આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય 

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
અનિદ્રા – ઊંઘ ન આવવી 
  • સૂતાં પહેલા ઠંડા પાણી વડે મોં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
  • ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
  • વરિયાળીનું ઠંડું શરબત. પ્રમાદી આહાર સાંજે ખાવાથી ઊંઘ આવે છે.
  • પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
  • ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.
  • વરિયાળી અને દૂધનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે. જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી ઊંઘ આવે છે.
  • સૂતાં – સૂતાં વાચન કરવું, ફેરવવી, વિચારશૂન્ય થવું – પૂર્ણ અને સાચું શવાસન – યોગનિદ્રા કરવાથી દવા વગર ઊંઘ આવે.
  • શવાસન કરવું તરત જ ગાઢ નિંદ્રા આવી જશે. આ ઇલાજ ઉત્તમ અને સરળ છે.
  • ઊંઘવાની ગોળી ન જ લેવી, આળસ – પ્રમાદ કે વધુ પડતી ઊંઘ પણ રોગ છે તેનાથી બચવું.

વધુ વાંચો:

એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું છે 

આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો,  તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જૂઓ  

અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે 

ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો