇફ્કોએ 1 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના કલોલ ખાતે નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝરના પ્રથમ પ્રોડક્શન પ્લાન્ટની શરૂઆત કરી હતી. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દૈનિક 1.5 લાખ બોટલ (500 મિલી) છે.

રવી સિઝન 2022-23 માટે ગુજરાતમાં નેનો યુરિયાની 6 લાખ બોટલની જરૂરિયાત હોવાનું દર્શાવ્યું છે. 2023-24માં 10 લાખ બોટલ કરવાની હતી.

યુરિયા ખાતરની રૂ.270ની એક થેલી સાથે નેનો યુરિયાની બોટલના રૂ.240 ફરજિયાત લેવાનો આગ્રહ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે, ખેડૂતોને યુરિયા ખાતરના રૂ.270 સહિત નેનો યુરિયાના રૂ.240 સાથે કુલ રૂ.510 ચૂકવવા પડે છે જે ખેડૂત માટે મુશ્કેલ ભર્યા છે.

નેનો યુરિયા પર કોઈપણ પ્રકારની સબસિડી નથી.

ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર થશે

ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર થશે

મોદીનું નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા કે ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ યુરિયા કૌભાંડો અટકાવી સક્યા નહીં

મોદીનું નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા કે ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ યુરિયા કૌભાંડો અટકાવી સક્યા નહીં 

સલ્ફર કોટેડ યુરિયા

દેશમાં પ્રથમ વખત સલ્ફર કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ)નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ઉપયોગમાં લેવાતા નીમ કોટેડ યુરિયાની સરખામણીએ તે આર્થિક રીતે વધુ સસ્તું અને કાર્યક્ષમ છે. તેનાથી દેશમાં જમીનમાં સલ્ફરની ઉણપ દૂર થશે.

કુદરતી ખેતી

કુદરતી કે જૈવિક ખેતી, વૈકલ્પિક ખાતર, નેનો ફર્ટિલાઇઝર્સ અને બાયો-ફર્ટિલાઇઝર્સથી ફળદ્રુપતા ફરીથી સ્થાપિત કરવામાં મદદ મળી શકે છે.

ગોબરધન પ્લાન્ટ્સમાંથી મળતા જૈવિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે બજાર વિકાસ સહાય (MDA) પેટે રૂ. 1451.84 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.

બાયો-ગેસ પ્લાન્ટ કે કોમ્પ્રેસ્ટ બાયોગેસ (CBG) પ્લાન્ટમાંથી ઉપનીપજ તરીકે ઉત્પન્ન થયેલા જૈવિક ખાતરો એટલે કે, ફર્મેન્ટેડ જૈવિક ખાતરો (FOM)/પ્રવાહી FOM/ ફોસ્ફેટથી સમૃદ્ધ જૈવિક ખાતરો (PROM)ના માર્કેટિંગમાં સહાય કરવા માટે રૂ. 1500 પ્રતિ MT સહાય (MDA) યોજના છે.

આવા જૈવિક ખાતરોને ભારત બ્રાન્ડ FOM, LFOM અને PROM નામથી બ્રાન્ડેડ કરવામાં આવશે. ખેડૂતો માટે આવકનો વધારાનો સ્રોત પણ પૂરો પાડી શકાશે.

500 નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે.

અંગે અંદાત્રપત્રમાં કરવામાં આવેલી જાહેરાતનો અમલ કરવાનું પણ સરળ થઇ જશે.

શૈક્ષણિક સત્ર જુલાઇ-ઓગસ્ટ 2023થી અમલમાં આવનારા BSc તેમજ MSc પ્રોગ્રામ માટે પ્રાકૃતિક ખેતી માટેનો અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

એક લાખ પ્રધાન કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSKs) પહેલેથી જ બની ચૂક્યા છે.

કેટલાં ખેડૂતો

દેશમાં નાબાર્ડના અંદાજ પ્રમાણે10.07 કરોડ ખેડૂત પરિવારો છે. જે દેશના કુલ પરિવારોના 48 ટકા છે. 2016-17ના કૃષિ મંત્રાલયના ઈનપુટ સરવે પ્રમાણે 14.62 કરોડ ખેડત પરિવારો હતા. જ્યારે કિસાન સન્માન નિધિ યોજનામાં 11.15 કરોડ ખેડૂતોને સહાય આપી હતી. 2020-21માં તે ઘટીને 10.20 કરોડ ખેડૂતોએ સહાય લીધી હતી.