કોરોનાવાયરસ – ચીનના 58,658 મુસાફરોની તપાસ, ચીન જવા પર પ્રતિબંધ

  • કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ
  • નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી
  • નવી મુસાફરી માર્ગદર્શિકા: મુસાફરો ચીનનો પ્રવાસ કરવાનું ટાળે ; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા

દીલ્હી 3 ફેબ્રુઆરી 2020

દરેકને ચાઇનાની મુસાફરીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા ઉપરાંત, 15મી જાન્યુઆરી 2020થી ચાઇનાના યાત્રાકરીને પરત ફરેલા કોઈ પણ મુસાફરોને જુદા રાખવાની સલાહ આપવામાં આવે છે.

આજ સુધીમાં 445 ફ્લાઇટ્સમાંથી 58,658 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. IDSP દ્વારા લેવામાં આવેલા કુલ 142 શંકાસ્પદ મુસાફરોને જુદા તારવી ને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 130 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 128 નકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ પર નજર રાખવામાં આવી છે હાલમાં એમની સ્થિતિ સ્થિર છે.

વુહાનથી 330 મુસાફરોની (7 માલદીવના નાગરિકો સહિત) બીજી ટુકડી ભારત આવી છે. તેમાંથી 300 (7 માલદીવના નાગરિકો સહિત) ITBP ચાવલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને 30 માનેસરમાં છે. તેમના પર અસરકારક રીતે નજર રાખવામાં આવી રહી છે.

ચીનની મુસાફરીથી દૂર રહેવાની સલાહ છે, અને 15મી જાન્યુઆરી 2020થી ચીનમાં મુસાફરીનો ઇતિહાસ ધરાવનાર કોઈપણને જુદાં જુદાં તારવવાના રહેશે.

ચાઇનીઝ પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા સુવિધા અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

ચાઇનીઝ નાગરિકોને અગાઉ જારી કરાયેલ ઇ-વિઝા અસ્થાયી રૂપે માન્ય નથી.

ચાઇનાથી ફિજીકલ વિઝા માટે ઓનલાઇન અરજી સબમિટ કરવાની સુવિધા રદ્દ કરવામાં આવી છે.

જેમને ભારતની મુલાકાત લેવી ફરજિયાત છે એવા લોકોએ બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અથવા શાંઘાઈ અથવા ગુઆંગઝુમાં આવેલા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવો.