Monday, July 27, 2026

ભગવાનનું બ્રાન્ડ નામ રાખી જંતુનાશકો અને ખાતરમાં વ્યાપક ભેળસેળ

બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની કૃષિ વિભાગે ચકાસણી કરીને ૫૦૦ વસ્તુના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. જંતુનાશકો અને ખાતરના ૧૨૨૪ ડિલરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી. 10,000 ક્વિન્ટલથી વધુ જથ્થો અટકાવાયો છે. રાજ્યમાં હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ એટલા મોટા પ્રમાણ...

12 કલાક વિજળીનો પાયલોટ પ્રોજેક્ટ

જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને વિગતો આપવામાં આવી હતી જેમાં સૂર્ય શકિત કિસાન યોજના – SKYના કારણે ખેડૂતના ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા ખેડુત કમાણી પણ કરી શકશે. રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ ૧૩૭ ફીડર દ્વારા ૧ર,૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સ...

ગરવી ગુર્જરીના ઉત્પાદનોના ઓન લાઇન વેચાણ માટેની વેબ એપ લોન્ચીંગ

મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી-ર૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ થયો છે. જેમાં હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર૦૦થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, ૧પ૦થી વધુ એકઝીબીટર્સ-કારીગરો ૩ થી ૬ ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાથશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, બી-ટુ-બી મિટીંગ, સેમિનાર તથા પ્રદર્શની-વેચાણમાં સહભાગી થવાના છે. ગુજરાતની...

જમીન માપણીનું કરોડોનું કૌભાંડ, ખેડૂતો પરેશાન

ગુજરાતમાં 1.25 કરોડ ખેતરોના ફરીથી માપ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે. જેમાં ખેડૂતોને પારાવાર ખૂવારી ભોગવવી પડી છે. આ અંગે સામાજીક નેતા હાર્દિક પટેલે રાજ્યપાલને એક પત્ર લખ્યો છે. જે અક્ષરઃ આ પ્રમાણે છે. રાજ્યપાલ શ્રી રાજ ભવન, ગાંધીનગર. ગુજરાત 01 ઓગષ્ટ 2018 વિષય : રાજ્યની પુનઃ જમીન માપણી પુરી થઈ, ગોટાળા તેમ જ રહ...

અમદાવાદમાં શાક ભાજીના આજના છૂટક ભાવ કિલો દીઠ

બટાકા 16_18 સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ) ડુંગરી, 18 _ 20 ટામેટા,, 35 આદુ 90- 130 લીંબુ 30 કેપસીકમ 60 મરચા 75 વઢવાણી મરચા, 50.. ભજીયા મરચા, 60 કરેલા 40 દૂધી. 40 ગવાર. 65 ચોળી 70 ફાનશી. 120 કંકોડા. 149 બીટ. 20 પરવળ. 60 ભીંડા 40- 60 સાડી કાકડી. 60 ગાજર. 22 ફૂંલાવર 80 ટુરિયા 55 ગલકા. 40 ફુ...

શિક્ષકો તૈયાર કરતી સરકારી કોલેજો બંધ, ખાનગી ચાલુ

ગુજરાતમાં શિક્ષકો તૈયાર કરતી કોલેજોની માઠી દશા બેઠી છે. રાજ્ય સરકારે જ્યારથી શિક્ષકોનું આર્થિક શોષણ શરૂ કર્યું છે ત્યારથી આજના યુવકો અને યુવતીઓ પીટીસી કોલેજમાં પ્રવેશ લેવાનું માંડી વાળી રહ્યાં છે. આ વર્ષે ડાયેટની એક અને ગ્રાન્ટેડની એક કોલેજ બંધ થઈ થઈ ગઈ છે. પહેલાં ડાયેટની 26 કોલેજ હતી જે આ વર્ષે સાવ ઘટીને 12 થઈ. જ્યારે સરકારી કોલેજો 8 હતી જે ઘટીને ...

રોજગારીના વચનો ઈજનેરો માટે ફોક કરતો ભાજપ

ગુજરાતમાં ઈજનેરોની બેકારી પરાકાષ્ઠા પર આવીને ઊભી છે. દર વર્ષે 45 હજાર વિદ્યાર્થીઓ ઈજનેર બનીને કોલેજમાંથી બહાર આવે છે. જેમાંથી 19 ટકા લોકોને જ રૂ.10 હજારથી લઈને રૂ.15 હજારના પગારથી નોકરી મળે છે. એટલે કે 8 હજાર નોકરીમેળવે છે. પણ તેમના પગાર બહુ ઓછા હોય છે. ઈજનેરી કંપનીઓ નવા વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરે છે. તેમને પુરતાં પગાર આપતી નથી. જે પગાર આપે છે ...

રાજ્યોના રાજકીય પક્ષોનાં ચૂંટણી ખર્ચનું વિશ્લેષણ

2014માં, સરકાર તરફથી સૂચનો મુજબ ભારતના ચૂંટણી પંચે લોકસભા, રાજ્ય સભા અને વિધાનસભા ચૂંટણી માટે લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદામાં સુધારો કર્યો હતો. મોટા રાજ્યો માટે, વિધાનસભા ચૂંટણીની મર્યાદા રૂ.16 લાખ થી રૂ.28 લાખ નક્કી કરાઈ છે. જ્યારે નાના રાજ્યો માટે, તે રૂ.8 લાખથી રૂ. 20 લાખ નક્કી કરવામાં આવી છે. કેરળ, ત્રિપુરા, ગુજરાત, ઉત્તરાખંડ, મિ...

પાલનપુરમાં 33 કરોડનું મકાન કૌભાંડ, ભાજપ જવાબ આપી શકે તેમ નથી

પાલનપુર નગરપાલિકામાં 33 કરોડ રૂપિયાનું મકાન કૌભાંડ ભારતીય જનતા પાર્ટીને હચમચાવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના પાલનપુર નગરપાલિકા દ્વારા રાહુલ ગાંધી આવાસ યોજના હેઠળ જે પ્લોટ ઉપર મકાનો બનાવવાનું નક્કી થયું હતું તેના બદલે બીજા પ્લોટ ઉપર 33.50 કરોડના મકાનો બનાવી દેવાયા હતા. આ અંગે તેના નાણા ચૂકવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી. સામાન્ય બોર્ડની મિટિંગમાં આ...

ગુજરાતની લોકસભાની બેઠકો માટે રાહલુ ગાંધી વ્યૂહરચના ગોઠવશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે લોકસભાની બેઠકો જીતવા માટે કયા કયા પગલા ભરવા જોઇએ તે અંગેની ચર્ચા ગુજરાતના નેતાઓ કરશે. હાલ ગુજરાતની 26 બેઠકો માંથી એક પણ બેઠક કોંગ્રેસ પાસે નથી. ખાસ કરીને શહેરી વિસ્તારોના 10 બેઠકો કાયમને રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પાસે રહી છે. ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં 23 જિલ્લાઓમા...

450 કરોડના કૌભાંડમાં અમૂલમાં સરકારે ઘી ઢોળ્યું

અમૂલમાં રૂ.450 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું. તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં અને જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે. સહકાર વિભા...

ત્રણ જિલ્લા અને ત્રણ શહેર પ્રમુખની કોંગ્રેસમાં નિયુક્તિ 

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર અને જિલ્લાના પ્રમુખોની નીચેના નામોની મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ નવનિયુક્ત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાને ધ્યાનમાં લઈ સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે. વિ...

માલિકીની જગ્યાએ જ વાહનો પાર્ક કરવાનું જાહેરનામું લાવો

2.30 કરોડ વાહનો માંથી 50 લાખ વાહનો તો રસ્તાની વચ્ચે જ 8 મહાનગરોમાં પડેલાં રહેતાં હોવાથી. સમગ્ર રાજ્યના 8 મહાનગરો ટ્રાફિક જામ થઈ જાય છે. 8 શહેરોમાં રસ્તા પર પાર્ક કરેલાં વાહનો પર રીતસર તૂટી પડવા માટે 2 ઓગસ્ટ 2018ની મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ વિભાગના ...

સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ, આમિર ખાન પાકિસ્તાન જશે

ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે-ઈ-ઈન્સાફ (પીટીઆઈ) એ ભૂતપૂર્વ ક્રિકેટરો સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિધુ અને અભિનેતા આમિર ખાનની વડાપ્ધાન તરીકેની શપથવિધિ સમારોહમાં આમંત્રિત કરવાનું આયોજન કર્યું છે. પીટીટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે આમંત્રણ આજે અથવા કાલે ખાનના અંગત મિત્રોને અપાશે. જેમાં ઈમરાન સાથે રમેલા ભારતનાં જાણિતા ક્રિકેટરોનો પ...

ગાંધીનગરનો 54માં જન્મ દિવસ અરુણ બુચે ઉજવ્યો

ગાંધીનગર વસાહત મહામંડળના પ્રમુખ અને શહેર માટે હંમેશા ચિંતા રાખનારા સૌથી વરિષ્ઠ નાગરીક અરૂણભાઈ બુચે આજે રાજકારણીઓ સાથે મળીને ગુજરાતના પાટનગરનો 54માં જન્મદિવસ મનાવ્યો હતો. પ્રારંભમાં સતત ૫૩ વર્ષથી પાટનગરના જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજતાં વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે શહેરની ગતિ-પ્રગતિમાં મહાનુભાવોના યોગદાનને આવકારી પાટનગરની સમસ્યા અને ઉકે...