એક સમયની ચાંપાનેરની રાજધાની ગોધરામાં ઐતિહાસિક અવશેષ મળી આવ્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જૂની મામલતદાર કચેરીને તોડી પાડી નવી બનાવવાના ચાલી રહેલા ખોદકામ દરમિયાન તેના પાયાના ખોદકામ સમયે પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. ચાંપાનેર રાજ્યના સમયની ઐતિહાસિક કલાકૃતિ હોવાનું માનવામાં આવે છે. ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે.

બિલ્ડીંગના પાયા ખોદતા અવશેષો નીકળ્યા હતા. એક સમયે ચાંપાનેર રાજ્યની રાજધાની ગોધરા ખરેખર ‘ગૌ ધરા’ના નામથી ઓળખાતું હતું. નૃત્યકાર કોતરણી ધરાવતી કેટલીક મૂર્તિઓ મળી આવી છે.  કેટલાક સ્તમ્ભંના અવશેષો પણ મળી આવ્યા છે. હજુ પણ વધુ અવશેષો મળી આવે તેવી પુરી શક્યતા દેખાઈ રહી છે. પુરાતત્વ વિભાગની વડોદરાની એક ટીમે મૂલાકાત લીધી હતી. એક ભોંયરૂ પણ આવેલું છે. જે પાવાગઢ સુધી લંબાતુ હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ આવા અવશેષ ખોદકામ દરમિયાન 1986માં મળી આવ્યા હતા. જે પુરાતત્ત્વ વિભાગ સાચવવા માટે યોગ્ય જગ્યાએ લઈ ન જતાં તેને એક જેલર દ્વરા અહીં સિમેન્ટથી ઝડી દેવામાં આવ્યા હતા. જે આજે પણ ત્યાં જ છે.