કાંકરીયાની રાઈડની મંજૂરી કે પરવાના અંગે ગૃહ રાજ્ય પ્રધાનને ખબર નથી

ગુહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુજમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે
સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોનેL.G હોસ્પીટલ ખાતે મુલાકાત લઈને ઘટનાની સમીક્ષા કરી હતી. એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી. પણ તેમની પાસે લાયસંસ હતું કે નહીં અને રાઈડની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે ગૃહ રાજ્ય પ્રધાનને પણ ખબર ન હતી. તેઓ દેશના શ્રેષ્ઠ પ્રધાન જાહેર થયાના બીજા દિવસે બનેલી ઘટના અંગે  તેમની પાસે અગત્યની વિગતો જ ન હતી.

અમદાવાદના મેયર બિજલ પટેલ કે કમિશ્નર વિજય નહેરાની પાસે પણ વિગતો ન હતી.

જાડેજાએ જણાવ્યું હતું કે, અકસ્માતને પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાઇડનુ લાયસન્સ હતું કે કેમ? મંજૂરી લેવાઇ છે કે કેમ? તથા તેનું મેન્ટેનન્સની વિગતો તંત્ર અને  FSL દ્વારા લેવાઈ રહી છે અને આમાં કસૂરવાર કોઇ પણ લોકોને છોડવા રાજ્ય સરકાર તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવાશે. મંત્રીએ ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લઇ તેમને સુદૃ્ઢ સારવાર મળે તે માટે હોસ્પિટલને સૂચના આપી હતી.

આ રાઇડની  ક્ષમતા ૩૨ લોકોની હતી તે પૈકી ૩૧ લોકો તેમાં સવાર હતા. આ અકસ્માતથી બે લોકોના મૃત્યુ થયા છે અને ૨૯ લોકો એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાના સમાચાર મળતા જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.સાંજે ૫.૫૦ કલાકે ઘટના બની અને તરત જ ૬.૧૫ કલાકથી સમગ્ર તંત્ર હોસ્પિટલમાં  ખડે પડે હતુ.