અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલાં આંદોલન તેઓ ભૂલી ગયા છે અને પ્રજાને હવે ખોટા માર્ગે દોરી રહ્યા છે.
શું હતા તેમના વાયદા અને વચનો ?
31 ઓક્ટોબરે 2011, મારૂતી સુઝુકીએ પોતાનો નવો પ્લાન્ટ મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ચુંવાળ પંથકમાં સ્થાપવાની જાહેરાત કરી હતી. અહીંના ભાજપના સાંસદ જયશ્રીબેન પટેલ રહ્યાં છે. તેના 6 વર્ષ પછી 6 જાન્યુઆરી 2017માં ગુજરાતના પ્રદેશ વાદી અને જ્ઞાતિ વાદી નેતા અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી ધમકી આપી હતી કે શક્તિ પીઠ બહુચરાજીની સુઝુકી અને હોન્ડા કંપનીમાં જો બેરોજગાર યુવાનો માટે 85 ટકા ગુજરાતના લોકોને નોકરીએ રાખવાની જાહેરાત નહિ કરો તો વાઇબ્રન્ટ ગુજરાત થવા નહીં દઇએ.
ગુજરાતમાં બેરોજગાર યુવાનોની બહુચરાજીથી રેલી કાઢી તેઓ અમદાવાદ આવ્યા હતા. સમાજના યુવાનો રોજગારી આપવાના મુદ્દે બહુચરાજીથી આ રેલી શરૂ કરાઈ હતી. ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી,એસ.સી અને એસ.ટી.એકતા મંચના હોદેદારો અમદાવાદના ગાંધી આશ્રમ તરફ બેરોજગાર યાત્રાનો આરંભ કરે તે પહેલા યાત્રાધામ બહુચરાજી આવ્યાં હતાં.
પોલીસ કાફલા સાડા પાંચ કિલોમીટર લાંબી રેલામાં 1500 બાઈક, 200 ફોરવ્હીલર અને 8 ટ્રક જોડાઈ હતી. અમદાવાદમાં પહોંચતા સુધી 10 હજાર લોકો જોડાયા હતા. અમદાવાદમાં વાહન વ્યવહાર ખોરવી નાંખ્યો હતો.
રેલીમાં પાટીદાર, ઠાકોર, ક્ષત્રીય, બ્રાહ્મણ સહિતના તમામ જ્ઞાતીના આગેવાનો એક મંચ પર હોવાથી આ રેલીમાં ‘જય ગુજરાત’ના નારા લાગ્યા હતા. રેલીમાં પોલીસે લોકોને રોકી દેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓને નોકરી આપે છે. અમારા માણસોને અહીં નહીં આવવા દો તો અહીં જલિયાવાલા બાગ થઇ જશે, તો પણ નહીં હટીએ.
બહારના લોકોને નોકરી નહીં આપવાની અને ગુજરાતના 85 ટકા લોકોને નોકરીએ રાખવાની 9 વાગ્યા સુધી સરકાર કોઇ જાહેરાત નહીં કરે તો વાઇબ્રન્ટ થવા નહીં દઇએ અને અહીંથી કોઇ હટશે નહીં. જો કોઇ જાહેરાત નહીં થાય તો આખા રાજ્યમાં ભાજપની કોઇ સભા થવા દઇશુ નહીં. સરકાર આજે યુવાનોનું કંઇ સાંભળતી નથી.
ગુજરાતમાં સ્થપાતાં ઔધોગિક એકમોમાં 85 ટકા સ્થાનિક બેરોજગારોને ભરવામાં આવે તેવી અમારી પ્રબળ માંગણી છે. સરકાર આ બાબતે ઉપેક્ષા રાખશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી રોકવા જઈશ. મને ગોળીએ વીંધી દેવો હોય તો વીંધી દેજો. કાં અમે નહી અને કાં તમે નહીં.
મારા ગુજરાતના યુવાનોને નોકરીઓ આપો નહીતર સિંહાસન ખાલી કરો, જેવી ચીમકી ઉચ્ચારી હતી. હાંસલપુર ગામે મારુતી પ્લાન્ટ સામે હજારોની સંખ્યામાં ઉમટી પડેલી ઠાકોર સેનાને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે, રાજયમાં દિનપ્રતિદિન બેરોજગારીનું પ્રમાણ વધી રહયું છે. શિક્ષિત બેરોજગારો રોજગારી માટે ઝઝુમી રહયાં છે.
વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૃપિયાના એમઓયુ કરવામાં આવી રહ્યાં છે. 85 ટકા સ્થાનિક બેરોજગારોને નોકરી આપવામાં આવે તેવી અમારી પ્રબળ માંગણી છે. બહુચરાજીમાં મારુતિ સુઝુકી, હોન્ડા જેવી અનેક કંપનીઓ સ્થપાઈ રહી છે. ત્યારે આવી કંપનીઓમાં 85 ટકા સ્થાનિક બેરોજગારોને ભરવામાં આવે અને આ માંગણી ક્ષેત્રે ઉપેક્ષા સેવવામાં આવશે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનો અને દેખાવો કરવામાં આવશે.
સભા બાદ મારુતિ સુઝુકી પ્લાન્ટનથી હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનો સાથે અમદાવાદ ગાંધી આશ્રમ તરફ કૂચ કરી હતી.
ગાંધીનગરમાં 9 ઓક્ટોબરના રોજ મહાસંમેલન યોજવાની જાહેરાત કરી હતી. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંઠણીમાં ચૂંટણીમાં ઓબીસી નેતાની સરકાર બનશે અને પોતે ચૂંટણીમાં 182 ઉમેદવારો ઉભા રાખશે એવી જાહેરાત કરી હતી. પણ ત્યારે કોઈ સમજી શક્યું ન હતું કે તે બેરાક લોકોને રાજરમતમાં ખેંચી રહ્યો છે અને મુર્ખ બનાવી રહ્યો છે.