ચીનના પાડોશીઓ ભારતની પડખે આવ્યા

લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર & Lihkg.com પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

અત્રે જણાવવાનું કે આ લોકો ચીનના અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે. તાઈવાનને ચીન પોતાનો હિસ્સો માને છે પરંતુ તાઈવાન પોતાને ચીનનો હિસ્સો ગણતું નથી. તાઈવાનને ચીનમાં ભેળવી દેવા માટે ચીન વારંવાર સૈન્ય કાર્યવાહીની ધમકી આપતું રહે છે. તાઈવાનને ડરાવવા માટે ફાઈટર વિમાનો મોકલે છે.

આ બાજુ ચીને હોંગકોંગ પર નવો સુરક્ષા કાયદો જબરદસ્તીથી થોપવાની કોશિશ કરી છે. તાઈવાન ન્યૂઝે ત્યાંના સોશિયલ મીડિયા Lihkg.com પર શેર કરેલી એક તસવીરને ફોટો ઓફ ધ ડે ગણાવીને ટ્વીટ કરી. જેમાં ભગવાન શ્રીરામ ડ્રેગનને બાણથી મારી રહ્યાં છે.

ટ્વિટર પર HoSaiLei નામના હોંગકોંગના એક નાગરિકે લખ્યું છે કે હું હોંગકોંગના એક નાગરિક તરીકે ભારતના લોકોનું સમર્થન કરું છું અને મને વિશ્વાસ છે કે મારા સાથી પણ તમારી તરફ હશે. કૃપા કરીને મારા ખરાબ ફોટોશોપ કૌશલને માફ કરજો.

આ બાજુ mikhailhkmy નામના અન્ય એક યૂઝરે હોંગકોંગમાં ભારતીય સેનાની એક તસવીર શેર કરતા લખ્યું કે ઉક સેલ્યૂટ યુ’. Gordon G. Chang એ ભારતીય રણનીતિક વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીનીએ ટ્વિટને રીટ્વિટ કરતા લખ્યું કે જયાં સુધી ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે ત્યાં સુધી ભારત સુરક્ષિત નથી.

હોંગકોગની જ એક રહીશ Fionaએ ટ્વિટ કરીને લખ્યું કે અપરાધીક ચીની શાસનન વિરુદ્ઘ લડવામાં ભારતનું સમર્થન કરો. ચીની નેતા ઠગ અને અપરાધી છે. હોંગકોંગના લોકો એ જાણે છે અને તાઈવાનને પણ ખબર છે. દુનિયા પણ આ અંગે જાણે છે.

ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ

સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછ-પરછ

જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પલ્સ ઓક્સિમીટર થી કોરોનાની ચકાસણી, રિવર્સ ક્વોરન્ટાઈન કરાય છે

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પાર આરોપો લાગવ્યા