ખતરનાક કેમિકલ અભયારણ્યમાં ફેંકી દેવાની ઘટનાની તપાસ અધુરી

અંકલેશ્વર અને વાપીનું ખતરનાક કેમિકલ જંગલમાં ફેંકી દેવનું કૌભાંડ જાન્યુઆરી 2019માં બહાર આવ્યા બાદ તેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેમિકલ વલસાડ જિલ્લાના વાપી થી ભરવામાં આવ્યા હોવાની શંકા છે. વન વિભાગ દ્વારા વાપી જીપીસીબીને સાથે રાખી વાપીની કમ્પનીમાં તપાસ હાથ ધરી હતી.

નમૂના આધારે તપાસ કરે તો આ કેશ ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે. જીપીસીપી દ્વારા અનેક દિવસો પછી કોઈ કાર્યવાહી થઈ નથી. તપાસ હજુ અધૂરી જ રહી છે.

અંકલેશ્વરથી વાપી સહિતની અનેક વસાહતોમાંથી કેમિકલ ખરીદ કરવામા આવતું હતું. જે ભંગારનો વેપાર કરનારાઓને  આપી વન્ય અભિયારણ્યો કે ખુલ્લી જગ્યાઓમાં ફેંકી દેવામાં આવતો હતો.