એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયોમાં ફેરવાઈ જશે. જે A-2 દૂધ આપે છે. પહેલી જેનરેશનમાં 50 ટકાનું પરિવર્તન આવશે, બીજી વિયાણમાં 87 ટકા સુધી જશે અને ત્રીજી વેતરમાં 90 ટકા ભારતીય ગીર ગાય બની જશે. અમેરીકાની 95 મીલીયન ગાયો ભારતીય બની જશે. એક મીલીયન બરાબર 10 લાખ. 9 કરોડ ગાયો અમિરીકામાં જર્શી પ્રકારની છે.
ગુજરાતમાં બધી મળીને કુલ 24 લાખ ગાયની વસતી છે. ગુજરાતમાં દર વર્ષે લાખો ગાયોને જર્સી જાયો કે વર્ણ શંકર ગાય પેદા કરવામાં આવી રહી છે. 9,73,000 ગાય ક્રોસ બ્રિડની છે. ગુજરાતની મૂળ ગાયોની વસતી 13,55,000 છે. પહેલા ગુજરાતની કુલ વસતીમાં જર્સી ગાય વધું હતી હવે તે ઘટી રહી છે.
જર્સી ગાય
ગીર ગાય
ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલવામાં આવશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે, જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરવામાં આવશે. અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના અધિકારીઓ અને પશુપાલકોને ગીર આખલાના સીમન ખરીદવામાં રસ છે.
કામધેનુ આયોગની ટીમ અમેરિકા ગઈ તો, ત્યાંના સંશોધનકર્તાઓએ ગીર ગાય પ્રત્યે ભારે રસ દૃાખવ્યો હતો. અમેરીકાને એવી ગાયો જોઈએ છે જે લાંબા સમય સુધી દૂધ ઉત્પાદૃક બની શકે. ત્રણથી ચાર મહિનાની અંદર વિર્ય આપવાનું શરૂ થઈ જશે.
ભારતીય ગાયોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોવાથી તેનો નિભાવ ખર્ચ પણ ઓછો હોય છે. જો અમેરિકાએ તેમની ગાયોને ભારતીય આખલાના સીમનથી ગર્ભાધાન કરાવવાનું શરૂ કરશે તો તે ગાય આધારિત અર્થતંત્ર માટે બજારો પણ ખોલવામાં આવશે. સીમનના એક ડોઝની કિંમત ૧ હજારથી ૧૫૦૦ રૂપિયા સુધીની હશે. જો તેમના વાછરડાં મજબૂત થાય છે તો સીમનના એક ડોઝની કિંમત ૫ હજાર રૂપિયા સુધી પહોંચશે
ત્રીજી જેનરેશન બાદ સંપૂર્ણ રીતે ભારતીય ગાય બની જશે.
અમેરીકાએ ગીર ગાયોને પ્રાધાન્ય આપ્યું જેમનું આયુષ્ય આશરે 15 વર્ષ છે જ્યારે અમેરિકામાં સામાન્ય ડેરી ગાયો 5થી 6 વર્ષ જીવે છે. ભારતીય ગાયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા વધારે હોય છે અને તેનો નિભાવ ખર્ચ પણ ઓછો છે.
ત્રણકે ચાર જનરેશન પછી, જર્સી ગાયો કે જે A-1 દૂધ આપે છે તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયોમાં ફેરવાઈ જશે જે A-2 દૂધ આપે છે. એમ આયોગના અધ્યક્ષ વલ્લભ કથિરીયાએ જાહેર કર્યા બાદ હવે કાર્યવાહી આગળ વધી છે.
કેમ અમેરીકા પોતની ગાયથી ડરી ગયું
સમગ્ર વિશ્વમાં અત્યારે જર્સી ગાયની બોલબાલા છે. રિસર્ચ પ્રમાણે જર્સી ગાયના છાણમાં પેથોજન્સ ટાઇપના જીવાણું હોય છે જે મનુષ્ય અને પ્રાણીઓમાં રોગ ફેલાવવા માટે કારણભુત બની શકે છે. જર્સીગાયનું દુધ મનુષ્ય માટે જોખમી હોવાનું પણ એક રિસર્ચમાં પ્રસ્થાપિત થયુ છે. આ ગાયના દુધમાંથી એ-૧ બીટાકેસીન ટાઇપનું પ્રોટીન મળ્યુ છે. જે માનવ આરોગ્ય માટે જોખમી હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવુ છે. જ્યારે તેની સરખામણીમાં દેશીગાયના દુધમાંથી એ-૨ બીટાકેસીન ટાઇપનું પ્રોટીન મળ્યુ છે. જે ખુબજ લાભદાયી છે. તેમાં પણ ગુજરાતની ગીર અને કાંકરેજ ગાયનું દુધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.
ઝીરો બજેટ આદ્યાત્મીક ખેતીના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકરે પણ ગાયના છાણમાં વર્ષો સુધી કરેલા રિસર્ચ પ્રમાણે ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા જીવાણું હોય છે, જે જીવાણું ખેતીની ફળદ્રુપતા માટે ઉપયોગી છે. જ્યારે જર્સીગાયના છાણમાં એક ગ્રામમાં માત્ર ૧૭ લાખ જીવાણું છે. જે પૈકી મોટાભાગના રોગયુક્ત છે. એટલેકે, આ જીવાણુઓ મનુષ્ય અને પ્રાણીઓમાં રોગ ફેલાવે છે. આ જીવાણુને પેજોજન્સ ટાઇપના જીવાણુ કહેવાય છે. જે જમીન અને પાણીના સંપર્કમાં આવવાથી પણ રોગફેલાવી શકે છે. એટલેકે, જર્સી ગાય દુધ અને છાણની દ્રષ્ટિએ દેશીગાય કરતા ખુબજ નિમ્ન છે.
બ્રાઝિલ વિશ્વમાં સૌથી વધુ ગીરગાય ધરાવતો દેશ
ગીર ગાયનું મુળ ગુજરાત હોવા છતા સમગ્ર વિશ્વમાં ગીરગાયની વસતી સૌથી વધુ બ્રાઝિલ દેશમાં છે. એટેલેકે, ભારત ગીર ગાયની મહત્તા આંકવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે બ્રાઝિલે ગીર ગાયની ઉપયોગીતા સમજી છે. ગીરગાયની પ્રજાતિને બ્રાઝિલમાં સંવર્ધન કરવામાં આવી રહ્યુ છે. સત્તાવાર આંકડા પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ ગીર ગાય ધરાવતો દેશ બ્રાઝિલ છે. એક સમયે બ્રાઝિલની ગણના વિકસીત દેશ તરીકે થતી હતી. તેનું અર્થતંત્ર નબળુ હતું. પરંતુ ગીરગાયની ઉપયોગીતા બાદ બ્રાઝિલનું અર્થતંત્ર પાટા પર ચડયુ છે અને આજે બ્રાઝિલ વિકસીત દેશ તરીકે જાણિતો છે.
દૂધનો ધંધો
ગુજરાત રાજ્યમાં ૧૦૧ લાખ પરિવાર પૈકી ૪૨ લાખ પરિવાર (૪૧.૫૮%) પશુપાલન વ્યવસાય સાથે સકળાયેલા છે અને તે પૈકી ૧૩.૬૦ લાખ પરિવાર (૧૩.૪૬%) ગરીબી રેખા નીચે જીવતા પરિવાર છે. જેના માટે પશુપાલનનો વ્યવસાય તેમના કુટુંબ માટે એકમાત્ર આજીવિકાનો સ્રોત છે. રાજ્યની આવકમાં પશુધન ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો છે, કારણ કે પશુધન પેદાશ અને આડ-પેદાશના ઉત્પાદનમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં પશુધન ક્ષેત્રમાંથી વર્ષ ૨૦૧૨-૧૩ના અંદાજોમાં રૂ. ૩૧,૦૨૪ કરોડની આવકનો અંદાજ છે. ર૦૦૭ની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે ર૦૦૩ની પશુધન વસ્તી ગણતરીની સરખામણીમાં કુલ પશુધન વસ્તીમાં ૮.પપ% અને મરઘાં વસ્તીમાં ૬૪%નો વધારો નોધાયેલ છે. વર્ષ ર૦૧૨-૧૩માં રાજ્યમાં દૂધ ઉત્પાદન ૧૦૩.૧૫ લાખ મે. ટન નોધાયેલ છે, જે વર્ષ ર૦૧૧-૧૨ની સરખામણીએ પ.૦૭%નો વાર્ષિક વૃદ્ધિ દર સૂચવે છે. વર્ષ ર૦૧૨-૧૩ માં દેશનુ કુલ દૂધ ઉત્પાદન ૧૩૨૪ લાખ મે. ટન હતુ જે ગત વર્ષની સરખામણીએ વાર્ષિક વૃદ્ધિ દર ૩.૫૪% દર્શાવે છે.