ગુજરાતમાંથી ત્રણ રેલવે રાજ્ય મંત્રી બન્યા છે. જે તમામ ગુજરાતના હીત જાળવવા નિષ્ફળ રહ્યા છે. કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠક રેલવે (રાજ્ય) મંત્રી રહ્યા હતા. પછી કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા તેમજ ભરત સોલંકી રેલવે રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 30 વર્ષથી ગુજરાતનું કોઈ સાંભળતું નથી. 30 વરષમાં 10 વર્ષ તો ભાજપની સરકાર રહી છે.
મુંબઈ ખાતે પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેના વડા મથક આવેલા છે. તેથી અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવા અંગેની માંગણી 30 વર્ષથી થઈ રહી છે. કેન્દ્રમાં ગુજરાતના નપાણીયા રાજકારણીઓના કારણે ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે.