ભાગ 2
દિલીપ પટેલ
અમદાવાદમાં રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુઓનો તહેવાર છે, જે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. બનાવટી સાધુઓએ લોકોની ભાવનાનો ગેરલાભ લીધો છે. તેના કૌભાંડી ટ્રસ્ટીઓએ જમીનો વેચવાની શું જરર પડી ?
જમાલપુરમાં આવેલા આ મંદિરની સ્થાપના લગભગ પાંચસો વરસ પહેલાં સાધુશ્રી સારંગદાસજી દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં ૧૮૭૮માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરાવી હતી. ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે. તારીખ ૪ જુલાઇ ૨૦૧૯ના રોજ નિકળનાર રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે.
અત્યાર સુધીના મહંત
1850થી 1959 નરસિંહદાસજી મહારાજ
1959થી 1971 સેવા દાસજી મહારાજ
1971થી 1994 રામહર્ષદાસજી મહારાજ
1994થી-2010 રામેશ્વરદાસજી મહારાજ
2010થી દિલીપદાસજી મહારાજ (એક માત્ર ગુજરાતી)
ભાજપ હિન્દુઓ માટે કામ કરતો પક્ષ છે. તેમના માટે ગાયની અને ભગવાનની જમીન હરામ હોવી જોઈએ તેના બદલે જમીનો હડપ કરી છે અને કરાવવા દે છે.
ભાજપ ગાયના નામે મત મેળવે છે પણ રાજયભરમાં ગાય અને અન્ય પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીનમાં મોટાપાયે દબાણો થાય છે, મોદી, આનંદી અને રૂપાણી તે પણ અટકાવી શકયા નથી. અવારનવાર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જિલ્લાઓમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોના વિવિધ સવાલ પૂછવામાં આવ્યા છે છતાં પરિણામ શૂન્ય રહ્યા છે. રાજ્યના ગૌચરના દબાણને લઈને તાજેતરમાં મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગ્રામ્ય કક્ષાએ થયેલા ગૌચર દબાણ અને લઈને વિગતો રજૂ કરવા પંચાયત વિભાગે આદેશ કરતા કામે લાગી ગયું છે. રાજ્યમાં કુલ 4,72,59,203 ચોરસ મીટર (4724.03 હે.આરે.પ્ર.) થવા જાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, ગો આયોગના ડો.વલ્લભ કથિરીયાના રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 1.75 કરોડ ચોરસમીટર ક્ષેત્રફળમાં દબાણ થવા પામ્યું છે, ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, કૌશિક પટેલ, અશોક ભટ્ટ, હરેન પંડ્યા, હરીન પાઠક, લાલકૃષ્ણ અડવાણી, નિતીન પટેલ(અમદાવાદમાં ઘર છે)ના અમદાવાદ શહેર અને જિલ્લામાં 1335972 ચોરસ મીટર ગૌચરના દબાણો છે.
અમદાવાદના ભાજપના કોર્પોરેટરે જગન્નાથ મંદિર પર શું કર્યું છે.
જમીન 174 સરવે નંબર અંગે જાણો શું થયું
2012ના ગામના નમુના 7 પ્રમાણે પીપળજની સરવે નંબર 174ની 3.71 હેક્ટર (73,130 ચોરસ મીટર) જમીન જુની શરતની હતી. જેનો આકાર રૂ.26.44 નક્કી કરાયો હતો. જેની માલિકી મહંત શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના મહંત અને ટ્રસ્ટી દિલીપદાસજી ગુરુ રામેશ્વરદાસજી તરીકે હતી.
આ સ્થળે બીજી જમીન 2.18 હેક્ટર, ત્રીજી જમીન 1.38 હેક્ટર હતી. જે કૂલ 7.28 હેક્ટર મળીને તમામ જમીન દિલીપ દાસના નામે કરી દેવામાં આવી હતી.
ખેતી લાયક જમીન પર મંદિરની ગાયોના ચારા માટે જુવાર ઉગાડવામાં આવતી હતી. 2018 પછી આ જમીન પર ખેતી થતી ન હોવાનું સરકારી દફતરે જણાવવામાં આવ્યું છે.
દિલીપ મહારાજના નામે જમીન કરાઈ
9 સપ્ટેમ્બર 2011માં મહામંડલેશ્વર રામેશ્વરદાસજીનું 25 માર્ચ 2011માં અવસાન થતાં જેમની જગ્યાએ 47 વર્ષની ઊંમરના મહામંડલેશ્વર મહંત દિલીપદાસજીનું નામ સરકારના હક્કપત્રકમાં દાખલ કરવામાં આવ્યું હતું.
જમીન વેંચી મારી
27 સપ્ટેમ્બર 2018માં 1.71 હે. જમીન વેંચી મારી હોવાનું સરકારી દફતરે એકાએક નોંધ આવી ગઈ હતી. 3 સરવે નંબરની કૂલ 7.28 હેક્ટર (72,844 ચો.મી.) જમીન વેંચાણ નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના મહંત અને ટ્રસ્ટી (24)ના નામે ચાલે છે. જે 27 સપ્ટેમ્બર 2018ના રોજ સીટી તાલુકાની કચેરીએ 3.71 હેક્ટર ખેતીની જમીન મળીને કૂલ 7.28 હેક્ટર જમીન રૂ.31.50 કરોડમાં રાજેન્દ્રકુમાર ભવાન ભરવાડને ખેતીની જમીન દિલીપ મહારાજની સહીથી વેંચી હતી. જેના મુકાબલ કરનાર તરીકે ચિરાગ ભરવાડનું નામ સરકારી દફતરે નોંધવામાં આવ્યું છે.
સરકારને નુકસાન
13 નવેમ્બર 2018માં કલેક્ટર વિક્રાંત પાંડેને ફરિયાદ કરવામાં આવી હતી કે, સરકારી તંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવામાં આવી હોવાની શંકા છે. તેથી આ જમીનના દસ્તાવેજ નંબર 2253-2018ની નોંધ રદ કરવા માંગણી કરવામાં આવી હતી.