Tuesday, June 24, 2025

Tag: Officer

જાણો આ 15 બિન-ગુજરાતી IPS ઓફિસરો પાસે કેટલી પ્રોપર્ટી છે

ગુજરાત કેડરના 15 IPS અધિકારીઓ કે જેમનું મૂળ વતન ઉત્તરપ્રદેશ કે અન્ય રાજ્યો છે તેમની ઇમ્મુવેબલ પ્રોપર્ટી (સ્થાવર મિલકતો) આ પ્રમાણે છે. IPS અધિકારીઓને 1લી જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે જેમાં દર્શાવેલી પ્રોપર્ટીની વિગતો આ પ્રમાણે છે. આ અધિકારીઓએ 2019માં તેમની પ્રોપર્ટી જાહેર કરી હતી. એકે સિંઘ 1. ગાંધીનગરના સેક્ટર-1માં 1.20 કરોડનો પ્લોટ...

22 દિવસના બાળક સાથે IAS અધિકારી મેટરનીટી રજા છોડી ફરજ પર આવ્યા

આઈએએસ મેડમ ને સલામ ! 22-દિવસીય બાળકને લઈને  ફરજ પર જોડાતા, 6 મહિનાની માતૃત્વ રજા લેવાની ના પાડી દેશમાં કોરોના વાયરસ સામેના યુદ્ધમાં આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત, એવા ઘણા અધિકારીઓ ને કામદારો છે જેઓ તેમના પરિવાર કરતા ફરજને વધારે મહત્વ આપી રહ્યા છે. તેમાંથી એક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ મહાનગરપાલિકાના કમિશનર અને આઈએએસ અધિકારી સૃજના ગુમ્માલા છે, જે છ મહિ...

ખોટી વ્યક્તિને લોન આપવામાં આવી તો કર્મચારીના બોનસ, ઇન્સેન્ટિવ કપાઈ જશે...

અમદાવાદ,મંગળવાર અધિકારીએ મંજૂર કરેલી લોન બેડ લોનમાં કે એનપીએમાં રૂપાંતરિત થશે તો વર્ષ દરમિયાન સારી લોન આપવા બદલ અને સારી કામગીરી કરવા બદલ તેમને આપવામાં આવતા ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવશે. સીઈઓની નિમણૂક કરતી વખતે તેમને કેટલો વેરિયેબલ પે એટલે કે બોનસ અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તેના કરાર પણ કરવામાં આવે છે. આ કરાર હેઠળના તમામ લાભથી તેમને વંચિત કરી...

પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...

પાટણ, તા.૦૨  પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...

ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા

અમદાવાદ, તા.26 દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્...

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા એક વ્યક્તિ-એકવાહનની નવી ફોર્મ્યુલા આવી શકે ...

ગાંધીનગર,તા.17 ટ્રાફિકથી પિડાતા શહેરોને બચાવવા માટે ગુજરાત સરકારે રસ્તો શોધી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર હવે ગુજરાતમાં એક વ્યક્તિને એક જ વાહન ખરીદવાની છૂટ આપી શકે છે. એક વ્યક્તિ પાસે એક થી વધારે વાહનો રાખી શકાશે નહીં. ટૂકમાં સરકાર પોલિસી બનાવી રહી છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરને સરકારે સૂચના આપ્યા પછી તેમણે રાજ્યના તમામ આરટીઓ ઓફ...

અધિકારીઓ નહીં પણ કોર્પોરેટર નકકી કરશે કે રોડની કયાં જરૂર છે: બિજલ પટેલ...

અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરમાં આ વર્ષે તુટેલા રસ્તાઓ મામલે મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં બુધવારે વધુ ત્રણ ઝોનની રીવ્યુ બેઠક પુરી કરાઈ છે. શહેરમાં તુટેલા રોડ કોઈપણ સંજાગોમાં દિવાળી પહેલા રીપેર કરવા તંત્રને કડક તાકીદ કરાઈ છે.સાથે જ મેયરે અધિકારીઓને કહ્યુ,તમે નકકી ન કરતા.અમારા કોર્પોરેટર નકકી કરશે કે એને તેમના વોર્ડમાં કયાં રોડની જરૂર છે. મેયર બિજલ...

2017માં તૂટેલા રોડ મુદ્દે અમપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી

અમદાવાદ,તા.૧૫ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં તૂટેલા ૨૨૫ કિલોમીટરના રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક પીઆઈએલ સંદર્ભમાં અમપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટ રજૂ કરાઈ છે. જેમાં રોડ તૂટવા મામલે આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના ૩૯ ઈજનેર સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે એડિશનલ અને ડેપ્યુટી સિટી ઈજનેર કક્ષા...

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

ગાંધીનગર, તા.૧૫ રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો ક...

અધિકારીઓએ ફોન તો ઉપાડવા જ પડશે, કોઈ બહાનાબાજી નહીં ચાલે મેયર બિજલ પટેલ...

અમદાવાદ,તા.૧૪ અમપાના ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલ દ્વારા પુર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલને કરવામાં આવેલ ફોન ન ઉપાડવામાં આવતા તંત્ર અને શાસકપક્ષ વચ્ચે હવે યુધ્ધ છેડાઈ ગયુ છે. આ મામલે ટીપી ચેરમેન ગૌતમ પટેલે મ્યુનિસિપલ કમિશનરના નામે લખેલો પત્ર વહેતો થયો હતો. આ પત્રમાં તેમણે સાત દિવસમાં અધિકારીનો જવાબ લેવા કહ્યુ હતું. જો આમ નહી...

મગફળી કૌભાંડ બાદ હવે સરકાર તકેદારી રાખીને રજીસ્ટ્રેશન થયેલા ફોર્મની ચક...

રાજકોટ તા. ૧ર મગફળીનું વિક્રમ જનક વાવેતર રાજ્યમાં થયું હતું. યોગ્ય વરસાદ અને ખેડૂતકોની માવજતને કારણે આ વર્ષે મગફળીનો પાક સારો એવો ઉતર્યો છે જેથી ગુજરાત  સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ  ચાર લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન પુરવઠાના અગ્રસચિ...

ગુજરાતના મુખ્યસચિવની દોડમાં ત્રણ IAS ઓફિસર

ગાંધીનગર,12 ગુજરાતના નવા મુખ્યસચિવપદે નિયુક્તિ પામવા માટે સિનિયર એવા ત્રણ સનદી અધિકારીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા સર્જાઈ છે. રાજ્યના હાલના મુખ્યસચિવ જગદીપ નારાયણ સિંહનું એક્સટેન્શન નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આ પદ પર નિયુક્ત થવા માટે ત્રણ ઓફિસર લોબિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યસચિવના ખરા હક્કદાર અરવિંદ અગ્રવાલ છે કે જેઓ નાણાવિભાગન...

ગુજરાતમાં રીચાર્જીંગ વેલ વિના બનતી ઇમારતોમાં જળસંકટનો ભય

ગાંધીનગર,તા.11  ગુજરાતમાં કોઇપણ વસાહતનું નિર્માણ થાય અને તેને ભૂગર્ભના જળનો ઉપયોગ કરવો પડે તો બનાવવામાં આવનારા બોરવેલ પહેલાં રાજ્ય સરાકારમાં તેણે લેખિતમાં બાંહ્યધરી આપવાની હોય છે કે બોરવેલની સાથે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવશે. જો કે આ કાયદાનું પાલન 80 ટકા વસાહતોના નિર્માણમાં થઇ રહ્યું નથી. ખાનગી તો ઠીક સરકારી બ...

ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ-પ્રોફેસર્સને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ અને અધિકારીઓને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ ઊભો થયો છે, જેના અંગે અધ્યાપકો અને અધિકારીઓમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર્સ અને અધિકારીઓઓને 15મી ઓગસ્ટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ અંગે અગાઉ કોઈપણ જાહેરાત કરવામાં આવી નહોતી, કુલપતિ દ્વારા અચાનક જ એવોર્ડ આપવાની જાહેરાત કરી દેવામાં આવી ...

રાજ્યના 79 આઈએએસ ની સામૂહિક બદલી: રાજકોટને વધુ પ્રાધાન્ય

ગાંધીનગર,તા.30 ગુજરાતના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સિનિયર અધિકારીઓ. મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં સામાન્ય રીતે રાજકોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના...