અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ

અંબાજી, તા.01 

અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. અંબાજી જવાના માર્ગ પર સોમવારે મોડી સાંજે એસ.ટી બસ તેમજ ખાનગી વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાતાં અંબાજી માર્ગેથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. બે ખાનગી કાર સહીત અમદાવાદ તરફથી અંબાજી જઇ રહેલી છોટાઉદેપુર અંબાજી એસટી બસ તેમજ બગસરા અંબાજી એસટી બસને અંબાજી થી 7 થી 8 કિલોમીટર દૂર ગનાપીપળીના ઢાળમાં મોડી સાંજે તોફાની શખ્સો દ્વારા પથ્થરમારો કરતાં આગળના ભાગના મુખ્ય કાચ તુટી ગયા હતા.જો કે ઘટનાને પગલે ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી બસને અંબાજી તરફ હંકારી દેતા જાનહાની ટળી હતી.