Friday, September 20, 2024

Tag: mandir

Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાના આરે

રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે.

ભગવાનના ધામમાં જવામાં કોરોનાથી ડરતાં લોકો, શ્રદ્ધાળુઓની આવક-જાવક 10 ટક...

સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે 8મી જૂન 2020માં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા. અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે. સોમન...

રામ જન્મભૂમિ પૂજનને લઇને શું કહ્યું ટીવીના રામે

અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિ પૂજન શરૂ થઇ ગયુ છે. આજે સવારે જ 8 વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઇ. ભગવાન રામની નગરીમાં આજે બુધવારે ૫ ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. એવામાં એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે તે વચ્ચે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું કિરદાર અદા કરનારા અરુણ ગોવિલે પણ સોશિયલ મીડિયામાં રામ મંદિરના...

અયોધ્યાના નવીનીકરણ પાછળ 17,184 કરોડ નો ખર્ચ થશે

૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧...

જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

દેશની સૌથી મોટી અને ઐતિહાસિક જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.  રથયાત્રા પર રોક લગાવતા કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, જો આવા મહામારીના સમયમાં અમે રથયાત્રાની મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ પણ અમને માફ નહીં કરે. રથયાત્રા પર રોક લગાવતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ટિપ્પણી કરી હતી કે, 'જો અમે રથયાત્રાને મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ...

20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી ...

કોટેશ્વર મહાદેવ મંદિરનો કબજો અંબાજી ટ્ર્સ્ટને સોંપવા સુપ્રીમનો આદેશ

યાત્રાધામ અંબાજી નજીક આવેલા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટની માલિકીના કોટેશ્વર મંદિરનો કબજો પૂજારીને 6 મહિનામાં ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટએ આદેશ કર્યો છે. પાછલા કેટલાય વર્ષોથી મહંત દ્વારા હક્ક દાવા કરવામાં આવ્યા હતા. જેની પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની જીત થઈ હતી. યાત્રાધામ અંબાજી મંદિર નજીક ખેડબ્રહ્મા હાઇવે પર ડ...

શામળાજી મંદિરમાં અછોડા તોડતી ઉદેપુરની મહિલા ગેંગ.

અરવલ્લી જીલ્લા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ઉમટે છે ગુરુ પૂર્ણિમાનું હિન્દૂ સંસ્કૃતિમાં વિશિષ્ઠ મહત્વ હોવાથી દર વર્ષે હજ્જારોની સંખ્યામાં શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ભક્તોની ભીડનો લાભ ઉઠાવવા રાજસ્થાનના ઉદેપુરની નાથ અને કાલબેલિયા ગેંગની મહિલાઓની જુદી-જુદી ટીમો...