નકલી પદવી ધરાવતાં મોદીના પરીક્ષા પે ચર્ચાનું ખર્ચ 64 કરોડ

છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા પે ચર્ચા પર રૂ. 64 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે કબુલ કર્યું હતું.
12 માર્ચ  2025ની જાહેરાત પ્રમાણે પ્રતિ વર્ષ બોર્ડ પરિક્થીષા પહેલાં વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે મોદી સરકાર તરફથી વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવે છે. મોદીના ભણતર અંગે વિવાદ સતત થતો રહે છે. તેમની અભ્યાસની પદવી નકલી હોવાના આરોપો મૂકાય છે.

કાર્યક્રમની આઠમી આવૃત્તિમાં શિક્ષકોની સાથે સેલિબ્રિટીઝમાં આવવા પર ખર્ચ થયો હતો.

પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે. સરકાર દ્વારા 2018થી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા તે કામ કરે છે.  પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ હતી.

વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને સંબોધન કર્યું હતું.

શિક્ષણ મંત્રાલયે લોકસભામાં કહ્યું કે વર્ષ 2020થી 2024 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે કુલ 64.38 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ કાર્યક્રમ પાછળના ખર્ચમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. 2020માં આ કાર્યક્રમ પાછળ બહુ ઓછો ખર્ચ થયો હતો. ત્યારે શિક્ષણ મંત્રાલયે 5.69 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વર્ષ 2021માં ખર્ચની રકમ નજીવી વધીને 6 કરોડ થઇ હતી.

જોકે વર્ષ 2022માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછળનો ખર્ચ ઘણો વધી ગયો હતો. તે વર્ષે કુલ ખર્ચ 8.16 કરોડ રૂપિયા હતો, પરંતુ 2023માં આ ખર્ચમાં વધારો ઘણો વધારે હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ છે. 2023માં આ કાર્યક્રમ પાછળ 27.70 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 2024માં ખર્ચની રકમ ઘટીને 16.83 કરોડ રૂપિયા થઇ હતી.