Friday, May 1, 2026

Tag: gandhinagar

ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે

ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે. કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદા...

ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના વડાઓને નિમંત્રણ આપવા જ પ્રવાસ યોજ્યો?

ગાંધીનગર, તા. 21 ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુ...

સુરત અને મુંબઇ વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ કરાશે

ગાંધીનગર, તા.૧૯ મુંબઇ અને સુરત વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ થશે, જેનો લાભ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને મળશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ ઉપરાંત કાર્ગોની સુવિધા પણ હશે, જેથી વ્યાપારીઓ તેમજ બિઝનેસ પર્સન તેનો ઉપયોગ કરી શકશે. મુંબઇ સ્થિત સમુદ્રી શિપીંગ કંપનીએ સુરત અને મુંબઇ બંદરો વચ્ચે ક્રુઝ સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેને ગુજરાત ...

ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...

ગાંધીનગર,તા.19 પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે. GARUD ની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...

4 થી 10 નવેમ્બર સુધી કોઇપણ ગ્રાહક પોર્ટેબિલિટી કરી શકશે નહીં, નવી સિસ્...

ગાંધીનગર,તા.૧૮ મોબાઇલ ફોનના ગ્રાહકોને નેટવર્કથી પરેશાની થાય છે ત્યારે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વધુ સમય હોવાથી ગ્રાહક વધારે પરેશાન થતાં હોય છે પરંતુ હવે માત્ર બે દિવસમાં ઉકેલ આવી જશે. ટ્રાઇ દ્વારા પોર્ટેબિલિટીનો સમય ઘટાડવામાં આવ્યો છે, જો કે આ સુવિધા 11મી નવેમ્બરથી શરૂ થશે. ભારત સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે મોબાઇલના ગ્રાહકોને એવી સુવિધા આપી છે...

શિક્ષકો બાદ હવે ગુજરાતમાં 10,000 તલાટીઓ માટે પણ ઓનલાઈન હાજરી રહેશે

ગાંધીનગર,તા.18 ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે. તલાટીની અછત અને ગેરહાજરીથી ...

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા એક વ્યક્તિ-એકવાહનની નવી ફોર્મ્યુલા આવી શકે ...

ગાંધીનગર,તા.17 ટ્રાફિકથી પિડાતા શહેરોને બચાવવા માટે ગુજરાત સરકારે રસ્તો શોધી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર હવે ગુજરાતમાં એક વ્યક્તિને એક જ વાહન ખરીદવાની છૂટ આપી શકે છે. એક વ્યક્તિ પાસે એક થી વધારે વાહનો રાખી શકાશે નહીં. ટૂકમાં સરકાર પોલિસી બનાવી રહી છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરને સરકારે સૂચના આપ્યા પછી તેમણે રાજ્યના તમામ આરટીઓ ઓફ...

ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે

ગાંધીનગર, તા. 18 દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...

ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?

ગાંધીનગર,તા:20 ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા, વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા, દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ, રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી, કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવ...

ફિઝિયોથેરાપી-નર્સિગમાં સરકારી કોલેજના ત્રીજા રાઉન્ડ પછી ૧૮૫ બેઠકો ખાલી...

ગાંધીનગર,તા.18 પેરા મેડિકલમાં ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં સરકારી કોલેજોમાં ખાલી પડેલી ૩૮૨ ઉપરાંત પ્રવેશ રદ થ‌વાના કારણે ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેની ફી ભરવાની મુદત પુરી થઇ ચુકી છે. આ રાઉન્ડ પછી પણ સરકારી કોલેજોની ૧૮૫ બેઠકો ખાલી પડતાં હવે ચ...

રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ

ગાંધીનગર, તા.18 બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...

બ્લેક લિસ્ટ કરાયેલી વીમા કંપનીમાં ભરેલી રકમનું વળતર કોણ આપશે

ગાંધીનગર, તા. 18 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે. કેમ કરી બ્લે...

રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા

ગાંધીનગર, તા.18 રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ ચાલવા દ...

અલ્પેશનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ ક...

ગાંધીનગર,તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે શાંતિ છે. ચૂંટણી પતવા દો, સામાજિક રીતે અમે ફરીથી કામ કરવાના છીએ. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના દારુ બદીના સૂર બદલાયા છે. કારણ કે તે ભાજપમાંથી રાધનપુરમ...

લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...