Monday, August 24, 2026

Tag: Politics

એકબીજાને ભાંડતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સ્ટડીટુર(?) તો કરે છે પણ રીપોર્ટ...

અમદાવાદ,તા.04 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં એકબીજાને ભાંડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિવિધ સ્ટડી ટુરના નામે છેલ્લા પંદર વર્ષમાં એકપણ વખત સ્ટડી ટુરનો રિપોર્ટ રજુ કરાયો નથી.બે મહીના અગાઉ પણ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણભારતના પ્રવાસે જઈ આવ્યા છે.છતાં હજુ સુધી કોઈએ સ્ટડી ટુરનો રિપોર્ટ મુકયો નથી.શહેરી...

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહની ‘ચરબી’ની ગાંઠ દૂર કરાઈ

અમદાવાદ, તા.04 આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી  ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને  માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામા...

પાટીદારો પર અત્યાચાર મામલે નિમાયેલા જસ્ટીસ કે એ પૂંજ કમિશનને 31 અરજીઓ ...

ગાંધીનગર, તા.03 વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને. હાલમાં કમિશન સમક્ષ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે કુલ 31 જેટલી અરજીઓ આવી હતી અને તે સંદર્ભે તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથ...

ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ

દિલીપ પટેલ અમદાવાદ, તા. 03 ગુજરાત જમીન વિકાસ નિગમમાં એક વર્ષથી ભ્રષ્ટાચારના પોપડા ઊખડી રહ્યાં છે. રોજ નવો ભ્રષ્ટાચાર બહાર આવે છે અને ઢંકાઈ જાય છે. છોટાઉદેપુર ખાતે નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા આદિજાતિ સમાજના જયંતિ પટેલ પાસેથી એસીબીને એક વર્ષની તપાસના અંતે રૂ.2.81 કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી છે. 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો. તપાસ દ...

પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...

પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા અમિત શાહને પાડીદારો  જવાબદાર માને છે ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...

કેન્દ્ર સરકારના ફિઝિયો થેરેપી એકટના વિરોધમાં રેલી નીકળી કર્યો વિરોધ.

અમદાવાદ,તા:૩ ફિઝયો થેરેપીના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. હજારો વિદ્યાર્થીઓ ચાલતા રેલીમાં જોડાયા. માંગ પુરી નહીં થાય તો વિરોધ ચાલુ રાખવાની ચીમકી.  

બૂલેટ ટ્રેનનાં અસરગ્રસ્તોનું આંદોલન

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની માગણી કરશ...

પીઆઈ તરીકે બઢતી મેળવનારાના ગૃહ વિભાગે પોસ્ટિંગ અટકાવ્યા

ગાંધીનગર, તા. 02 ગુજરાતમાં ખાલી પડી રહેલા પોલીસ ઈન્સપેકટરોની જગ્યા ભરવા માટે ડીજીપી ઓફિસને ખાસ્સી લાંબી  પ્રક્રિયા કરવી પડી હતી, સૌથી પહેલાં તો આ મામલો ખુદ પીએસઆઈ જ કોર્ટમાં લઈ ગયા હતા. જેના કારણે લાંબો સમય પ્રમોશન થઈ શકયા નહીં, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ દ્વારા પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાની લીલી ઝંડી આપી દીધી પણ ત્યારે જ ગૃહ વિ...

ટીંટોઈ સરપંચે ગેરકાયદેસર માટી ડમ્પિંગ કરી રાતોરાત રસ્તો બનાવી દીધો

ટીંટોઈ, તા.૦૨ ટીંટોઈ નજીક બામણવાડ માઈનોર કેનાલને અડીને ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઇયાએ રાતોરાત સત્તાનો દુરુપયોગ કરી માટી કામ કરી રસ્તો બનાવી દેતા લેખિત રજુઆત ગામના જાગૃત નાગરિકોએ મોડાસા સિંચાઈ પેટા વિભાગમાં કરતા સિંચાઈ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું અને હરકતમાં આવ્યું હતું. સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેર દિપક પંડ્યાએ ટીંટો...

જિકાના રિપોર્ટ, ખેડૂતોના વિરોધથી બૂલેટ ટ્રેનને બ્રેક

અમદાવાદ, તા. 2 રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે. જો સરકાર આ મામલે આગામી દિવ...

ફિટ ઈન્ડિયાનાં ગાણાં ગાતા મોદીએ જ રાજ્યમાંથી વ્યાયમ શિક્ષકોનો એકડો કાઢ...

ગાંધીનગર, તા.02 ફિટ ઈન્ડિયા કાર્યક્રમ દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકારે શરૂ કર્યો છે પણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખા...

ગાંધીનગરમાં એસ્ટેટ વિભાગની દબાણો પર લાલઆંખ

ગાંધીનગર,તા:૨ ગાંધીનગર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ અને ખાનગી બાંધકામમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા પર તવાઈ બોલાવી છે. જે મુજબ એસ્ટેટ વિભાગે સેક્ટર-2માં 84 એકમોને નોટિસ આપી છે. ગાંધીનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારા અને ઘરમાં જ પીજી ચલાવનારા લોકોનો રાફડો ફાટ્યો છે, જેને કોર્પોરેશને 15 દિવસમાં બંધ કરવાની નોટિસ આપી છે, જો હ...

ગુજરાત ઉપરાંત દેશના સાત રાજ્યોમાં ગાય આધારિત પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા વ...

ભારત સરકાર હવે દેશમાં પ્રવાસન ઉદ્યોગને વધારવા માટે નવી તકો શોધી રહી છે. હવે સરકારે ગાય આધારિત પ્રવાસન તરફ નજર દોડાવી છે. સરકારે બનાવેલા રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા એક એવો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં વિદેશી પ્રવાસીઓ કાઉ ટુરિઝમ જોવા આવી શકે. ભારતમાં અલગ અલગ પ્રકારની ગાયો જોવા મળે છે. આ રૂટમાં હરિયાણા, ઉત્તરપ્...

અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરી થતાં રોકવા માટે સંગીતા સિંઘ ને હોમ

ગાંધીનગર,તા.31 ગુજરાત સરકારે કરેલી સિનિયર અધિકારીઓની બદલીઓમાં હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થતાં રોકવા માટે સરકારે સંગીતા સિંઘને હોમ વિભાગનો હવાલો સોંપી દીધો છે. આ ફેરબદલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો રોલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શાહની રાહ જોવાતી હતી રાજ્યના સિનિયર આઇએએસ અધિકા...

હત્યારા ભાજપના નેતા દીનુને રૂપાણીએ ગીરમાં ખાણ આપી

અમદાવાદ, તા.31 સીબીઆઈ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતા રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજપના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે. સિંહ સામે જોખમ 20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મ...