આનંદીબેનને મોદીએ કેમ હાંકી કાઢ્યા તે રહસ્ય અકબંધ રહ્યું

નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમની પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર આનંદીબેન પટેલે 1 ઓગસ્ટમાં એકાએક રાજીનામું ફેસબુક પર આપીને તમામને ચોંકાવી દીધા હતા. સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તેણે રાજીનામું મોદીએ કેમ માંગી લેવામાં આવ્યુ તે રહસ્ય આજે 17 ઓક્ટોબર 2018ના દિવસે પણ અકબંધ છે. આનંદીબેને મોદીને અમિતશાહની ગુપ્ત ફાઈલ પહોંચાડી તેમાં એવું તે શું હતું કે નરેન્દ્ર મોદીએ  આનંદીબેનનું રાજીનામું લઈ લેવું પડ્યું હતુંઅને  અમિત  શાહને નવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બેસાડવા અમદાવાદ મોકલવા પડ્યાં હતાં

આનંદીબેન પટેલને વ્યાપક નારાજગીનો સામનો કરવો પડી રહ્યો હતો. એકપછી એક પડકારો આનંદીબેન સામે આવ્યા હતા. જેમાં પહેલા પાટીદાર સમુદાયના અનામતને લઈને આંદોલન અને હાલમાં જ દલિત સમુદાય દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે. આજે ફેસબુક પોસ્ટમાં મુખ્યમંત્રીએ લખીને પાર્ટી લીડરશીપમાં મુખ્યમંત્રી પદના હોદ્દાથી તેમને મુક્ત કરવા અપીલ કરી હતી.છેલ્લા ૨૪ કલાકમાં ધડાધડ નિર્ણયો લીધા બાદ આનંદીબેન પટેલે ફેસબુક પોસ્ટ લખી પોતાને મુખ્યમંત્રી પદેની જવાબદારીથી મુક્ત કરવા ભાજપ હાઈકમાન્ડને અપીલ કરી છે. તેમણે બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી. તેઓ મુખ્યમંત્રી પદે રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલને મળવા ગયા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના પ્રધાનમંડળના કે પક્ષના પ્રદેશ સંગઠનના સાથીદાર સાથે કોઇપણ પ્રકારની ચર્ચા કર્યા સિવાય સીધો ફેસબુક ઉપર જ તેમના રાજીનામાની ઇચ્છા દર્શાવતો પત્ર પોસ્ટ કરી સૌને ચોંકાવી દીધા છે. જો કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આનંદીબેનનો પત્ર મળ્યો હોવાનો ખુલાસો કર્યો હતો અને આ પત્ર ભાજપની સંસદીય બોર્ડની બેઠક સમક્ષ રજૂ કરીશ અને ત્યારબાદ સંસદીય બોર્ડ આનંદીબેનના રાજીનામાના પત્ર અંગે નિર્ણય લેશે તેમ મિડિયાને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે ૭૫ વર્ષથી વધુ ઉંમર ધરાવનાર ભાજપના પ્રધાનો, મુખ્યમંત્રીઓ વગેરેને તેમની મુખ્ય જવાબદારીઓમાંથી મુક્ત કરવાનો અગાઉ નિર્ણય કર્યો હતો જેને અનુસરી આનંદીબેન પટેલે આ રાજીનામુ આપ્યું હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો સરેઆમ અભાવ જણાતા ભાજપને ગત ચૂંટણીઓમાં ગ્રામ્ય કક્ષાએ ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતા આવતા રાજકીય વૈમનસ્યને લીધે ગુજરાતમાં ભાજપની સ્થિતિ દિનપ્રતિદિન નબળી પડતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બંને દિગ્ગજ આગેવાનો સમક્ષ પોતાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમ છતાં બંનેમાંથી એક પણ નમતુ જોખવા તૈયાર થયા ન હતા. આનંદીબેન પટેલે અનેક અવરોધ અને સામા રાજકીય પવન વચ્ચે સરકારના એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો જાહેર કરી એક તરફ પ્રજામાં પોતાની લોકચાહના ઉભી કરી હતી. ત્યાં બીજી તરફ આનંદીબેન સરકારને હંમેશા ડિસ્ટર્બ રાખવા પર્દા પાછળ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચાલતી ખતરનાક રાજકીય સાજિશોથી મુખ્યમંત્રી ભારે આહત થયા હતા. રાજ્યમાં પાટીદાર આંદોલન બાદ હવે દલિત આંદોલનનો રાજકીય લાભ ઉઠાવી આનંદીબેનને સત્તા પરથી ઉથલાવી પાડવા પક્ષમાં રહેલા તેમના વિરોધીઓ ખુબ સક્રિય બન્યા હતા ત્યાં આનંદીબેન પટેલે  વિરોધીઓના ચારેય ખાના ચીત કરી ૭૫ વર્ષના ઉંમરના પાર્ટીના નિર્ણયને આગળ ધરી ગૌરવભેર પોતાના રાજીનામાનો પત્ર સૌપ્રથમ જનતા સમક્ષ જાહેર કરી વિરોધી અમિત શાહને ભારે વજ્રઘાત આપ્યો હતો. આનંદીબેન પટેલના રાજીનામાના પત્ર બાદ હવે ભાજપમાં શું થશે તેની જબરદસ્ત ચર્ચા અને અટકળોએ ભારે રાજકીય ઉત્તેજના જગાવી હતી. તેમના અનુગામી મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણી, પુરુષોત્તમ રૃપાલા અને નીતિન પટેલના નામની ચર્ચા ચાલી રહી હતી ત્યારે બીજી તરફ દલિત નેતા તરીકે રમણ વોરાનું નામ હતું. ભાજપનું સંસદીય બોર્ડ આનંદીબેન પટેલના રાજીનામા અંગે જ્યાં સુધી નિર્ણય લેશે નહીં ત્યાં સુધી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે તેમની ફરજ યથાવત બજાવશે તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૃપાણીએ આજે જણાવ્યું હતું. પણ ત્યારે દિલ્હીથી અમિિ શાહ અને નરેન્દ્ર મોદી નક્કી કરી ચૂક્યા હતા કે મુખ્યમંત્રી તરીીકે આનંદીબેન નીીતિ પટેલને ઈચ્છે છે તેના બદલે અંગુઠા છાપ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાાવવા. આખરે એમજ થયું.