અજાણ્યા વાહનની અરફેટે દિપડાનું મોત

 

મોરબી,તા.06

મોરબીના વાંકાનેરના જાલીડા ગામ નજીક અકસ્માતમાં  દીપડાનું મોત  થતાં વનવિભાગ દોડતું થઇ ગયું છે.જાલીડા ગામના પાટિયા નજીક વાહન હડફેટે મોત નીપજ્યું હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યાં છે.વાંકાનેરના જાલીડા ગામ નજીકથી પસાર થતાં હાઇવે ક્રોસ કરતી વખતે  અજાણ્યા વાહનના હડફેટમા દિપડો આવતા મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વારંવાર દેખા દેતાં દીપડાને ઘણા સમયથી મોરબી વનવિભાગ પકડવા માટે માથામણ કરી રહ્યું હતું. પરંતુ આ દિપડો વનવિભાગના હાથમાં આવતો ન હત. આખરે તેનુ અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હતું. અગાઉ પણ ટંકારા નજીક અનેક ઘેટાં બકરાઓના શિકાર કર્યા હતા. જેથી ગામલોકો પણ સતત ભયમાં રહેતાં હતા. વનવિભાગે દીપડાના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે.