પેપ્સિ-કો કંપની સામે ગુજરાતના ખેડૂતોનું આંદોલન શરૂં

અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધવારતાં લેઈસ (Lay”s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે.
વેપારી અદાલતે વિનોદ પટેલ હરિભાઈ પટેલ અને છબીલ પટેલ નામના 3 ખેડૂતો પર બટાકા ઉગાડવા કે વેચવા પર 26 એપ્રિલ સુધી રોક લગાલી દીધી છે. અદાલતે આ ખેડૂતો પાસેથી જવાબ માંગેલો છે. ખેડૂતો માટે અહેવાલ તૈયાર કરવા માટે અદાલતે આદેશ આપ્યો છે.
2018 અને 2019માં આવા 12 જેટલા ખેડૂતો સામે વિદેશી કંપનીએ પગલાં લીધા છે. ડીસામાં એશિયામાં સૌથી વધું બટાકા ખેડૂતો ઉગાડે છે.
પેપ્સી-કોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. અમેરિકા અને કેનેડાના કેટલાયે ખેડૂતો જેલમાં છે. હવે ગુજરાતમાં તે જ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. અમેરિકન એમએનસી પેપ્સિકોએ તેની પેટાકંપની પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ દ્વારા ગુજરાતના ખેડૂતોને હેરાન કરવાનું શરૂ કર્યું છે. પ્લાન્ટની વિવિધતા અને ખેડૂતોના હકની અધિનિયમ 2001 (પીપીએવી અને એફઆર એક્ટ) હેઠળ કંપની દ્વારા મેળવેલા વિશિષ્ટ હકોના નામમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.
આ કાયદો ખરેખર બીજ અને અન્ય વાવેતર સામગ્રી ઉપર ખેડૂતોના હક ધરાવે છે, કંપનીએ ખોટા કેસ કર્યા છે. તેથી ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે.
આ વિષય પર, કેટલાક અગ્રણી ખેડૂત નેતાઓ, વૈજ્ઞાનિકોએ 24 એપ્રિલ 2019માં બપોરે 3 કલાકે વિરોધ કર્યો છે. જેમાં કપિલ શાહ – જાતન, સાગર રબારી, ખેડૂત એકતા મંચ, અંબુભાઇ પટેલ – ભારતીય કિશન સંઘ, ડો. રાજેન્દ્ર ખીમાણી, બદ્રીભાઇ જોશી – ગુજરાત ખેડૂત સમાજ, વિનય મકાનનો સમાવેશ થાય છે.
પેપ્સિ-કોએ કોર્ટને જણાવ્યું કે તે FL 2007થી રજિસ્ટર થયેલા બટાકાનો ઉપયોગ કરે છે. બ્રાન્ડના ચીપ્સના ઉત્પાદન માટે FL1867 અને Wischipની વેરાયટી છે. FL 2027ના અંડર પ્રોટેક્શન ઓફ પ્લાંટ વેરાયટી એન્ડ ફાર્મર્સ એક્ટ 2001 હેઠળ તેની નોંધણી કરેલી છે.
કંપનીને જાન્યુઆરીમાં આ અંગે જાણ થઈ હતી અને સીમલાની લેબમાં બટાકાની ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા તેમાં બહાર આવ્યું હતું કે ખેડૂતો આ કંપનીની મંજૂરી વગર બટાકા ઉગાડી રહ્યાં છે. ખેડૂતોને રોકવા માટે કંપનીએ માંગણી કરી છે. ગુજરાત સરકાર પર પણ દબાણ વધારી દીધું છે. સિમલા ખાતે બટાકાના નમૂના ફરીથી મોકલાશે અને અદાલત કમિશનર નિયુક્ત કરી શકે છે.