Tag: gandhinagar
સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે
બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે.
કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...
શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો
ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...
અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર
સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...
ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત
ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...
ભાજપના ભરતી ભોપાળા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે.
કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!..
કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...
ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ
ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે.
હાઈકમાન્ડની નારાજગી
ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...
ગુનેગારોનું ભાજપ…
ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર ...
રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર દૂર કરવા આવે છે: ક્લિનમેન અનિલ મુકીમ
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના 1984 બેચના આઇએએસ ઓફિસર અનિલ મુકીમ ગુજરાતના સર્વોચ્ચ પદ ચીફ સેક્રેટરી તરીકે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં જ્યારે નાણા વિભાગના અધિક મુખ્યસચિવ હતા ત્યારે ભારત સરકારે તેમને ડેપ્યુટેશન પર લઇ જવાનો નિર્ણય કર્યો હતો.
સ્વચ્છ અને નિર્મળ પ્રતિભા
...
ડેરીની ભરતીમાં શંકર ચૌધરીનો વહીવટ….
કૌભાંડોમાં માહેર એવી સાબર ડેરીમાં વધુ એક કૌભાંડનો ફણગો ફૂટતાં વિવાદ ઊભો થયો છે. ડેરીમાં 189 કર્મચારીઓ ની ભરતીમાં રૂ. 15થી 25 લાખ સુધીના કૌભાંડ ડિરેક્ટર શંકર ચૌધરી દ્વારા કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે અન્ય પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 189 કર્મચારીઓની ભરતી માટે 1 ...
ઓનલાઈન બૂકિંગની સિસ્ટમ ડેવલપ કરવામાં નિયમોની ઐસીતૈસી કરાઈ
અભિજિત ભટ્ટ
ગાંધીનગર,તા:૨૮
રાજ્યના એસટી નિગમ દ્વારા લોન્ચ કરાયેલી એપ તૈયાર કરાવવામાં મોટાપાયે નિગમના અધિકારી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો છે. કરોડોનો ચૂનો સરકારી તિજોરી પર લગાવાયો હોવા છતાં પણ કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને આ અધિકારીને છાવરવામાં આવી રહ્યા છે. સરકારના એસટી નિગમ દ્વારા જીએસઆરટીસીની એપ તૈયાર કરવા માટે સરકાર...
5G ને આવતા છ વર્ષ થશે !!!
ગુજરાતમાં 4-જીના સમયમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને હાલ 2-જી અને 3-જીની સ્પીડ મળે છે ત્યારે 5-જીના શરૂ થયેલા સપનાં હજી અધુરાં રહેશે તેમ લાગી રહ્યું છે. દેશમાં 5-જીનો કારોબાર ટેલીકોમ કંપનીઓને મોંઘો પડી રહ્યો છે તેથી ગુજરાતમાં 5-જી સ્પીડ આવતાં હજી છ વર્ષ જેટલો સમય લાગી શકે છે. રાજ્યમાં મેટ્રોને 16 વર્ષ થયાં છે, જ્યારે 5-જીને હજી છ વર્ષનો સમય લાગશે.
...
માણસ બન્યો મોબાઈલ !!!
ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસતી 6.40 કરોડ હોવાનું અનુમાન છે પરંતુ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 6.87 કરોડ થઇ છે. એટલે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં મોબાઇલ વાપરનારો વર્ગ છે. એવું પણ બની શકે છે કે કેટલાક લોકો પાસે એક કરતાં વધુ કનેક્શન હોઇ શકે છે.
જૂની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓનું ...
બુલેટ ટ્રેન માટે ભાજપના ધારાસભ્યએ જંત્રીદરના સાત ગણા રૂપિયા માગ્યા
ગાંધીનગર,તા:૨૭ અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદનમાં વિધ્ન આવતાં હવે રાજકીય નેતાઓ મેદાને ઉતર્યા છે. ભાજપના જ એક ધારાસભ્યએ ખેડૂતોને જંત્રીદર કરતાં સાત ગણું વળતર આપવાની દરખાસ્ત કરી છે જેને જિલ્લા કલેક્ટરે માન્ય રાખી સરકારમાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે સરકારને કહ્ય...
સૌથી પૂરાણું હેરિટેજ શહેર જુનાગઢ અમારૂં….
ગાંધીનગર, કે ન્યૂઝ,તા:૨૭
ભારતનું સૌથી જુનું હયાત શહેર જૂનાગઢને હેરિટેજ શહેરનો યુનેસ્કોનો દરજ્જો મળે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં દરખાસ્ત કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે. ભારતમાં એકમાત્ર હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક દરજ્જો મેળવનાર અમદાવાદ શહેર કરતાં વધુ પુરાણો ઐતિહાસિક વારસો જૂનાગઢ શહેર ધરાવે છે. બે હજાર વર્ષ જૂના પણ હય...