રાજ્યના ખેડૂતોની દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે પહેલાથી જ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે તેમના પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી, ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યાં છે, એક રૂપિયાથી લઈને બે રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો વારો આવ્યો છે, અહીના યાર્ડમાં માત્ર 2 રૂપિયે કિલોના ભાવથી વેપારીઓને માલ આપી દેવાનો વારો આવ્યો છે.
ગુજરાતના ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી રહ્યાં છે કે અમારે તમારા 6 હજાર રૂપિયા નથી જોઈતા ડુંગળીના ભાવ તો અપાવો, જેના પર અમારું જીવન છે.
ખેડૂતો 2 રૂપિયે કિલો ડુંગળી વેચી રહ્યાં છે પરંતુ દલાલો અને વચેટિયાઓ પાસેથી જ્યારે તે જ ડુંગળી માર્કેટમાં જાય ત્યારે તેનો ભાવ 12 રૂપિયા સુધી પહોંચી જાય છે, જો કે અહી સવાલ એ છે કે ખેડૂતો આટલી મહેનત કરીને ડુંગળી પકવે છે પરંતુ તેના યોગ્ય ભાવ કેમ નથી મળતા, સરકાર પણ આ દિશામાં કોઇ યોગ્ય પગલું ભરે તે જરુરી છે.