અમીરગઢના ચૌહાણગઢ ગામે બાઈક ચાલકને ધમકી

અમીરગઢ. તા.૩૧

અમીરગઢના ચૌહાણગઢ ગામે શનિવારે ભરતસિહ હીરસિહ ચૌહાણ બાઈક લઇ મજુરો લેવા જઇ રહ્યા હતા.તે સમયે મહાદેવના મંદીર નજીક 4 શખ્સોએ રસ્તો રોકી તારા બાપનો રસ્તો છે. અહી આંટા ફેરા મારે છે, કહી લાકડી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ભરતસિહએ ગીરીરાજસિહ પ્રતાપસિહ ચૌહાણ, કિશનસિહ પ્રતાપસિહ ચૌહાણ, સચિનસિહ દલપતસિહ ચૌહાણ અને કરણસિહ દલપતસિહ ચૌહાણ સામે અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.