જામનગર,તા.10
જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં ૧૧ કે.વી. નો એક વીજ કેબલ અચાનક જ તૂટી પડયો હતો આ સમયે ગૌચરની જમીનમા ચરી રહેલી એક ગાય તથા ત્રણ વાછરડાના વીજશોક લાગવાથી બનાવના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ બનાવની જાણ થતા ગૌપ્રેમીઓ ભેગા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવની વિગત અંગે ગામલોકોએ વીજ તંત્રને જાણ કરતા કાલાવડ ગ્રામ્યની વીજ કચેરીના અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. વીજ પુરવઠો બંધ કરાવી વીજ વાયરને ત્યાંથી ખસેડયો હતો. એક કાંચીડો વીજ તાર પર ચાલવા જતા બંને વાયરો એકઠા થવાથી તણખા ઝર્યા હતા. વીજ વાયર તુટીને નીચે પડયો હોવાનું પ્રાથમિક તારણ વીજતંત્ર દ્વારા જાહેર કરાયું છે.