ગોલા ગામની ગો ગૌશાળામાં ચાર ગાયો મોત, પીવાનું પાણી ન હતું  

ધાનેરા તાલુકાના ગોલા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં ૫૦૦૦ જેટલી વસ્તી છે. પાણી માટેનો બોર 15 દિવસથી બંધ છે. સ્થાનિક સરપંચ તલાટીની નિષ્ક્રિયતાના લીધે ગ્રામજનો સહિત શાળાના બાળકો પાણી માટે નજીકના ખેતર સુધી પાણી ભરવા જવું પડે છે. પાણી ન મળતાં ગામની ગૌ શાળાની ગાયો તરસના કારણે મોતને ભેટી છે. ગૌ શાળામાં પીવાના પાણી માટેનો હવાડો પણ કોરો પડ્‌યો છે. ગૌ શાળામાં ચાર ગાયોના મરી ગઈ છે.