કુપોષણ ધરાવતાં 74 ટકા બાળકોને તાવ, પેટમાં દુઃખાવો, ચામડીના રોગો હોય છે

ગુજરાતની ૧૩ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્યનો સરવે કરાયો હતો જેમાં બહાર આવ્યું છે કે, અલ્પ પોષણ ધરાવતા ૭૪ ટકાથી વધુ બાળકોમાં તાવ, ત્વચા પર ચકામા, સતત પેટમાં દુઃખાવા જેવી તબીબી સમસ્યાઓ જોવાઈ હતી.

૪૩ ટકાના દાંત ખરાબ હતા. વીકયુરાના પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ લોકો જોડાયા છે. ૭૫ ટકા, ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓનો છે.

પ્લેટફોર્મની મદદથી વિદ્યાર્થીઓ તેમના રસના વિષયો વિશે સમજ કેળવી શકે છે તથા આત્મવિશ્વાસનું સ્તર ચકાસી શકવા ઉપરાંત ભાવિ કામગીરી માટે પોતાને વધુ સજ્જ બનાવવા માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીની પણ ચકાસણી કરી શકે છે.