રૂપાણીએ કિશોરીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવા માટે રૂ.૨૭૭ કરોડના ખર્ચે નવી પૂર્ણા યોજના ખુલ્લી મુકી તેની સાથે વર્ષે કૂલ રૂ.1003 કરોડ ખર્ચ કર્યો છતાં આજે આવી હાલત છે. તો એ નાણાં કોની પાસે સરકી ગયા તે એક સવાલ છે. આટલા નાણાં ગરીબ બાળકો માટે વપરાયા છતાં બાળકોને સારો ખોરાક મળતો નથી. ગુજરાત સરકાર જો આ રીતે જ ચાલતી રહેશે તો 2050 સુધીમાં કુપોષણ સંપૂર્ણ નાબૂદ કરી શકાય તેમ નથી. 18 લાખ મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી શકાયો નથી.
ગરીબીની સમસ્યા ના હોત તો દેશનો આર્થિક વિકાસ દર ૧૧ ટકા કરતા પણ વધારે હોત, જ્યાં સુધી ગરીબી છે ત્યાં સુધી ભ્રષ્ટાચાર રહેશે.
૬૦ લાખથી વધારે સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ છે જેમને સારૂં ભોજન મળવું જોઈતું હતું. જેમાં ૪૨ લાખને મહીને ૧૬૦૦૦ મેટ્રિક ટન સુક્ષ્મ પોષક તત્વયુકત ટેક હોમ રાશન અમુલ અને બનાસ ડેરીની મદદથી આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ નાબુદી માટે એક વર્ષના રૂ.૯૦૪૬ કરોડ દેશમાં આપેલા તેમાં ગુજરાતને માંડ રૂ.584 કરોડ આપેલા હતા. તેમ છતાં દુબળા બાળકો અને ગરીબ માતાઓ વધી છે. ક્યાં ગયા એ નાણાં એવો સવાલ હવે કરવામાં આવી રહ્યો છે.
આયોડીનયુક્ત ડબલ ફોર્ટીફાઈડ મીઠું પણ આપી શકતા નથી. ગુજરાત રાજ્યમાં કુપોષણ નાબુદી માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોવા છતાં ૫૩ હજાર આંગણવાડીના ૬૬ લાખ બાળકો સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોચતા ન હોવાનું આ વાત પરથી સ્પષ્ટ થાય છે. નાણાં કાંતો ખોટી રીતે વપરાય રહ્યાં છે અથવા યોજના ખોટી છે. ગ્રામ્ય અને શહેરોના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડી શકાયું નથી.
ગુજરાતના રાજનેતાઓ આ નાણાનો ગેરઉપયોગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથે સમાચાર પત્રો, ટેલિવિઝન, વેબસાઈટ પર આપીને કૂલ ભંડોળના 10 ટકા નાણાં વાપરી નાંખે છે. વર્ષે રૂ.100 કરોડ આ રીતે રાજકીય નેતાઓ ગરીબ મહિલા અને પુરતું ખાવાનું ન મળતું હોય એવા બાળકોના સ્વપ્રસિદ્ધિ માટે વાપરી રહ્યાં છે.
2017-18માં ગુજરાતમાં ગરીબ પરિવારના તમામ કેટેગરીના ૧૨.૫૯ લાખ બાળકો કુપોષણનો શિકાર હતા. હવે તે વધીને 15 લાખ થયા હોવાનો અંદાજ છે.
કુપોષણથી પીડાતા 58થી 65 લાખ કરતા વધારે બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી મહિલા છે. ૫૫ ટકા મહિલાઓ અને ૬૦ ટકા બાળકો કુપોષણથી પીડાય છે. આ મહિલાઓમાંથી મોટા ભાગની મહિલાઓ પોતાના બાળકને સ્તન પાન કરાવી શકતી નથી. 58 ટકા બાળકોને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન અને કેલેરી મળતી નથી. 56 ટકા બાળકોમાં વિટામીન એની ઊણપ છે.
ગયા વર્ષનો સરવે
2017-18માં 6માસથી 3વર્ષના 20,43,210 બાળકોમાંથી 13,09,454 ને જ ફોર્ટીફાઈટ આટો મળ્યો હતો. 3 થી 6વર્ષના 17,49,409 સરકારી યોજનામાં નોંધાયેલા બાળકોમાંથી 12,97,556ને પોષણક્ષમ આહાર મળ્યો હતો. કુપોષણથી પીડાતી 12,29,055 ગરીબ કિશોરીઓમાંથી માત્ર 8,00,540ને જ ન્યુટ્રીશન પેકેટો મળ્યાં હતા.
આમ 18 લાખ મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી શકાયો નથી. એટલે કે 58.31 લાખમાંથી 40.29 લાખ લાભાર્થીઓને જ ફોર્ટીફાઈટ આટો, ન્યુટ્રીશન કેન્ડી, સુખડી, શીરો અને ઉપમાના પ્રિમિક્ષ પેકેટો પહોંચાડી શકાયા હતા. રાજ્યમાં 5વર્ષ સુધીના 45% બાળકોનું વજન ઓછું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી આ યોજના સફળ રહી નથી.