ઘોઘાથી બોર્ડિંગ માટે જતી એમ.ટી.વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા સમાધી

December 21, 2018
ઘોઘાથી બોર્ડિંગ માટે જતી એમ.ટી.વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા ટગે જળ સમાધી લીધી છે.જેમાં ચાર લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર,ઘોઘાથી અલંગ જઈ રહેલી આ ટગમાં અંદાજે ૧૪ જેટલા મુસાફરો સવાર હતા.આ ટગ કોનીકસ એજન્સીના માલિકની હોવાનુ જાણવા મળ્યુ છે.

બનાવને પગલે બચાવ કામગીરી માટે ઘોઘાથી બે ટગ રવાના કરવામા આવી છે.ટગમા બ્લાસ્ટ થવા પાછળનુ કારણ જાણવા મળી શકયુ નથી.ટગમાંથી બે લોકો બહાર નીકળી શકયા છે.જયારે અન્યોની શોધખોળ કરાઈ રહી છે.