જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી લડતો અટકાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરવા માંગતી હોય એવું જણાય રહ્યું છે. બાકી 4 વર્ષ પહેલાની ઘટના ફરીથી વિધાનસભામાં રજૂ કરવાની કોઈ જરૂર ન હતી. આમ ભાજપ સરકારે ફરી એક વખત પાટીદારોને કાયદાથી ધમકી આપીને આંદોલનને છેડવાનો પ્રયાસ કર્યો છે. અલ્પેશ કથિયારીયાને જેલમાં મોકલીને સરકાર હવે વિધાનસભામાં જૂના ઘાવ તાજા કરી રહી છે.
10 વર્ષમાં અનેક મિલકતો સળગી પણ ભાજપના નેતાઓને સજા નહીં
કિસ્સાઓમાં ભારત સરકારના ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એકટ 1984ની જોગવાઇ મુજબ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. પાટીદાર આંદોલમાં મિલકતોને નુકસાન કરવાના 289 ગુના નોંધાયા છે. 1985થી 1997 સુધી ભાજપે જાહેર આંદોલનો સરકાર વિરૃદ્ધ કરીને બંધના એલાન આપીને જાહેર મિલકતોને પારાવાર નુકસાન કર્યું હતું જેમાં એક પણ નેતાને 10 વર્ષની કેદ થઈ નથી.
સરકારી મિલકતને નુકસાન કરે તો 5 વર્ષની સજા
જાહેર સંપત્તિને નુકશાન કરે તો 5 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. પાણી, લાઇટ, અગત્યના ઓઇલ-પેટ્રોલ ઇન્સ્ટોલેશન,બિલ્ડીંગ, ગટર, ખાણ, ફેકટરી, જાહેર પરિવહન, ટેલિકોમ્યુનિકેશન્સના સ્ટ્રકચરને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ઓછામાં ઓછી 6 માસની અને સધુમાં વધુ 5 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. તેવું વિધાનસભામાં જૂની વાત ફરી ઉવેખી છે.
સરકારી મિલકત સઘલાવે તો 10 વર્ષની સજા
જયારે જાહેર મિલકતને સળગાવી દેવાના અથવા વિસ્ફોટોથી નુકશાન પંહોચાડવાના કિસ્સામાં ઓછામાં ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. આરોપી કસ્ટડીમાં હોય તો પ્રોસીકયુશનને રજૂઆતની તક આપ્યા સિવાય તેના જામીન પણ મંજૂર કરી શકાતા નથી.
ભાજપને હરાવી ન શક્યા એટલે પાટીદારોનું આંદલન
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે 20 વર્ષથી સીધી રીતે ભાજપને હરાવી શકતા નથી એટલે કેટલાક તત્વો દ્વારા રાજકીય લાભ અને અંગત સ્વાર્થ ખાતર વર્ગો-વર્ગો વચ્ચે મનભેદ અને મતભેદ ઉભા થાય તેવા પ્રયાસો પાટીદાર અનામત આંદોલનના નામે કરવામાં આવ્યા હતાં.
પાટીદારો સામે 289 ગુના મિલકતો અંગે કેસ
પાટીદાર અનામત આંદોલનના સમયગાળા દરમિયાન રાજયમાં 537 ગુનાઓમાંથી 289 ગુના જાહેર મિલકતને નુકસાન કરવા અંગેના છે. જેમાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓમાં તોડફોડ કરવી, આગ લગાડવા અંગેના તથા સરકારી વાહનોને સળગાવવાના અથવા નુકસાન કરવા અંગેના ગુનાઓ સામેલ છે, તેમ સરકારે જાહેર કર્યું હતું.
172 પોલીસ વાહનો તૂટ્યાના કેસ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન તોફાની તત્વો દ્વારા 358 ST કે BRTSની બસો તથા બસ સ્ટેન્ડ સહિત અંદાજે રૂ.30 કરોડનું નુકશાન કરવામાં આવ્યું હતું. આ સિવાય 172 પોલીસ વાહનોના તોડફોડમાં અંદાજે રૂ.67 લાખનું નુકશાન થયું હતું. 147 પોલીસ ચોકી કે સરકારી કચેરીઓને અંદાજે રૂ.9.56 કરોડનું નુકશાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલ્વેની મિલકતને પણ નુકશાનના ગુનાઓ પણ નોંધાયા છે. વિધાનસભામાં આમ કહ્યું હતું.
પોલીસનું મોત ગણાવ્યું પાટીદારોના 14 મોત નહીં
પાટીદાર અનામત આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીની ફરજ દરમિયાન એક પોલીસ કર્મચારીનું મૃત્યુ પણ થયું હતું તેમજ 24 પોલીસ કર્મચારીઓને ગંભીર પ્રકારની જયારે 194 પોલીસ કર્મીઓને સામાન્ય પ્રકારની ઇજાઓ થવા પામી હતી, તેમ તેમણે ઉમેર્યુ હતું. પણ પાટીદારોના ઘરમાં જઈને પોલીસે અત્યાચાર કરેલો અને 14 પાટીદારના મૃત્યુ ગોળીબારથી થયા હતા તે વાત તેમણે કહી નથી. તેનો મતલબ કે સરકાર હવે પક્ષપાતી બની રહી છે. તમામ બનાવોમાં The Prevention of Damage to Public Property Act, 1984 ની જોગવાઇઓ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. તેમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ કહ્યું હતું.
ઈ.સી.2018માં અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 2, સુરત શહેર 2, અમરેલી જિલ્લામાં 5, ભાવનગર જિલ્લો 4, બોટાદ જિલ્લો 4, દાહોદ જિલ્લો 1, દેવભૂમિ દ્વારકા 1, જામનગર જિલ્લો 1, જૂનાગઢ 2, કચ્છ(પશ્ચિમ) 1 એમ કુલ 25 ગુના નોંધાયા છે. તેમ ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું હતું.
હવે સરકાર જે મુદ્દે મૌન છે તે અહીં આપવામાં આવ્યા છે. જેનો ભાજપની ત્રણ સરકારોએ જવાબ આપ્યો નથી. હવે આપવો જોઈએ.
GMDC મેદાન અને પાટીદારો પર દમન અંગે મૌન
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર દમનની શરૂઆત કરીને ટીવી પર લાઈવ બતાવાયા બાદ તોફાનો થયા હતા. તેમાં આનંદિબેન પટેલે જાહેર કર્યું હતું કે પાટીદારો પર દમન કરવાનો આદેશ તેમણે નહોતો આપ્યો. તો પછી આદેશ આપનાર અને ઘટના પાછળ જવાબદાર રાજકારણી કે પોલીસ અધિકારીનું નામ કેટલી વાર પૂછવા છતાં હજુ જાહેર નથી થયું. એનો સીધો મતલબ કે કોઈ બહુ મોટી વ્યક્તિ એની પાછળ છે. જનરલ ડાયર છે.
પોલીસ દમનની 200થી વધું વિડિયો છતાં કોઈ પગલાં નહીં
પાટીદારોના ઘરમાં જઈને અત્યાચાર કરનાર પોલીસની 200થી વધું વિડિયો ફિલ્મો છે. તે અંગે ફરિયાદો પણ કરી છે. તેમ છતાં તે અંગે સરકારે આજ સુધી કોઈ તપાસ કરી નથી કે, કોઈ પોલીસ સામે પગલાં પણ લીધા નથી. જે માટે જનરલ ડાયર અને તેમના ચમચા જવાબદાર છે. રાત્રે અમદાવાદની ઘણી પાટીદાર બહુમત ધરાવતી સોસાયટીમાં પોલીસના વેશમાં આતંકીઓએ હુમલો કર્યો. પાટીદારોના ઘરમાં તોડફોડ કરી. હજારો ગાડીઓના કાચ તોડી નાખ્યા. પાટીદારો ને એવું કહ્યું કે ‘અનામત જોઈતું હોય તો તમારી માં-બહેનો ને મોકલો.’ જાણે કે કોઈ એક જ્ઞાતિના પોલીસવાળા પાટીદારો પર ‘અનામત માંગવાના’ ગુના માટે લાઠીચાર્જ કરતા હોય. આટલા અત્યાચારો છતાં કોઈ કાર્યવાહી કે તપાસ પણ કરવામાં આવી નથી.
લાઠીઓ મારી પણ સરકાર કહે છે કોઈ લાઠીચાર્જ થયો નથી
તપાસ થઈ અને છેવટે એવું જાહેર કર્યું કે GMDC ગ્રાઉન્ડમાં લાઠીચાર્જ થયો જ નથી. વિડીઓ દરેક ન્યુઝ ચેનલ પર આપણે ગુજરાતની જનાતાએ જોયા હતા. તો શું તે કાશ્મીરીઓ હતા.
9ના મોત
તોફાનોમાં 9 પાટીદારો મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ માટે ગુજરાતના કોઈ ભાજપના નેતાએ શોક પ્રગટ ના કર્યો, ના વિધાનસભામાં મૌન પાળવામાં આવ્યું. પોલીસ સામે કોઈ પગલાં ન લેવાયા. શ્વેતાંગ પટેલનું પોલીસ લોકઅપ માં મૃત્યુ થયું. એના જવાબદાર 2 પોલીસવાળા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું પછી શું થયું ? પાટીદારો ને શોધી શોધી ને પકડ્યા હતા. પણ દોષિત પોલીસ અધિકારીઓને પકડ્યા નહીં. ઘણી જગ્યાએ તો એવું પણ સામે આવ્યું છે કે પટેલ અટકવાળા હોય એટલે પકડી લીધા છે. આજે પણ પટેલ આંદોલન કરે તો પકડે છે. બીજા આંદોલન કરે તો પકડવામાં આવતાં નથી.
જેલમાં પેશાબ પીવડાવ્યો
જે પાટીદારોને પકડ્યા તેમને જેલમાં પાણી પણ આપવામાં આવતું નહોતું. પાણી માંગે ત્યારે પેશાબ પીવાનું પણ કહેલું છે. કાશ્મીર કરતાં ગુજરાતમાં સ્થિતી ખરાબ છે. દરેક શહેરમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી હતી. શું ગુજરાતની સરકાર કાશ્મીરની સરકાર છે.
સભાઓની મંજૂરી બંધ
પાટીદારોની કોઈ પણ સભાને મંજુરી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પાટીદાર નેતાઓને મનફાવે તેવા ગુનામાં ધરપકડ કરવામાં આવે છે. થાળી વેલન વગાડી વિરોધ કરે તો તેમના પર પણ ગુના નોંધાયા છે. વિરોધ કરવા માટે આમરણ ઉપવાસની મંજૂરી પણ નહીં. તેનો સીધો મતલબ કે તમને ન્યાય નહીં આપીએ અને અન્યાય વિરોધ પણ નહીં કરવા દઈએ. આવો અન્યાય થતો હતો ત્યારે સહન ન થતાં ઉમેશ પટેલે આત્મ હત્યા કરી હતી. તેણે ચિઠ્ઠી લખીને ગયો કે કેમ આત્મહત્યા કરવા મજબૂર થયો હતો. તેની સ્મશાન યાત્રામાં પાટીદારોને વધુ સંખ્યામાં જોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
સામે ફરિયાદ ન લીધી
GMDCની ઘટના બાદ અમદાવાદમાં શરૂઆતના 4 ગુના નોંધાયા તેમાં કોણ રાજકીય કાર્યકરો હતા તે જાહેર થયું નથી. સુરતના અમરોલી વિસ્તારમાં ગોપીનાથ સોસાયટીમાં પાટીદારો પર તોફાનો વખતે અમુક બીજી જ્ઞાતિના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ લખાવવા ગયા ત્યારે પોલીસ અધિકારીઓએ ફરિયાદ લેવાની ના પાડી દીધી. જેના કારણે આખી સોસાયટીના મહિલાઓ અને પુરુષોએ મજબૂર થઈને પહેલા વરાછા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ કમિશ્નર કચેરીએ સમૂહમાં જવું પડ્યું હતું. પાટીદારોને તો વગર ફરિયાદે પકડી લીધા હતા તો આની ફરિયાદ લેવામાં આટલો વિલંબ કેમ કરવામાં આવ્યો ? આવી અનેક ઘટનાઓ સમગ્ર રાજ્યમાં બની હતી.
આંદોલન કચડવા માટે હાર્દિકને એવા ગુનામાં ફીટ કરી દો. જીવનભર જેલ ના સળિયા ગણતો રહે અને આવો બીજો કોઈ હાર્દિક ક્યારેય અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત ના કરે. આ તાનાશાહી સરકાર છે.
ફટાકડા ફોડ્યા તો ગુનો
ભાજપ બિહારમાં હાર્યું ત્યારે પાટીદારોએ વરાછામાં ફટાકડા ફોડ્યા તો 40 લોકો પર જાહેરનામા ભંગનો ગુનો લગાવી દીધો. ભાજપ ફટાકડા ફોડે છે તો તેમની સામે ક્યારેય ગુના નોંધાતા નથી. સરકાર ઉથલાવવાના ગુના નોંધ્યા પણ નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે ફલાણી સરકારને ઉથલાવી દો. ત્યારે તેમની સામે કોઈ ગુનો કેમ નહીં. 2014માં મોદીની કેન્દ્ર સરકાર બનાવવા ખોબલે ભરીને મત પાટીદારો આપ્યા હતા. હવે ઘરના વ્યક્તિએ જ પીઠ પાછળ છુરી મારી હતી.
અમિત શાહ શું કહે છે
અડીખમ ગુજરાત ટાઉનહોલ કાર્યક્રમમાં 10 સપ્ટેમ્બર 2017માં અમિત શાહે પ્રથમ વખત પાટીદાર અનામતને લઈ પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે ગુજરાતમાં સરકાર બનાવવી હતી એટલે કહ્યું હતું કે, પાટીદાર આંદોલન રાજકીય પાર્ટીઓથી પ્રેરિત હતું. પરંતુ હવે આ આંદોલન બંધારણીય પ્રક્રિયામાં આગળ વધવું જોઈએ. તેનો શું મતલબ.
ગુજરાત સરકાર પક્ષપાતી બની ગઈ છે.