
આ ગૃપના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની નોંધ મુકાયાને 24 કલાક પછી પણ ગૃપનું નામ બદલવામાં આવ્યું નથી. કે ગૃપ વિખેરી નાંખવામાં આવ્યુ નથી. દુનિયા માટે સન્માનનીય ગાંધીજી માટે અપમાનિત ચળવળ ચલાવવી એ સાયબર ક્રાઇમ છે. આ જૂથના મેમ્બર દ્વારા લાગતા વળગતા પોલીસ અધિકારીઓને વોટ્સએપ પર વિગતો મોકલાવવામાં આવી છે. આ ગૃપનું ધણા સમયથી નિરિક્ષણ કર્યા બાદ સભ્યયે વાંધો ઉઠાવતાં કેટલાંક સભ્યો ગૃપ છોડી ગયા હતાં. તેમ છતાં આજે આ ગૃપ ચાલું છે.

