Friday, May 22, 2026

Tag: Politics

કુંવરજી બાવળિયાએ હોસ્પિટલમાં લીધી સારવાર, કેબિનેટ મિનિસ્ટર પણ ડેન્ગ્યૂ...

રાજકોટમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લાખો લોકો બની રહ્યા છે, પરંતુ હવે ખુદ જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડેન્ગ્યૂના ડંખનો ભોગ બન્યા છે. કુંવરજી બાવળિયાને સામાન્ય તાવ આવતાં તેમણે તાત્કાલિક નિદાન કરાવ્યું હતું, જેમાં ડેન્ગ્યૂની અસર જણાતાં તેમને રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ડોક્ટર્સ દ્વારા તેમને આરામ ...

મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...

પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં. શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું 2020ની રજાઓનું લિસ્ટ,...

અમદાવાદ,તા:૨૧ ગુજરાત સરકાર દ્વારા 2020ના વર્ષની સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે. મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે. બેન્કોની 16 રજા આવે છે. જેમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારે આવતી હોય તેવી રજાની ...

મુખ્યપ્રધાન રૂપાણીના જ કાર્યક્રમમાં ત્રિરંગાનું અપમાન, રાષ્ટ્રધ્વજને ઊ...

ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો લગાવેલો જોવા મળ્યો હતો. આ અં...

આઠ નવેમ્બરથી પાંચ દિવસ માટે વૌઠાનો મેળો યોજાશે

ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ઘરાવતા ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદની કલેક્ટર ઓફિસમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વૌઠાના મેળાના આયોજનને લઇને તેની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધકારીઓ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ડ...

તીડથી બચવા ઢોલ વગાડો, મોટેથી બુમો પાડો: પરસોત્તમ રૂપાલા

કચ્છમાં તીડનું આક્રમણ બાડમેરથી રણ રસ્તે થયું છે, કચ્છમાં રાજસ્થાનથી રણ રસ્તે થયેલા તીડનાં આક્રમણ'ને પગલે કચ્છના ખેડૂતોમાં ચિંતા, ભય અને ઉચાટ પ્રવર્તી રહ્યા છે, ત્યારે રાજય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન પરશોત્તમ રૂપાલા પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે પહોંચ્યા હતા. કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષ પછી સારો વરસાદ પડ્યો છે જેને પગલે પા...

ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા...

અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકરે જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂન...

ગુજરાતની 10 કૃષિ બજાર સમિતિઓમાં આવતી હર્બલ વનસ્પતિઓની આવક 100 કરોડની

ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને રાજ ફૂડ ફાર્માના દવેએ દાહોદ ,ગોધરા ,નડિયાદ વગેરે સ્થળોએ એ.પી.એમ.સી માં આવતી વનસ્પતિઓની વિશદ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની 10 કૃષ...

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર ...

વનસ્પતિશાસ્ત્રના તેમજ તે વિષયક રીસર્ચ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને આમંત્રિતો માટેનો હતો જેમાં વિશાળ સંખ્યામાં સહુ જોડાયા હતા. કાર્યક્રમના ઉદઘાટન વેળાએ Gujarat Medicinal Plants Board -GMPB ના CEO ડો.જગદીશ પ્રસાદે આ સેમિનારનો હેતુ સમજાવીને રીસર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓને મેડીસીનલ પ્લાન્ટ્સના ક્ષેત્રમાં આગળ આવવા અપીલ કરી હતી અને સેમિનારના ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...

અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...

ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે

ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે. કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદા...

કરોડો રૂપિયાના રોડના કામો કોન્ટ્રાકટરોને સિંગલ ટેન્ડરથી અપાતા રોડ તુટય...

પ્રશાંત પંડિત,તા.૨૦ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ બાદ આ વર્ષે પણ ભારે વરસાદ અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે અનેક રોડ તુટયા છે.ચોકકસ કેટલા કીલોમીટરના રોડ તુટયા છે,નુકસાનીની જવાબદારી વાળા કેટલા રોડ તુટયા છે એ અંગે સ્થાયી સમિતિના ચેરમેન પોતે અજાણ હોવાનુ કહ્યુ છે.આ તરફ હાઈકોર્ટમાં અમપા દ્વારા તાજેતરમાં શહેરમાં રોડને લઈને જે સોગંદનામુ કરવામાં આવ્યુ હત...

ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના વડાઓને નિમંત્રણ આપવા જ પ્રવાસ યોજ્યો?

ગાંધીનગર, તા. 21 ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુ...

એકે સિંઘને કેન્દ્રમાં મૂકાતા હવે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ?

અમદાવાદ, તા. 19 અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગુજરાત કેડરના 1985 બેન્ચના ડીજી રેન્કના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘ (એ.કે. સિંઘ)ની કેન્દ્રમાં દિલ્હી ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ના ડાયરેકટર જનરલ (ડીજી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં તેમાં અજય તોમર, ...

શિક્ષકો બાદ હવે ગુજરાતમાં 10,000 તલાટીઓ માટે પણ ઓનલાઈન હાજરી રહેશે

ગાંધીનગર,તા.18 ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે. તલાટીની અછત અને ગેરહાજરીથી ...