Admin
રૂપાણીની પરીક્ષિતા પર પલટવાર, સીએમ ઓફિસથી આ વિડિયો કોણે લીક કર્યો ?
પોતાની સરકારના નિર્ણયથી 24 કલાકમાં જ પલટી મારતા મુખ્યમંત્રી રૂપાણી, કચ્છમાં લોકડાઉનની સ્થિતિ જોઈને નિર્ણય બદલ્યો
જયેશ શાહ . ગાંધીધામ
પોતાના જ લીધેલા નિર્ણયમાં યુ ટર્ન લેવામાં માહેર ગુજરાતની સરકારનો વધુ એક પલટી મારતો નિર્ણય સામે આવ્યો છે. જેમાં કચ્છનાં ગાંધીધામ ટ્રાફિક જોઈને સીએમ રૂપાણીએ તેમના જ વાહન વ્યવહાર કમિશ્નરનો આદેશ ફેરવી નાખ્યો હતો. લો...
દવાની કિંમતમાં 12 મહિનામાં 10 ટકા વધારો ન કરી શકે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 11 ફેબ્રુઆરી, 2020નાં રોજ જાહેર કરેલી અધિસૂચના મુજબ, તબીબી સાધનસામગ્રીઓનું નિયમન 1 એપ્રિલ, 2020થી દવાઓ (કિંમત નિયંત્રણ) આદેશ, 2013 હેઠળની દવાઓ તરીકે થશે
સરકાર 24 પ્રકારના તબીબી ઉપકરણોનું નિયમન કરી રહી છે, જેને દવા અને કોસ્મેટિક્સ ધારા, 1940 અને દવા અને કોસ્મેટિક્સ નિયમો, 1945 હેઠળ દવાઓ તરીકે અધિસૂચિત કરવામા...
પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ
ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, ...
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની સફળતા વૈશ્...
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાની અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે દેશની 130 કરોડની વસતિ માટે જાહેર કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનનું પ્રથમ સપ્તાહ પ્રતિભાવ, સહયોગ અને નિર્ણયશક્તિની દ્રષ્ટિએ ખૂબ જ સફળ ગણાવ્યું છે.
લૉકડાઉનના પ્રથમ સપ્તાહની સમીક્ષા કરતાં નાયડુએ નોંધ લીધી હતી કે કરિયાણાંના સ્ટોર્સ...
2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો
એપ્રિલ ૨૦૨૦
૦૧ બુધવાર માસિક દુર્ગાષ્ટમી
૦૨ ગુરુવાર રામનવમી
૦૪ શનિવાર કામદા એકાદશી
૦૮ બુધવાર હનુમાન જયંતી
૧૦ શુક્રવાર સંકષ્ટ ચતુર્થી
૧૪ મંગળવાર કાલાષ્ટમી
૧૮ શનિવાર વરુથિની એકાદશી
૨૪ શુક્રવાર ચન્દ્ર દર્શન
૨૫ શનિવાર પરશુરામ જયંતી
૨૬ રવિવાર અખા ત્રીજ
૨૭ સોમવાર વિનાયકી ચોથ
૩૦ ગુરુવાર ગંગા સપ્તમી
મે ૨૦૨૦
૦૧ શુક્રવાર માસિક દુર્ગાષ્ટમી
...
IAS અને BJP MLA પ્રજાની વચ્ચે જતાં કેમ ડરે છે ? સ્ટાફ કોરોનામાં ફરજ પર...
નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં ભાજપનાં MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે. રૂપાણી પોતે બંગલાથી ઘરની વચ્ચે છે. તેમ તેમના પક્ષ ભાજપના ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી જતાં. આઈએએસ અધિકારીઓ જતાં નથી. ક...
અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમાં સ્ટ...
દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્...
સ્પેન પોલીસથી પ્રેરણા કચ્છની પોલીસે લીધી, પણ કેવી ?
લોકડાઉનનાં બોરિંગ વાતાવરણમાં લોકોને ઘરમાં કેવી રીતે બેસાડી રાખવા અને તેમને મેન્ટલી કેવી રીતે ફિટ રાખવા તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે લોકાભિમુખ પોલીસનો નવો જ ચહેરો ભુજનાં લોકો સમક્ષ આવી રહ્યો છે ત્યારે સોમવારે અચાનક ભુજની ગલીઓમાં પોલીસ બેન્ડની ફોજ સુરાવલી રેલાવતી નીકળી ત્યારે ઘરમાં બંધ લોકો પણ નવાઈ સાથે બારીઓ ખો...
ગ્રાહકોની વેપારીઓ અને અધિકારીઓ લૂંટ કરી રહ્યાં છે, ફોન કરો
ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત
રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય તેમજ ગ્રાહકને સુચારુરૂપે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત છે.
ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્ર...
મજૂરોને બાંધકામના સ્થળે રહેવાની સુવિધા કરો, મકાન ખાલી કરાવ્યું ખેર નથી...
તાજેતરમાં ફેલાયેલા જકોરોના વાયરસની મહામારીના સંદર્ભે જિલ્લામાંથી મજુરોની હિજરત અટકાવવા માટે ભાડુઆતોને પડતી હાલાકી નિવારવા માટે અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ જાહેરનમાં દ્વારા સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન માલિક તેઓના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં કે મકાન ખાલી કરાવી શકશે નહીં. તે પ્રકારનો હુકમ કર્યો છ...
ગુજરાતમાં કોરોના ફોબિયાની માનસિક બિમારી વધી, શું ઉપાય ?
માનસિક બિમારી કોરોના ફોબિયા વધી રહ્યો છે આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં...
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું, નવા 3 કોરોના, કો...
રાજ્યમાં આજે ૦૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૭૩ કેસ પોઝિટિવ: પાંચ દર્દીઓ ને ડિસ્ચાર્જ અપાયું છે. 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે. જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ: ૧૩૨૨ નેગેટીવ, ૭૩ પોઝીટીવ અને ૧ પ...
9 હજાર દુઃખી લોકોએ સરકારને ફોન કરીને શું મદદ માંગી ?
રાજ્યમાં નાગરિકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા સ્ટેટ કંટ્રોલરૂમની હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં કુલ ૯૦૦૪ જેટલા કોલ્સ વિવિધ સહાયતા માટેના મળ્યા છે તેમાં ૧૦૭૦ને ૧પ૬૧ તેમજ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૭૪૪૩ કોલ્સ મળેલા છે.
આ એક વિક્રમ છે.
રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતીમાં દૂધ, શાકભાજી સહિતના આવ...
ગુજરાતથી ભાગતા લોકો માટે રૂ.40 કરોડના શેડ, પણ શાળામાં ન રખાયા
ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે.
લોકોના નાણાંમાંથી આટલા મોટા શેડ બ...
3.25 કરોડ લોકોને 17 હજાર દુકાનોએથી અનાજ વેંચાયું, મળ્યું ?
રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરી છે.
આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિના...
ગુજરાતી
English