[:gj]નવસારીની કોરોના પોઝીટીવ સગર્ભાઍ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો[:]

[:gj]નવસારી.

તા.૨૮/૦૪/૨૦૨૦ ના રોજ હનુમાન ફળિયા, ટાંકલના રહેવાસી શ્રીમતી રશ્મિબેન જતિનભાઇ પટેલનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ તેઓને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તેઅો સગર્ભા હતાં. તેઓની સારવાર તથા સાળસંભાળ કોરોનો વોરિયર્સ દ્વારા કરવામાં આવતી હતી.

1લી મેં રોજ રશ્મિબેને ઍક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. હાલ માતા અને બાળક બંનેની તબિયત સારી છે. કોવિડ-૧૯ હોસ્પિટલના ડોકટર તથા સ્ટાફ દ્વારા તેઓની સારી રીતે સારસંભાળ લેવામાં આવી રહી છે.

………..[:]