અમદાવાદમાં 7 ભૂવા પડ્યા, 30 પડવાના બાકી

2019માં અમદાવાદમાં 7 ભૂવા પડી ગયા છે. તેના કારણો જાણી શકાતા નથી. વર્ષ 2018માં અમદાવાદમાં ચોમાસુ સીઝન દરમિયાન 32 જેટલા ભૂવા પડયા હતા.અને આજે ચોમાસુ વિધિવત શરૂ થયાપહેલા પાંચ ભૂવા પડી ચુક્યા છે. શહેરના જે અલગ-અલગ માર્ગો પર ભૂવા પડે છે તેના કારણો અલગ-અલગ હોય છે જો કે વધારે સંખ્યા ચોમાસામાં સામે આવતી હોય છે. આ વચ્ચે એક ભૂવા ના સમારકામ પાછળઅંદાજે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે.રસ્તાની વચ્ચો-વચ્ચ પડેલા ભૂવા નો વ્યાપ, કારણ જાણવા પણ વધારવો પડતો હોય છે ક્યારેક જૂની ડ્રેનેજ પાઇપ લાઈન કારણભૂત હોય શકે છે એટલે પડતા ભૂવાનીકિંમત અઢીથી ત્રણ લાખ થયા પણ સમારકામ કરાવવા જતા પાંચેક લાખ રૂપિયા થઇ જતા હોય છે. અમદાવાદનો વિસ્તાર 464.16 ચોરસ કિલો મીટર છે અને વસ્તીનો અંદાજ 6,352,254 છે.