કેન્દ્રીય અંદાજપત્રમાં ગુજરાત માટે કંઈ નહીં

સંસદમાં કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા વિભાગના મંત્રી પિયૂષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાત માટે બહું ઓછી જાહેરાતો કરવામા આવી હતી.

નવી જાહેરાતો

ખેડૂતોઃ

· પીએમ- કિસાન યોજના હેઠળ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ખાતરીપૂર્વક રૂ. 6,000ની આવક પૂરી પાડવામાં આવશે.

· નાણાંકિય વર્ષ 2019-20 માટે આ યોજનામાં રૂ. 75,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એમાં વર્ષ 2018-19ના સુધારેલા અંદાજ મુજબ રૂ. 20,000 કરોડનો ખર્ચ થશે.

· રાષ્ટ્રીય ગોકુલ મિશન માટેનો ખર્ચ વધારીને રૂ. 750 કરોડ કરવામાં આવ્યો છે.

· ગાયોની ઓલાદના જીનેટીક અપગ્રેડેશન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવશે.

· દોઢ કરોડ માછીમારોના કલ્યાણ માટે નવા માછીમારી મંત્રાલયની રચના કરવામાં આવશે.

· ખેડૂતોને પશુપાલન અને માછીમારીની પ્રવૃત્તિ માટે વ્યાજમાં 2 ટકાની રાહત અપાશે. જો સમયસર ચૂકવણી કરવામાં આવે તો વધારાની 3 ટકાની રાહત મળશે.

· કુદરતી આફતને કારણે અપાતી વ્યાજની 2 ટકાની રાહત હવે ધિરાણના પુનઃગઠનના સંપૂર્ણ ગાળા માટે પૂરી પાડવામાં આવશે.

શ્રમઃ

· અસંગઠીત ક્ષેત્રના 10 કરોડ કામદારોને ફિક્સ માસિક પેન્શન આપવા માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જાહેર કરવામાં આવી છે.

· દર મહિને રૂ. 100/ 55 નો ફાળો આપવાથી આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. 3,000નું પેન્શન મળશે.

આરોગ્યઃ

· હરિયાણામાં 22મું એઈમ્સ સ્થાપવામાં આવશે.

મનરેગાઃ

· બજેટરી અંદાજ મુજબ વર્ષ 2019-20માં મનરેગા માટે રૂ. 60,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સીધા કરવેરાની દરખાસ્તોઃ

· રૂ. 5 લાખ સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

· 3 કરોડ જેટલા મધ્યમ વર્ગના કરદાતાઓને 23,000 કરોડથી વધુ કર રાહત મળશે.

· સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 40,000 થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું છે.

· બેંકો અને પોસ્ટ ઓફિસમાં મૂકાયેલી થાપણો પર થતા વ્યાજની કમાણી પર ટીડીએસ કપાતની મર્યાદા રૂ. 10,000 થી વધારીને રૂ. 40,000 કરવામાં આવી.

· આવક વેરાના હાલના દર ચાલુ રહેશે

· પોતાના કબજાવાળા બીજા મકાન પર અંદાજીત ભાડા પર લેવાતા વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

હાઉસિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવામાં આવશેઃ

· ભાડા ઉપર લેવાતા વેરાની કપાત માટેની ટીડીએસ મર્યાદા રૂ. 1,80,000 થી વધારીને રૂ. 2,40,000 કરાઈ છે.

· આવાસ તરીકે ઉપયોગમાં લેવાતા ઘરમાં કેપિટલ ગેઈન રોલઓવર કરવાનો લાભ બે મકાનો માટે રૂ. 2 કરોડ સુધીના કેપિટલ ગેઈન તરીકે આપવામાં આવશે.

· આવક વેરા કાયદાની કલમ-80 આઈબીએ હેઠળ પોસાય તેવી આવાસ યોજના માટેનો કર લાભ તા.31 માર્ચ, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.

· નહીં વેચાયેલા મકાનો માટેના અનુમાનિત ભાડા માટેનો કરમુક્તિનો ગાળો એક વર્ષથી લંબાવીને બે વર્ષનો કરવામાં આવ્યો છે.

નાણાંકિય કાર્યક્રમઃ

· નાણાંકિય વર્ષ 2019-20ની નાણાંકિય ખાધ 3.4 ટકા જેટલી અંદાજવામાં આવી છે.

· નાણાંકિય વર્ષ 2020-21 સુધીમાં 3 ટકા નાણાંકિય ખાધનો લક્ષ્યાંક હાંસલ થશે.

· 7 વર્ષ પહેલાં નાણાંકિય ખાધનો સુધારેલોઅંદાજ લગભગ 6 ટકા જેટલો હતો તેને નીચે લાવીને 3.4 ટકા કરાયો છે.

· વર્ષ 2019-20ના અંદાજપત્રિય અનુમાન મુજબ કુલ ખર્ચ 13 ટકા વધીને રૂ. 27,84,200 કરોડ થશે.

· નાણાંકિય વર્ષ 2019-20ના મૂડી ખર્ચનો અંદાજપત્રિય અનુમાનરૂ. 3,36,292 કરોડ રહેવાનો અંદાજ છે.

· કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત યોજનાઓ (સીએસએસ)ની ફાળવણી વધારીને વર્ષ 2019-20 માટે રૂ. 3,27,679 કરોડના ખર્ચનું અંદાજપત્રિય અનુમાન.

· નેશનલ એજ્યુકેશન મિશનમાં ફાળવણી આશરે 20 ટકા જેટલી વધારીને રૂ. 38,572 કરોડ અંદાજપત્રિય અનુમાન છે.

· ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએસ) માટેની ફાળવણીમાં 18 ટકાથી વધુ વધારો કરીને રૂ. 87,584 કરોડનો ખર્ચ થવાનો અંદાજપત્રિય અનુમાન છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ફાળવણીમાં નોંધપાત્ર વધારોઃ

· અનુસૂચિત જાતિઓ માટે વર્ષ 2018-19ના રૂ. 56,619 કરોડના અંદાજપત્રિય અનુમાનમાં 35.6 ટકાનો વધારો કરીને વર્ષ 2019-20 માટે રૂ. 76,801નું અદાજપત્રિય અનુમાન.

· અનુસૂચિત જન જાતિઓ માટે વર્ષ 2018-19ના રૂ. 39,135 કરોડના અંદાજપત્રિય અનુમાનમાં 28 ટકાનો વધારો કરીને વર્ષ 2019-20 માટે રૂ. 50,086નું અદાજપત્રિય અનુમાન.

· રૂ. 80,000 કરોડનો ડીસ-ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારનો આત્મવિશ્વાસ.

· હવે દેવાના એકીકરણ (consolidation) ની સાથે સાથે નાણાંકિય ખાધના એકીકરણ (consolidation) ના કાર્યક્રમ તરફ ધ્યાન કેન્દ્રિત કરાશે.

ગરીબો અને પછાત વર્ગોઃ

· “દેશના સંસાધનો પર ગરીબોનો પ્રથમ હક્ક છે” – નાણાં પ્રધાન

· ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઈને પહોંચી વળવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં 25 ટકા બેઠકોનો વધારો કરવામાં આવશે.

· શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો ભેદ નિવારવા માટે અને ગામડામાં જીવનની ગુણવત્તા સુધારવા માટે લક્ષિત ખર્ચ કરાશે.

· માર્ચ 2019 સુધીમાં ઈચ્છા ધરાવતા તમામ પરિવારોને વિજળીના જોડાણ અપાશે.

ઉત્તર-પૂર્વ

· વર્ષ 2018-19ના અંદાજપત્રિય ખર્ચની તુલનામાં 21 ટકાનો વધારો કરીને 2019-20માં અંદાજપત્રિય ખર્ચનું અનુમાનરૂ. 58,166 કરોડ કરવામાં આવ્યું છે.

· અરૂણાચલ પ્રદેશને તાજેતરમાં જ દેશના એર મેપ હેઠળ મૂકવામાં આવ્યું છે.

· મેઘાલય, ત્રિપૂરા અને મિઝોરમ સૌ પ્રથમ વખત ભારતના રેલવે મેપ હેઠળ મૂકાયું છે.

· બ્રહ્મપુત્રા નદીમાં વહાણવટાની ક્ષમતા સુધારીને કન્ટેઈનર કાર્ગોની હેરફેર થશે.

દયનીય સ્થિતિમાં જીવતા વર્ગો

· બાકી રહી ગયેલી નોમેડિક અને સેમી-નોમેડિક વર્ગોને ઓળખી કાઢવા માટે નીતિ આયોગ હેઠળ કમિટીની રચના કરવામાં આવી.

· સામાજીક ન્યાય મંત્રાલય હેઠળ ડી-નોટિફાઈડ નોમેડિક અને સેમી-નોમેડિક જાતિઓના વિકાસ અને કલ્યાણ માટે નવું વેલફેર બોર્ડ

સંરક્ષણ

· સૌ પ્રથમ વખત સંરક્ષણ બજેટ રૂ. 3,00,000 કરોડનો આંક વટાવી ગયુ.

રેલવેઃ

· રેલવે તંત્ર માટે 2019-20ના બજેટમાં રૂ. 64,587 કરોડનો મૂડી સહયોગ પૂરો પાડવામાં આવશે.

· એકંદર મૂડી ખર્ચ કાર્યક્રમ રૂ. 1,58,658 કરોડ થશે.

· ઓપરેટીંગ ગુણોત્તર સુધરીને 98.4 ટકા સુધી લઈ જવાશે.

મનોરંજન ઉદ્યોગઃ

· ભારતના ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સની તથા શૂટીંગમાં સગવડ મળશે.

· નિયમોની જોગવાઈઓ મહદ્દ અંશે સેલ્ફ ડેકલેરેશન આધારિત રહેશે.

· ફિલ્મોની પાયરસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટમાં એન્ટી-કેમ્કોડીંગ જોગવાઈઓ ઉમેરવામાં આવશે.

એમએસએમઈ અને ટ્રેડર્સ

· જીએસટીમાં રજીસ્ટર થયેલા એસએમઈને રૂ. 1 કરોડની વધારાની લોન માટે વ્યાજમાં 2 ટકાની રાહત આપવામાં આવશે.

· સરકારી એકમો દ્વારા થતી 25 ટકા ખરીદીમાંથી ઓછામાં ઓછી 3 ટકા ખરીદી મહિલાઓની માલિકીના એસએમઈ પાસેથી કરવામાં આવશે.

· આંતરિક વ્યાપાર ઉપર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડીઆઈપીપીને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ નામ આપવામાં આવશે.

ડિજિટલ ગામડાંઓ

· આગામી 5 વર્ષમાં સરકાર 1 લાખ ગામડાઓને ડિજિટલ ગામડાં બનાવશે.

અન્ય જાહેરાતો

· નવું નેશનલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોર્ટલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નેશનલ પ્રોગ્રામને સહાય કરશે.

2014 થી 2019 સુધીની સિદ્ધિઓ

અર્થતંત્રની સ્થિતિ

· છેલ્લા 5 વર્ષમાં ભારત વૈશ્વિક અર્થતંત્રના ચમકતા સિતારા તરીકે સાર્વત્રિક ઓળખ પ્રાપ્ત કરી શક્યું છે.

· 2014 થી 2019 દરમિયાન દેશ મેક્રો-ઈકોનોમિક સ્થિરતાના ઉત્તમ તબક્કાનું સાક્ષી બન્યું છેઃ નાણાં મંત્રી

· ભારત 2013-14માં 11માંક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું તે હવે દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.

· 1991 પછીની કોઈપણ સરકારની તુલનામાં ભારત 2014 થી 2019 દરમિયાન ઉંચો વાર્ષિક સરેરાશ જીડીપી વૃદ્ધિ દર ધરાવે છે.

· ભારત સરકારે 2009 થી 2014 દરમિયાન કમરતોડ ફૂગાવાની કમર તોડી નાંખી છેઃ નાણાં મંત્રી

· સરેરાશ ફૂગાવો ઘટીને 4.6 ટકા થયો છે, જે અન્ય કોઈપણ સરકારની તુલનામાં નીચો છે.

· ડિસેમ્બર 2018માં ફૂગાવો માત્ર 2.19 ટકા હતો.

· 7 વર્ષ અગાઉ નાણાંકિય ખાધ સુધારેલા અંદાજ મુજબ 6 ટકા હતી તે ઘટીને 3.4 ટકા સુધી પહોંચી છે.

· 6 વર્ષ પહેલાં 5.6 ટકા જેટલા ઉંચા સ્તરની તુલનામાં સીએડી જીડીપીના માત્ર 2.5 ટકા રહેવાની સંભાવના છે.

· ભારત મજબૂત રીતે પાટા પર આવ્યું છે અને વૃદ્ધિ અને સમૃદ્ધિની દિશામાં આગળ ધપી રહ્યું છેઃ નાણાં મંત્રી

· ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.

· ફૂગાવાનો બે આંકડાનો દર અટકાવીને નાણાંકિય સમતુલા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.

· સીધા વિદેશી મૂડી રોકાણની નીતિ ઉદાર બનાવીને મોટા ભાગનું સીધુ વિદેશી મૂડી રોકાણ ઓટોમેટિક રૂટથી આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેડૂતોઃ

· તમામ 22 પાક માટે ઓછામાં ઓછી 50 ટકા એમએસપીની ખાતરીઆપવામાં આવી છે.

· છેલ્લા 5 વર્ષમાં વ્યાજની રાહત બમણી કરવામાં આવી છે.

· સોઈલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા, ખેતી ક્ષેત્રે ગેમ ચેન્જર બન્યા છે.

શ્રમઃ

· નોકરીઓની તકો વિસ્તરી છે. ઈપીએફઓનું સભ્યપદ વધીને 2 કરોડ થયું છે.

· દરેક કેટેગરીના કામદાર માટે લઘુતમ આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં 42 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ગરીબ અને પછાત વર્ગોઃ

· શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

· સૌભાગ્ય યોજના હેઠળ દરેક પરિવારને વિજળીનું મફત જોડાણ આપવામાં આવશે.

· અંદાજે 50 કરોડ લોકો માટે વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામઃ આયુષમાન ભારત.

· અત્યંત પછાત 115 જીલ્લાઓના વિકાસ માટેનો કાર્યક્રમ

· વર્ષ 2018-19 દરમિયાન ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તુ અનાજ આપવા માટે રૂ. 1,70,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.

· ખાનગી ક્ષેત્રના સહયોગથી મિશન મોડમાં આવીને 146 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા.

· એલઈડી બલ્બના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોએ વિજળી બીલમાં વાર્ષિક રૂ. 50,000 કરોડની બચત કરી.

· આયુષમાન ભારત યોજના હેઠળ 10 લાખ દર્દીઓએ સારવારનો લાભ લીધો.

· વર્ષ 2014 થી અત્યાર સુધીમાં 21માંથી 14 એઈમ્સ કાર્યરત થઈ ગયા છે.

· સરકારે પીએમજીએસવાય યોજના હેઠળ માર્ગ બાંધકામનું કામ ત્રણ ગણું કર્યું.

· વર્ષ 2018-19માં રૂ. 15,500 કરોડના અંદાજપત્રિય અનુમાન સામે વર્ષ 2019-20માં રૂ. 19,000 કરોડના ખર્ચનું અંદાજપત્રિય અનુમાન.

· વર્ષ 2014-18 દરમિયાનપીએમ આવાસ યોજના હેઠળ 1.53 કરોડ મકાનો બાંધવામાં આવ્યા.

મહિલા વિકાસ અને મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસઃ

· ઉજ્જવલા યોજના હેઠળ 6 કરોડ ફ્રી એલપીજી જોડાણ આપવામાં આવ્યા. આવતા વર્ષ સુધીમાં 8 કરોડ જોડાણ અપાશે.

· 70 ટકા મુદ્રા ધિરાણો મહિલાઓને અપાયા.

· પ્રસૂતિકાળ દરમિયાનની રજા વધારીને 26 અઠવાડિયાની કરવામાં આવી.

· પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને નાણાંકિય સહાય.

યુવાનો

· પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1 કરોડથી વધુ યુવાનોને તાલિમ આપવામાં આવી.

· મુદ્રા, સ્ટેન્ડ-અપ અને સ્ટાર્ટ-અપ મારફતે સ્વરોજગારને વેગ અપાયો.

એમએસએમઈ અને વેપારીઓઃ

· રૂ. 1 કરોડ સુધીનાં ધિરાણો 1 કલાકથી ઓછા સમયમાં મેળવી શકાશે.

· ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસના કારણે 25 ટકાથી 28 ટકા જેટલી સરેરાશ બચત થઈ છે.

આવક વેરોઃ

· પાંચ વર્ષમાં આવક વેરો લગભગ બમણો થયો છે. વર્ષ 2013-14માં આવક વેરો 6.38 લાખ કરોડ હતો તે આ વર્ષે અંદાજે રૂ. 12 લાખ કરોડ સુધી પહોંચી જશે.

· કર વ્યાપમાં 80 ટકાની વૃદ્ધિ થઈ છે. રૂ. 3.79 કરોડથી રૂ. 6.85 કરોડ સુધી પહોંચી શકાયું છે.

· કર વહિવટનું સરલીકરણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 99.54 ટકા જેટલા આવક વેરા રિટર્ન ફાઈલ કરાયા હતા અને સ્વિકારવામાં આવ્યા હતા.

· કરદાતાલક્ષી વલણ માટે ટેકનોલોજી પ્રચૂર પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. બે વર્ષમાં 24 કલાકમાં રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યા છે અને સમાંતરપણે રિફંડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

· મધ્યમ વર્ગને વહેલા લાભો આપવામાં આવ્યા.

· કર મુક્તિની બેઝીક મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી છે.

· વેતન મેળવતા વર્ગ માટે રૂ. 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન રજૂ કરવામાં આવ્યું.

· રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીના ટેક્સ સ્લેબમાં કરનો દર 5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે.

· કલમ-80સી હેઠળ બચતની કપાત રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે.

· પોતે કબજો ધરાવતા હોય તેવા નિવાસી અસ્કયામત માટે વ્યાજની કપાત રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી.

નાના બિઝનેસ અને સ્ટાર્ટઅપને અપાઈ ચૂકેલા ખાસ પ્રોત્સા