Tag: gandhinagar
ભાજપમાં જોડાયેલા ગાયક કલાકારોને પણ ધંધે લગાવ્યા
ગાંધીનગર, તા. 15
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવ...
મગફળી, કપાસ અને તલના પાકમાં નુકશાનની ભીતિ
ગાંધીનગર, તા.૧૫
ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં સારો ખરીફ પાક થશે એવી આશા ઊભી થઈ હતી, પરંતુ છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, તેના કારણે તેમના પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદને કારણે...
ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...
ગાંધીનગર, તા.15
ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે.
કહેવાય છે કે ઓછું ભણેલા હો...
આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતમાં જીએસટીની આવકમાં ઘટાડો
ગાંધીનગર,તા:૧૫ દેશવ્યાપી મંદીના માહોલમાં આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતના ઉદ્યોગો પણ બાકી નથી. મંદીની અસર વેપારીઓ પર ભારે નકારાત્મક પડી રહી છે. ત્યાં સુધી કે મંદીના આ માહોલની અસર સરકારની જીએસટી પરની આવક પર પણ પડી રહી છે. સરકારની જીએસટીની આવકમાં 258 કરોડનો ભારેખમ ઘટાડો નોંધાયો છે.
2018ના વર્ષમાં જ્યાં રાજ્ય સરકારને જીએસટીથી 14,900 કરોડની આવક થઈ...
ગુજરાતમાં 35 બનાવટી બરફીની ફેક્ટરી બંધ કરી દેવા નોટિસ પાઠવાઈ
ગાંધીનગર, તા.14
સફેદ ઝેર પીવડાવતા બનાવટી બરફી પર તૂટી પડવા માટે આખરે આરોગ્ય પ્રધાન નિતિન પટેલે ખોરાક અને ઔષધ વિભાગના અધિકારઓને આદેશ આપતા રાજ્યભરમાં જ્યાં પણ બનાવટી બરફીની ફેક્ટરી ચાલતી હોય તેમને બનાવટી બરફી બનાવવાનું બંધ કરીને ફેક્ટરીઓ બંધ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે.
ખોરાક કમિશ્નર દ્વારા લગભગ ...
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ફરતે કસાતો જતો સકંજો
ગાંધીનગર,તા:૧૪ અંધશ્રદ્ધાનો ધંધો ચલાવનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુ઼ડીની ફરતે હવે કાયદાનો સકંજો કસાતો જઈ રહ્યો છે. ઢબુડીના નામે ધનજીએ કરેલાં અનેક તરકટો પરથી પોલીસ તબક્કાવાર પડદો ઊંચકી રહી છે, અને ધનજીની મુસીબતો વધી રહી છે.
કેન્સરની દવા બંધ કરાવી યુવકનું મોત નીપજાવનારા ધનજી સામે મૃતક યુવાનના પિતા ભીખાભાઈ મણિયાએ બાંયો ચડાવી છે, અને તેને લગતા પુરાવા પેથાપ...
કુંભલમેરની યુવતી પિતાનું સપનું પુરું કરવાં બીએસએફમાં જોડાઇ
ગઢ, તા.13
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે.
પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દ...
મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...
ગાંધીનગર, તા.13
ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...
મેટ્રો નીચેના રોડ, મફત મુસાફરી સાથે કમર, મણકા, સાંધાના દુઃખાવા ફ્રી
અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ માટે ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એલિવેટેડ કોરિડોર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. શહેરના 39 કિલોમીટરના માર્ગનું કામ થઈ રહ્યું છે જેમાં શહેરના 20 કિ.મી.ના માર્ગો ખરાબ છે. કોન્ટ્રાક્ટરોને અમપાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં લોકો માટે કંઈ થતું નથી. એ તમામ વિસ્તારોના એપ્રોચ રસ્તાઓ એટલી હદે ખરાબ બની ચુકયા છે...
ગુજરાતમાં વીસ હજાર કેસોના બાકી લેણાંમાં સમાધાન યોજના જાહેર
ગાંધીનગર,તા.12
ગુજરાતમાં જીએસટી એક્ટનો અમલ થયા પહેલાં સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સેન્ટ્ર સેલ્સ ટેક્સ, મોટર સ્પીરીટ ટેક્સેશન, એન્ટ્રી ટેક્સ અને સુગર કેન પરચેઝ ટેક્સ હેઠળના વેરા અંગે વેપારી વર્ગના અંદાજે 20,000 થી વધુ વિવાદ વિવિધ સ્તરે પડતર છે પરિણામે આવા કેસોમાં સંકળાયેલી વસૂલાતની નોંઘપાત્ર રકમ લહેણી તરીકે બાકી છે.
આ જૂના વિવાદોના નિકાલ મ...
વાઘાણીને બચાવવા જંગલ વિભાગનું હડહડતું જુઠ્ઠાણું
ગાંધીનગર, તા. 12
ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ 9મી સપ્ટેમ્બરે ગીરનાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તેમનાં બચાવમાં રાજ્ય સરકાર તો મેદાનમાં આવી ગઈ છે પણ તેમનું જંગલ વિભાગ પણ હવે વાઘાણીનાં આ ગુનાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સ્થાનિક લોકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા દાવો કરી રહ્યા છે કે વાઘાણી પ્ર...
અમે જીવ આપી દઈશું પણ જમીન નહી આપીએ
ગાંધીનગર, તા.12
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને 2023માં પૂર્ણ કરવા માગતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હવે નવસારીના ખેડૂતોનું ગ્રહણ આવ્યું છે. આ ખેડૂતોએ કહ્યું છે કે અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ. આ ખેડૂતોએ સરકારના પગલાંને ગેરબંધારણિય ગણાવ્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ
કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અને ગુજર...
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...
ગાંધીનગર, તા.૧૨
અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...
ભ્રષ્ટાચારનું સોગંદનામું
ગાંધીનગર, તા.12
62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...
વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા
ગાંધીનગર,તા.11
ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાનના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં 2019માં ગુજરાતની વસતી વધીને 6.52 કરોડ થઇ ચૂકી છે, જે છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6.03 કરોડ હતી.
ગુજરાતમાં 2020માં વસતી છ કરોડને પાર થઇ જશે.
પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2001-2026ના એક રિપોર્ટ પ્રમાણ...
ગુજરાતી
English