Monday, March 23, 2026

ઉપલેટામાં કોંગ્રેસ ધારાસભ્ય વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમા...

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડુતોને પાક વીમામાં વીમા કંપની દ્વારા અન્યાય કરાતો હોઈ ન્યાય આપવા માટે પગલાં લેવાં બાબતે ઉપલેટા ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના કાર્યકર્તાઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે તેઓએ અર્ધનગ્ન હાલતમાં વિવિધ માર્ગો પર રેલી પણ કાઢી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ રાજ્ય સરકારની હા...

નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ 

ધોરાજીનાં છાડવાવદર ગામેથી ઝડપાયેલી નકલી ચલણી નોટની તપાસમાં નવો વળાંક આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં નકલી ચલણી નોટોનું રેકેટ અમદાવાદથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ રૂરલ SOG દ્વારા અમદાવાદ ખાતે દરોડા પાડીને ડુપ્લિકેટ નોટ બનાવવાના માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી અને અમરીશ પટેલને રૂપિયા 3 લાખની નકલી ચલણી નોટો સાથે દબોચી લીધા છે....

ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય લખેલી ગાડીમાં બે વ્યક્તિ નશામાં ચકચૂર જોવા મળ્...

ગાંધીનાં ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને દારૂબંધીનો ભંગ કરનારને કડકમાં કડક સજા કરવાનો કાયદો પસાર કર્યો હોવા છતાં, રાજ્યમાં ખૂલ્લેઆમ દારૂની હાટડીઓ મંડાય છે અથવા તો દારૂની  મહેફિલ મંડાય છે. પણ પોલીસ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પોલીસ દ્વારા બૂટલેગરો સાથેની સાંઠગાંઠને ...

રાજકોટનાં ધારાસભ્ય રૈયાણીએ માતાજીનાં દર્શન બૂટ પહેરીને કરતાં વિવાદ

આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. દરેક રાજકીય પક્ષનાં નેતાઓ પોતાનાં મત વિસ્તારોમાં ગરબાનાં કાર્યક્રમોમાં હાજરી આપીને આરતી ઉતારે છે. ત્યારે તેઓ સત્તાનાં મદમાં એટલાં મસ્ત હોય છે કે માતાજીની આરાધના કરવાની હોય ત્યારે પગમાં ચપ્પલ ન પહેરાય એ પણ ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો. તેમણે બૂટ પહેરી...

રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ, મહિલાઓ બની રણચંડી

રાજ્યનાં ખેડૂતો દેવાંમાફીની માંગણી સાથે છેલ્લાં કેટલાંક સમયથી માંગણી કરી રહ્યાં છે. અને આ માટે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યાં છે. પરંતુ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર આ મામલે કોઈ નિર્ણય કરતી નથી, ત્યારે આજે રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોએ આક્રોશ રેલીનું આયોજન કરીને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રય...

રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યૂઝિયમનું રવિવારે લોકાર્પણ કરશે વડાપ્રધાન મો...

લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. એક બાજુ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના માટે મેરેથોન બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને પોતાની સરકારની ગાથા કહે છે અને સાથે સાથે નવા પ્રોજેક્ટ્સની ભેટ પણ જે તે રાજ્યોને આપે છે. તેનાં ભાગરૂપે આવતીકાલ રવિવારે ...

સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી

રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે  પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...

કુંવરજીએ ગુલાંટ મારી હું સત્તા છોડીશ, પછી જસદણ શહેર ભાજપમાં વિવાદના મધ...

કોંગ્રેસ છોડીને માત્ર ચાર જ કલાકમાં પ્રધાન બનેલા કુવંરજી બાવળીયાનો વિવાદ પીછો છોડતો નથી. તે જ્યાં જાય છે ત્યાં હંમેશને માટે વિવાદ ઊભા થતા હોય છે. થોડા અઠવાડિયા પહેલા તેઓ વરસાદ ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે મહિલાઓએ તેમને ભગાડયા હતા. મહિલાઓએ તેમને મોઢા પર કહી દીધું હતું કે જ્યારે તમારે કામ હોય ત્યારે મત માંગવા આવો છો. હવે અમારી મુશ્કેલીઓ સાંભળ...

મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું...

મુખ્યમંત્રી રૂપાણીનાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુષ્કર...

મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમ ટાઉન રાજકોટમાં એક તબીબે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગયો છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલાં એક ડોક્ટર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ મૂકતી ફરી...

કોંગ્રેસનું રાજકોટ શિસ્તભંગ માટે જાણીતું બની રહ્યું છે, રામાણી સામે પગ...

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના પ્રમુખને મળીને વિવાદ સર્જવનારા નીતિન રામાણી સામે પગલાં ભરવાની તૈયારી શરૂં થઈ છે. નીતિન રામાણીએ ભાજપના બેનર મૂકાવ્યા છે તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યાર સુધી તેમણે જે કંઇપણ કર્યુ છે એ તમામ હકિકત સાથેનો રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. વિધાનસભા સત્ર પુર્ણ થય...

કોંગ્રેસના વહાલા દવલા, હરાવનારને માફી આપી

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાં પક્ષાપક્ષી શરૂ થઈ છે. કોંગ્રેસના 22 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરીને મતદાન કરતાં તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવાના થતાં હતા પરંતુ કોંગ્રેસ દ્વારા 22 બળવાખોર સામે પગલાં ભરવાના બદલે 12 સામે જ કાનૂની પગલાં ભરવા અને 10 સભ્યોને બચાવી દેવા માટે કોંગ્રેસમાં પક્ષાપક્ષીનું રાજકારણ શરૂ થયું છે. રાજકોટ જિલ...

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઉથલાવી દેવા ભાજપનું કાવતરું નિષ્ફળ

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ગોઠવાયેલ સોગઠા ઉંધા પડતાં ભાજપે જિલ્લા પંચાયતને ડિસકવોલીફાઇડ કરવાની તૈયારી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં અંદરોઅંદર અસંતોષ ફાટી નીકળ્યો હતો. જેનો ભાજપના નેતાઓએ લાભ લઇ નારાજ સભ્યોને પૈસાના જોરે બાંધકામ અને કારોબારી સમિતિમાં કબ્જો જમાવી લીધો હતો. ...

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાઈની 12 કરોડની વેરા ચોરી

કોંગ્રેસથી અલગ થયેલાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલએ બાર વર્ષ પહેલા રૂા.12.42  કરોડનો ટેકસ ભરેલો ન હોવાથી નાણાં વિભાગના અધિકારીઓની સૂચનાથી GST દ્વારા મિલ્કતનો કબજો સરકાર હસ્તક લેવા માટે નોટિસ આપવામાં આવી છે. દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચરભાઇ દેથરીયા, તેમના પત્ની પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ 2006-07માં ર...

રાજકોટના નવા હવાઈ મથક પાસે કરોડોનું જમીન કૌભાંડ

રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાનો રૂપિયો 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે. બામણબોર જીઆઈડ...