કંડલા બંદરનું જમીન કૌભાંડ, ચેરનો સોથ વાળે છે

કંડલા પોર્ટની જમીન ભાડાપટ્ટે મેળવવામાં પર્યાવરણને નુકશાન

તે ઉપરાંત આરટીઆઈ એક્ટીવીસ્ટની અરજીમાં બીજો ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં માળિયા તાલુકાના રણકાંઠાની જમીનમાં મીઠા ઉત્પાદન માટે ભાડા પટ્ટે મેળવવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ જાણવા મળી છે જેમાં કંડલા પોર્ટની જમીન માળિયા (મી) તાલુકાના બગસરાની નીલ સર્વે નંબરની બતાવીને પર્યાવરણને નુકશાન પહોંચે છે શ્રી રીયલ રીફાઈન સોલ્ટ એન્ડ એલાઈડ ઇન્ડસ્ટ્રીઝ અને સી સાઈડ સોલ્ટ પ્રા. લી. કંપની દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પોર્ટ કંડલાની જમીનને મોરબી જીલ્લાના માળિયા તાલુકાના બગસરાના નીલ સર્વે નંબરની જમીન બતાવીને ભાડા પટ્ટો મેળવવા અરજી કરેલ છે જે બિલકુલ બિનઅધિકૃત છે તેમજ સી સાઈડ સોલ્ટ પ્રા. લી ને પણ નિયમ વિરુદ્ધ ફાયદો પહોંચાડવામાં આવ્યા હોય તેવા ગંભીર ખુલાસા થયા છે.

માળિયા તાલુકામાં રણકાંઠાની જમીન પર ઉદ્યોગપતિઓ દ્વારા નાયબ વન સંરક્ષક કચેરી મોરબી સાથે સાંઠગાંઠ કરીને બિનઅધિકૃત વાંધા પ્રમાણપત્રો મેળવ્યા હોય તેમજ કાર્યક્ષેત્ર બહારનાં વિસ્તારમાં વાંધા પ્રમાણપત્રો આપી ચેર વનસ્પતિને નુકશાન થયાની વિગતોનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે.

આરટીઆઈ એક્ટીવીસ્ટ હરેશકુમાર બાલાસરાએ જુનાગઢ મુખ્ય વન સંરક્ષક કચેરીમાં કરેલી આરટીઆઈમાં જણાવ્યું છે જેમાં માળિયા તાલુકાના નવલખી ચેર ફોરેસ્ટની ૭૭૭૦ હેક્ટર આરાક્ષિત જંગલનું ૧૯૬૬ માં જાહેરનામું બહાર પડ્યું હતું અને બાદમાં ઉદ્યોગપતિઓના ઇશારે નવલખી ચેર ફોરેસ્ટનું નવું સેટલમેન્ટ થયું અને ડી.આઈ.એલ કચેરી મોરબીની માપણી ફી પ્રાઈવેટ પાર્ટી દ્વારા નાયબ વન સંરક્ષકના નામે રોકડમાં ચલણ ભરવામાં આવ્યું જે અંગે નાયબ વન સંરક્ષક અજાણ છે પરંતુ માત્ર કાગળ પર અજાણ છે અહીંથી ઉધોગપતિઓને અનુકુળ માપણી કરવા અને જમીન ફાળવવાની બિન અધિકૃત પ્રકીયાઓ ચાલુ થઇ અને ઉદ્યોગપતિઓ દ્વારા માંગણી અનુસંધાને ના વાંધા પ્રમાણપત્રો મેળવવાની કાર્યવાહીઓ કરવામાં આવી જેમાં નાયબ વન સંરક્ષક મોરબી દ્વારા નવા ચેર ફોરેસ્ટનું વન અધિનિયમ ની કલમ ૨૦ મુજબનું જાહેરનામું બહાર પાડેલ ના હોવા છતાં નવા સેટલમેન્ટ મુજબ નાયબ વન સંરક્ષક કચેરી દ્વારા ના વાંધા પ્રમાણપત્રો અપાય છે તેમજ નવી માંગણીની જમીનનું સ્થળ રોજકામ જુના પ્લોટો પર રીન્યુ માટેનું કરીને નવી માંગણીના વાંધા પ્રમાણપત્રો અપાય છે જેને કારણે હજારો અક્ર ચેર વનસ્પતિ ધરાવતી વિસ્તારોમાં ચેર વનસ્પતિને ઉખાડી પ્લોટો બનાવાય છે અને પર્યાવરણને ભયંકર નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે