અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી

જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હતાં. ત્યા રે તા. પ-૧૧ થી ગત રાત્રી સુધી બંધ રહેલા મકાનમાંથી તસ્કરો ત્રાટક્યા હતા.આ પરિવાર મોડી રાતે અમદાવાદ થી આવતાં મકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડયુ હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી ગઇ હતી. દિપકભાઇના બે માળનાં મકાનની અગાસીનો દરવાજો ખોલી તસ્કરો ઉપરનાં માળનાં રૂમમાં પ્રવેશતા હતાં.અને કબાટ તોડી તેમાંથી રૂા. ૬.૯૦ લાખની રોકડ રકમ તેમજ સોનાના રૂા. બે લાખનાં દાગીના મળી કુલ રૂા. ૮.૯૦ લાખની માલમતાનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.