અંધા કાનૂન : ગુજકોટોક કાયદાને 16 વર્ષ બાદ વિવાદાસ્પદ મંજૂરી

અમદાવાદ,તા:05

વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.
16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.

ગુજકોકનો ઈતિહાસ

ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં પહેલી વાર પસાર કર્યું હતું. જે પછી 16 વર્ષએ મંજૂરી આપવામાં આવી છે.

2004માં વાજપેયી સરકારે પરત કર્યું હતું બિલ

2004માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે વાજપેયી સરકારે તેમાં થોડો સુધારો કરવાની સલાહ આપી હતી. 2009માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આતંકવાદ વિરોધી કાયદાની ત્રણ જોગવાઈ પર આપત્તિ બતાવતા તેને પરત કર્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેને કેન્દ્રીય કાયદાના અનુરૂપ સંશોધન નથી કરતી તેને મંજૂરી કરવાની ભલામણ રાષ્ટ્રપતિને નહિ કરવામાં આવે.

16 વર્ષમાં ત્રણ વાર બિલ વિધાનસભામાં પસાર કરાયું

આ બિલને લઈને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ કમલા બેનીવાલ વચ્ચે વિવાદ થયો હતો. છેવટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના તર્કો સાથે સંતુષ્ટ થઈને તેને મંજૂરી આપી દીધી હતી. ગુજકોકને છેલ્લા 16 વર્ષોમાં ત્રણ વાર રાજ્ય વિધાનસભામાં પાસ કરાવાયું હતું. અંતિમવાર 2009માં તત્કાલિન કેન્દ્ર સરકારે તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરીની ભલામણ સાથે મોકલવાથી ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન રાજ્ય સરકારે સદનમાં હવે નવું સંશોધિત બિલ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ 2015 પાસ કરાવી દીધું હતું. જેમાં કેટલાક સંશોધન કરવામાં આવ્યા છે. સંશોધિત બિલમાં પણ પોલીસ પાસે વધુ તાકાત રહેશે.

છેવટે બિલને કાયદો બની શક્યો

ગુજરાત સરકારે પહેલાં આ બિલ વાગુ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પહેલીવાર 2003માં આ બિલને પાસ કરાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જે સમયે કેન્દ્રમાં એનડીએ સરકાર હોવાથી મોદીનું સપનું પૂર્ણ થઈ શક્યું ન હતું. હાલમાં મોદી સરકાર હોવાથી રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હવે ગુજરાતમાં કાયદો બની જશે.

નરેન્દ્ર મોદી સરકારે ૨૦૦૩માં મહારાષ્ટ્રના મકોકાની પેટર્ન પર ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજકોક)નું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું હતું. કાયદો પોટા અને ટાડા કાયદા જેવો છે જે પડતાં મૂક્યા છે.

જેને તત્કાલિક રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામે કેટલીક જોગવાઈઓ દૂર કરવાના સૂચન સાથે પરત મોકલ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે ફરી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલેલું વિધેયક પણ ૨૦૦૯માં પરત આવ્યું હતું.

ગુજકોકમાં કરાયેલી જોગવાઈઓ

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા

રાજકીય ઇચ્છા શક્તિથી સપનું જોયું હતું એ આજે સાકાર થયુ છે.
રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને પુરતું બળ પણ મળશે.
આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ),
ધાક ધમકીથી પૈસા પડાવવા,
પ્રતિબંધિત માલની દાણચોરી કરવી,
ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો,
ખંડણી માટે અપહરણ કરવા,
રક્ષણ માટે નાણાં વસુલવા,

નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.
સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે.
સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે.

બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.

2015માં વિધાનસભાએ પસાર કરેલો કાયદો 180 દિવસ સુધી કોઈને પણ જેલમાં પૂરી શકે એવો હતો.

કાયદાની જોગવાઈ મુજબ જુગાર અને દારૂને અંકુશમાં રાખવા, સંગઠનથી ગુના અને આતંક રોકવા માટે કરવામાં આવે છે. ગુનામાં સજાની જોગવાઈ મૃત્યુ અથવા આજીવન કેદ અથવા રૂ. 10 લાખ દંડની જોગવાઈ છે. આતંક અને સંગઠિત ગુના માટે તે દંડ કરવામાં આવે છે.

પોલીસ અધિકારી સમક્ષ વિડિયો ટેપ, ફિલ્મ જેવા માધ્યમથી આરોપીએ કરેલી કબૂલાત, ગુનાની કબૂલાતનો પુરાવો ગણાશે. કાયદો પોટા અને ટાડા કાયદા જેવો છે. જેનો સૌથી વધુ ગુજરાતમાં ઉપયોગ થયો છે. જો કાયદો પસાર કરવામાં આવશે તો જનતા માટે ખુબ ખતરનાક સાબિત થશે. કાયદાથી પોલીસનું મનોબળ વધશે અને તેના કારણે સામાન્ય ઘાયલને પણ ખોટા ગુનામાં સંડોવી દેશે. કાયદો પ્રજાની સલામતી માટે નહીં પરંતુ સરકારની સલામતી માટે છે જેથી કાયદોના અમલ થાય તે જરૂરી છે.