અમરેલી શહેરનાં બિન રાજકીય આગેવાનોએ શહેરીજનોનાં સંગાથે વિકાસ કરવાનો દ્રઢ સંકલ્પ કરીને અમરેલી બચાવ નાગરિક અભિયાન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ડો. ભરત કાનાબાર, પી.પી. સોજીત્રા સહિતનાં આગેવાનો ઉપરાંત શહેરનાં ખ્યાતનામ તબીબો, એડવોકેટ, વેપારીઓ, સામાજિક સંસ્થાનાં પ્રતિનિધિઓ વિગેરે ઉત્સાહભેર જોડાઈ રહૃાા છે અને આગામી 3 દિવસ સુધી સહી ઝુંબેશ, રેલી, ધરણા, શહેરબંધ જેવા કાર્યક્રમો યોજીને શહેરનાં બિસ્માર માર્ગો, ઉડતી ધુળ, ટ્રાફીક સહિતની સમસ્યા અંગે તંત્રનું ઘ્યાન દોરવાનો પ્રયાશ કરવામાં આવશે. આ અભિયાનને શહેરીજનો પણ સારૂ એવું સમર્થન આપી રહૃાા છે અને શહેરનાં આ અભિયાનથીશહેરનાં અનેક પ્રશ્નોનું નિરાકરણ થવાની સંભાવનાઓ પણ ઉભી થઈ છે.