વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતીજાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં બદલાવ આવ્યો છે.
સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. ESL અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વચનનોની લહાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે,
સાબરમતી અભિયાન
ગાંધીજીની કર્મભૂમિ જ્યાં છે તેવી સાબરમતી નદીનું શુધ્ધિકરણ 5 દિવસ ચાલશે. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અને મિશન મિલીયન ટ્રીઝ – વૃક્ષારોપણ અભિયાન એ આ દિશામાનો જ એક અભિગમ છે એમ તેમણે ઉમેર્યું હતું. ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ થયો હતો. અમદાવાદના નદીના શુધ્ધિકરણ અને વૃક્ષારોપણના મહાઅભિયાનમાંથી સમગ્ર રાજ્યના શહેરો પ્રેરણા લેશે. નદીમાં માત્ર વરસાદનું પાણી વહેશે.
9મી જૂન, 2019 સુધી ચાલુ રહેશે. નગરજનો સવાર-સાંજ 1 કલાકનું યોગદાન આપશે. સાબરમતી સ્વચ્છ અભિયાનમાં 15 હજારથી વધુ નગરજનો જોડાયા હતા.
જેટ
અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસની 5 સભ્યોની સંયુક્ત ‘ જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’ – (JET)48 વોર્ડમાં ઇ-રીક્ષામાં ફરી શહેરમાં કાયમી ધોરણે સ્વચ્છતા અને વ્યવસ્થા ચકાસશે. જે શહેરમાં જાહેરમાં થુંકનાર, ગંદકી ફેલાવનાર, કચરો ફેંકનાર, દિવાલો પર પોસ્ટર લગાવનાર, આડેધડ પાર્કિંગ કરનાર, હંગામી દબાણ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરશે. જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (JET) માટેની 50 ઇ-રીક્ષાઓ શરૂ કરાવી હતી. ઇ-રીક્ષા આપનાર દાતાઓ-સંસ્થાઓનું સન્માન કરાયું હતું. આ પ્રયાસ દ્વારા અમદાવાદને વિશ્વ કક્ષાનું સ્વચ્છ – સુઘડ ને સુવિધાાપૂર્ણ શહેર બનશે.
રીસાયકલ નીતિ
રીસાયકલ-રીચાર્જ-રીડ્યુસની નીતિ આગામી દિવસોમાં બનશે. પ્રદૂષણ નિવારણ ક્ષેત્રે ગુજરાતને દેશનું દિશા ચિંધનારું રાજ્ય બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્યમાં આ વર્ષે 10 કરોડ વૃક્ષો વાવવાના છે. સમગ્ર રાજ્યનું ગ્રીન કવર વધારવું છે.
5 હજાર મેગાવોટ વીજળી
2019માં ગુજરાતમાં 5 હજાર મેગાવોટ વીજળી સોલાર એનર્જી દ્વારા ઉત્પાદન કરશે. કચ્છ થી દ્વારકા સુધી પવન ઉર્જા ઉત્પાદિત કરવાનો ધ્યેય રાખ્યો છે. રીન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને દેશ-વિશ્વમાં નમૂનેદાર રાજ્ય બનશે.