ઉર્વશી રાદડિયાનું ફેસબુક હેક કરી ફોટો મૂકી દેવાયા 

અમદાવાદ 27 જાન્યુઆરી 2020

ઉર્વશી રાદડિયાનું ફેસબુક હેક કરી ફોટો મૂકી દેવાયા. સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેક કોણે કર્યું છે તે હવે શોધી કાઢવામાં આવશે.

ઉર્વશી રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે.ઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. તેમણે 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી.ઉર્વશીના પહેલા સ્ટેજ પર્ફોમન્સની ઘટના રસપ્રદ છે. તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પર્ફોમ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીને તક મળી. અને ત્યારથી ગુજરાતી ગાયિકા તરીકે ઉર્વશી ચવાઈ ગયા.

ઉર્વશીએ ત્રણ વર્ષ સુધી ક્લાસિક સંગીતની તાલીમ લીધી છે.ઉર્વશી પોતાના પિતાની ખૂબ નજીક છે. ઉર્વશી પોતાની સફળતા પાછળ પિતાની મહેતને કારણ ગણાવે છે.ઉર્વશીનું કહેવુ છે કે માતા પિતાનો પગાર માત્ર 3 હજાર રૂપિયા હતો, તેમાંથી પણ તેઓ મારા મ્યુઝિકના ટ્યુશનની ફી ભરતા હતા.ઉર્વશીના દરેક પર્ફોમન્સ વખતે તેમના પિતા સ્ટેજ પર હાજર હોય છે. ઉર્વશી કહે છે કે જીવનના દરેક તબક્કે મને પરિવારનો ટેકો મળ્યો છે.

ઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું. પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી. અને ઉર્વશીએ મ્યુઝિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.ઉર્વશી કહે છે કે આજે હું જે પણ છું એ બધું જ સંગીતના કારણે છું. મારી સફળતા સંગીતના લીધે જ છે.પહેલા પર્ફોમન્સ પછી ઉર્વશીએ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરો તેમજ ગરબામાં પર્ફોમ કરવાની શરૂઆત કરી.

સંઘર્ષના દિવસો યાદ કરતા ઉર્વશી કહે છે કે અંતરિયાળ વિસ્તારોમાં કાર્યક્રમ હોય એટલે હું અને મારા પપ્પા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ત્યાં પહોંચતા.જો કે પડકારો અને મુશ્કેલીઓ છતાંય ઉર્વશીએ ક્યારેય મહેનત કરવામાં પાછુ વાળીને જોયું નથી. આ મહેનતને કારણે જ આજે ઉર્વશી એક જાણીતું નામ બની ચૂક્યા છે.

આજે ઉર્વશી રાદડિયાની ગણના ગુજરાતના ટોચના ગાયકોમાં થાય છે. ઉર્વશી ગુજરાતીની સાથે સાથે હિન્દી, પંજાબી, રાજસ્થાની અને મરાઠી ભાષામાં પણ ગાય છે.જો કે ઉર્વશીની ખાસિયત કે વિશેષતા પરંપરાગત ગુજરાતી ગીતો, ભજન, લગ્નગીતો, સૂફી ગીતો અને ગઝલમાં છે.ઉર્વશી ગુજરાત અને ગુજરાત બહાર પણ સંખ્યાબંધ કાર્યક્રમો કરી ચૂક્યા છે. હોંગકોંગમાં ભારતીય જવાનોની શહીદી બાદ ફંડ એક્ઠું કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પર્ફોમન્સ આપ્યું હતું.ગૌશાળા માટે ફાળો એક્ઠો કરવા યોજાયેલા ઉર્વશીના એક કાર્યક્રમમાં 3.5 કરોડની રકમ ભેગી થઈ હતી.

ઉર્વશી આજ સુધી ગૌશાળા માટે પોતાના કાર્યક્રમમાં કુલ 25 કરોડનું ફંડ ભેગુ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ઘણા પબ્લિક કાર્યક્રમોમાં પણ યાદગાર પર્ફોમન્સ આપી ચૂક્યા છે.ઉર્વશી રાદડિયા પોતાની ટેલેન્ટને કારણે ગુજરાતના અબીદા પરવિન તરીકે પણ જાણીતા છે. તો ફેન્સ તેમને કાઠિયાવાડની કોયલ કહે છે.

ઉર્વશી દૂરદર્શન, આકાશવાણી, ઈટીવી, સહિતના પ્લેટફોર્મ પર ટીવી કાર્યક્રમ પણ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી સાથે પણ સ્ટેજ શૅર કરી ચૂક્યા છે.ઉર્વશી રાદડિયા માયાભાઈ આહીર, સાઈરામ દવે અને ભજનીક લક્ષ્મણ બારોટ સાથે પણ કાર્યક્રમ કરી ચૂક્યા છે.

ઉર્વશી કહે છે કે ગુજરાતી લોકસંગીત લોકો સુધી પહોંચે એ જ મારો ઉદ્દેશ્ય છે.ઉર્વશીને હની સિંહના સ્ટાર પ્લસના રિયાલિટી શૉ માટે ઓફર આવી હતી, જો કે તેમણે આ ઓફર નહોતી સ્વીકારી.ઉર્વશીને સંગીત સિવાય પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. તેઓ ગીતો લખે પણ છે.

ઉર્વશીને ક્રિએટિવ કામ કરવા ગમે છે. તેમણે પોતાના ઘરનું ઈન્ટિરિયર જાતે ડિઝાઈન કર્યું છે. ઉર્વશીના ગીતો ‘મુજે મેરી મસ્તી’, ‘છાપ તિલક સાબ છીની’, ‘સૌરાષ્ટ્રના વાસી અમે પટેલ કાઠિયાવાડી’,’વીર વલ્લભને વંદન હજાર..’ તેમના જાણીતા ગીતો છે.