પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના ખેડૂતોએ પ્રિમિયમ ભરેલું હોવા છતાં કૃષિ પાક નિષ્ફળ જવા છતાં 100 ટકા વીમો મળવો જોઈતો હતો તે મળ્યો નથી. તેથી ખેડૂતોમાં નારાજગી છે. ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સત્તાધારી પક્ષ વિરુદ્ધ મતદાન કરે એ શક્ય છે. આમ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની વિજય રૂપાણીની સરકાર ખેડૂતોને ન્યાય આપવામાં નિષ્ફળ રહેતાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ મુશ્કેલીઓનો સામો કરી રહ્યાં છે.
ગુજરાતમાં ૧૪થી ૧૫ લાખ ખેડૂતો પાક વીમા યોજના હેઠળ દરવર્ષો કરોડો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવે છે. સાંપ્રત સમયમાં પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખરીફ- ૨૦૧૮ના વાવેતર સામે મંજૂર દાવાઓની રકમની ચુકવણી શરૂ કરી છે. સરકાર અને ખેડૂતોએ રૂ.૩,૩૦૦ કરોડનું પ્રીમિયમ પ્રાઇવેટ કંપનીઓને ચૂકવ્યુ છે. જેમાંથી ખેડૂતોને વળતર પેટે રૂ.૨,૦૪૨ કરોડ જ મળ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોમાં અસંતોષની હોળી ભડકે બળી છે. હજુ કપાસમાં વળતરની આકારણી માટે પ્રાઇવેટ કંપનીઓએ પાક અખતરા શરૂ કરતા ઠેરઠેર ખેડૂતો સાથે ઘર્ષણ પણ શરૂ થયું છે. આવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના મતોનું ધોવાણ થાય એવી ભીતિ ખુદ ભાજપના વર્તુળોમાં સેવવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે વર્ષ ૨૦૧૬માં ખેડૂતોના બે ટકા હિસ્સા સાથે ગુજરાત અને ભારત સરકારે પ્રાઈવેટ વીમા કંપનીઓએ માત્ર રૂ.૯૫૪ કરોડનું જ વળતર ચૂકવ્યું હતું. આમ, પહેલાથી જ પાક વીમા યોજના જાણે પ્રાઇવેટ કંપનીઓ માટે જ અમલમાં આવી હોય તેવો માહોલ ગુજરાતમાં છે. ગુજરાતના ખેડૂતો પાક વીમાના મુદ્દે લોકસભાની ચૂંટણીમાં શું વલણ દાખવશે તેની ઉપર સૌની નજર છે કેમ કે, શહેરી વિસ્તારોની બેઠકો તો ભાજપનો ગઢ છે પણ ગ્રામ્ય વિસ્તારની બેઠકો ઉપર ખેડૂતોનો મૂડ પવન બદલી શકે તેવી શંકા તો વ્યક્ત કરાઈ રહી છે.
૪૫ તાલુકાના લાખો ખેડૂતોને ૭ વર્ષથી ફદિયુંએ મળ્યું નથી !
ગુજરાતમાં એગ્રિકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા કંપનીએ ખરીફ ૨૦૧૨માં તેલીબિયાં, કઠોળ, અને ધાન્ય પાકોમાં મળેલા પ્રીમિયમની રકમને બાદ કરતા વધુ દાવાના કિસ્સાઓમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સરખે હિસ્સે નાણાં ફાળવ્યા હતા. એ વખતે કપાસ સિવાયના પાક જેમ કે મગફળી, બાજરા, ચોખા જેવા પાકો માટે એરિયા રિડક્શન ફેક્ટર લાગવી રૂ.૨,૮૨૮ કરોડ જેટલી રકમ દાવાઓ પેટે ખેડૂતોને ચૂકવવા થતા હતા પરંતુ, આ કંપનીએ માત્ર રૂ.૧,૬૦૭ કરોડ ચૂકવ્યા છે. ૫૦ ટકાથી પણ ઓછી વળતર મળતા નારાજ થઈને અસરગ્રસ્ત ૪૫ તાલુકા પૈકી સૌરાષ્ટ્રના ૧૯ તાલુકાના ખેડૂતો સરકાર સામે હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટે પણ એક તબક્કે સરકારનો ઉધડો લીધો છતાંયે જેમને ૭ વર્ષથી લાખો ખેડૂતોને ફદિયુંએ મળ્યું નથી.
મુદ્દત પે મુદ્દત : ચુકાદો આવ્યો નથી, આવશે ત્યારે શું થશે ?
૪૫ તાલુકાઓમાં પાક વીમાની આકારણી કરવા માટે કંપનીએ એરિયા રિડક્શન અર્થાત વાવેતર વિસ્તારમાં ઘટાડાનું ફેક્ટર લગાવ્યુ છે જેની સામે ૧૯ તાલુકાના ખેડૂતો કોર્ટમાં અરજી કરી છે. હજુ સુધી તેનો ચુકાદો આવ્યો નથી. પરંતુ, જો ચુકાદો આવે તો નીચે મુજબનું વળતર ચૂકવવું પડશે એ નિશ્ચિત છે. જેમાં કેન્દ્ર અને રાજ્યને સરખે હિસ્સે રકમ ચૂકવવી પડશે.
વીમો પાક્યો નહીં, કૃષિ ધિરાણ પણ લટકાવ્યા
રાજ્યમાં ૧૪થી ૧૫ લાખ ખેડૂતો કૃષિ ધિરાણ મેળવે છે. જેમાંથી ૯૭ ટકા ધિરાણ પરત આવે છે. બાકી રકમ ઓગસ્ટમાં પરત મળે છે તેમ કહેતાં એક ઓફિસરે કહ્યુ કે, ૨૦૧૨ના દાવાની રકમ માટે ખેડૂતો કોર્ટમાં ગયા છે તે કુલ રૂ.૧,૨૨૧ કરોડ છે. ૨૦૧૭માં રૂ.૯૫૪ કરોડની ચુકવણી પછી ચાલુ વર્ષે (ગતવર્ષના વીમાના) રૂ.૨,૦૨૪ કરોડ ચૂકવાયા છે. કુલ રકમ રૂ.૪,૧૯૬ કરોડમાં પ્રધાનમત્રી કિસાન સન્માન યોજનાના રૂ.૬,૦૦૦ અને રાજ્ય સરકારની રૂ.૧૫,૬૦૦ની ઈનપુટ ક્રેડિટ ઉમેરો તો પણ રૂ.૩૩,૦૦૦ કરોડનું કૃષિ ધિરાણની માંડવાળ થઈ શકે તેમ નથી. એટલે બેન્ક લોન વસુલાત વગર લટકે છે.
રૂ.૨,૩૬૦ કરોડનું પ્રીમિયમ, રૂ.૨,૪૧૮ કરોડના દાવાઓ,
સરકાર અને ખેડૂતોએ વર્ષ ૨૦૧૬ની ખરીફ અને રવિ સિઝનમાં પ્રાઈવેટ સેક્ટરની #Hdfc અને #Aic અનુક્રમે રૂ.૨૩૦૫ કરોડ ૩ લાખ અને રૂ.૫૫ કરોડ ૪૨ લાખનું જંગી પ્રીમિયમ ચૂકવ્યું હતું. જેની સામે ખેડૂતોના પાક નુકસાની પેટા રૂ.૨,૪૧૮ કરોડ ૮૭ લાખના દાવાઓ અંદાજવામાં આવ્યા હતા. જો કે, વીમા કંપનીઓએ તેમાંથી રૂ.૧,૧૭૦ કરોડ જ મંજૂર કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓના ભારે દબાણ વચ્ચે ખેડૂતોને માત્ર રૂ.૯૫૪ કરોડ જ ચૂકવાયા હતા. ઘણી માહિતી sandesh.com