ઈંદિરા પુર પર કચરાનો ઢગલો

ગાંધીનગર : અમદાવાદ એરપોર્ટરોડ ઈન્દીરાબ્રીજના ફુટપાથ પર પૂજા કરીને ફેંકવામાં આવેલા કચરાના ઢગલા કરી દેવાતાં ચાલકોને પરેશાની થઈ રહી છે. અમપા દ્વારા કોઈ પગલાં ભરાતાં નથી.અમદાવાદના પ્રવેશ દ્વાર સમાજ આ પુલ પર કચરાના ઢગલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂએ છે. પણ તેઓ પ્લેનમાં બેસવાની ઉતાવળમાં હોવાથી પગલાં લઈ શકતા નહીં હોય. આ રોડ ઉપર દિવસ દરમ્યાન અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓની અવર જવર રહે છે. છતાં કોઈ ની નજર આવા કચરાઓ ઊપર પડતી નથી, એમાં કોઈને રસ નથી. લોકોએ સ્વચ્છતાં જાળવીને અહીં કચરો ન નાંખવો જોઈએ એવું અહીંથી પસાર થતાં લોકો માની રહ્યાં છે.