Thursday, April 16, 2026

Tag: narendra modi

પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી

અમદાવાદ, તા.08 ગુજરાતની સરકાર દારૂ બંધીને વરેલી છે. ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તે બંધ કરી દેવામાં આવે છે. ભલે પછી તે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ હોય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને દારૂ બંધીના અમલ માટે આકરાં નિર્ણયો પણ લીધા છે. જેમાં પોતાના પક્ષના કાર્યકરો કે નેતાઓ જો દારૂ પીતા હ...

વિશ્વ બેન્કના ચેરમેન સાથે મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે 31 ઓક્ટોબરે હાઈપ્રોફાઈલ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ બેન્કના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભારત સરકારના તમામ કેડરના ઓફિસર્સ અને કેબિનેટના મંત્રીઓ પણ કેવડિયામાં આવીને ત્રણ દિવસ રોકાશે. નર્મદા નદી પર રાજ્ય સરકારે બનાવે...

વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?

ગાંધીનગર,તા:૦૭  મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...

ગરીબ પરિવારો માટે ગૂંચવાડો ઉભો થયો, વિદેશની જેમ આખા દેશમાં એક જ આરોગ્ય...

­­­­­­­­­­­­ ગાંધીનગર,તા.0૭  ગુજરાતમાં આરોગ્યની સુવિધા આપતી રાજ્ય સરકાર અને કેન્દ્રની યોજનામાં આરોગ્ય ની બાબતોને સમાંતર કરવા માટે    આરોગ્ય વિભાગે તમામ આરોગ્યલક્ષી સેવાઓ માટે લોકોને એક જ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. હાલ આ સુવિધાનો લાભ લેવા માટે ત્રણ કાર્ડ રાખવા પડતા હતા, જો કે નવું કોમન કાર્ડ કઢાવવા માટે લોકોએ રૂપિયા ખર્ચવા પડશે. ગુજરાત...

પહેલાં મેં માંગી નહોતી તેમ છતાં આપી, અને હવે હટાવી દીધી છે તો હું માંગ...

ગાંધીનગર, તા. 04 વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીએ રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર અને આઈબીના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને પરત ખેંચી લેવાયેલી તેમની પોલીસ સુરક્ષા ફરી આપવા માગણી કરી છે. તેમને અપાયેલી સિક્યોરીટી પરત ખેંચી લેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીને જ...

એક બે વખત બિલ ચૂકવવાનું અમપાનું કૌભાંડ અભરાઈ પર

અમદાવાદ, તા.04 વર્ષ-2013માં અમદાવાદ શહેરની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એ સમયે અમપા દ્વારા શહેરના આ બંનેના રૂટમાં આવતા રસ્તાઓનું રિસરફેસિંગ કરવાથી લઈ થર્મોપ્લાસ્ટિક અને કેટ-આઈ લગાવવા માટે રૂ.125 કરોડનાં કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામના એક કોન્ટ્રાક્ટરને રૂ.2.5 કરોડની રકમનું ચુકવણું અમપાના ટ્રાફિક વિભાગ...

કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!

ગાંધીનગર,તા.03 અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બ...

અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ

અમદાવાદ,તા.03 અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે.  છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...

’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મો...

ગાંધીનગર, તા. 02 મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે. ટવીટર પર ધાનાણીના ચાબખા ગાંધી જંયત...

મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ

ગાંધીનગર, તા.02 ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત કરતાં તેના પાડોશી રાજ્યો આગળ નિકળી રહ્યાં છે. ધોલેરામાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે તેવાં બગણાં ફૂંકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના નામે મીંડુ છે જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબ...

રાજ્યમાં સ્વચ્છતા મિશન મોનીટરીંગ માટે પાંચ વર્ષે પણ નોડલ અધિકારીઓની નિ...

અમિત કાઉપર ગાંધીનગર, તા.02 ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. પાંચ વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, સ્વચ્છતા મિશન હેઠળ બધી સરકારી કચેરીઓમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવા હતા પરંતુ રૂપાણી સરકારે કોઈપણ સરકારી કચેરીઓમાં એક પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. દેશને જાહેરમાં શૌચથી મુક્ત કરવાની જાહેરાત કરાઈ હો...

રૂપાણી કેબિનેટના વિસ્તારમાં પાંચ ડ્રોપ થશે, 10 નવા લેવાશે

ગાંધીનગર,તા:૦૧ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની કેબિનેટનો વિસ્તાર નવેમ્બરમાં થવાની સંભાવના છે. હાલ મુખ્યમંત્રી સહિત 22 મંત્રીઓની કેબિનેટ છે, પરંતુ તેમાં પાંચ સભ્યોને ડ્રોપ કરીને બીજા પાંચ નવા સભ્યો સાથે કુલ 10 સભ્યોનો ઉમેરો થાય તેમ છે. કેબિનેટના વિસ્તાર માટે ભાજપના હાઈકમાન્ડે પણ મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ગુજરાત સરકાર...

મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...

અમદાવાદ,તા.01 વર્ષ 2004માં  અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...

સુરતના પોલીસ કમિશનર પદે આર બી બ્રહ્મભટ્ટ અને અમદાવાદના સ્પેશિયલ કમિશનર...

અમદાવાદ, તા. 30 બીજી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા રાજ્યના ગૃહ વિભાગે સિનિયર આઈપીએસ સહિત 25 આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ સોમવારની સાંજે બહાર પાડ્યો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર તરીકે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર એડીશનલ ડીજીપી  અજય તોમરને મૂકવામાં ...

કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, આજે ઉમેદવારી પત્રો ભરવાનો અ...

ગાંધીનગર, તા. 29 રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બન્ને રાજકીય પક્ષો દ્વારા છ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને લાંબુ મનોમંથન કરવામાં આવ્યું હતું અને દરેક બેઠક પર બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને મોકલી આપી હતી. આ પેનલના આધારે તેમ જ પ...