છોટાઉદેપુર બેઠક પર ભાજપ સાંસદ રાઠવાનો વિરોધ, જૈન મુનિએ ટિકિટ માગી

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત ચૂંટણીની પહેલાં કરી દેવામાં આવી છે. તેની સામે ભાજપમાં આંતરિક યુદ્ધ શરૂ થયું છે. ભાજપના 2 વખતથી ચૂંટાતાં રામસિંહ રાઠવાએ આદિવાસી વિસ્તારમાં વિકાસના કોઈ કામ કર્યા નથી. પોતાનું માદરે વતન કવાંટ તાલુકાના પિપલદી ગામ વિકાસથી વંચિત છે. પીવાનું પાણી પણ અહીં મળતું નથી. તેઓ કોંગ્રેસમાથી પક્ષાંતર કરીને ભાજપમાં આવ્યા હોવાથી તેમનો કાયમ વિરોધ થતો આવ્યો છે.

વિરોધીઓ એવો આરોપ મૂકે છે કે સાંસદ રાઠવાને ટિકિટ આપવામાં આવશે તો તે હારશે એવું જિલ્લા પક્ષ પ્રમુખે પત્ર લખીને ગાંધીનગર ભાજપનું ધ્યાન દોર્યું છે. ટિકિટ મેળવવા માટે ભાજપના કેટલાંક નેતાઓ દિલ્હી દરબારમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીને મળીને પોતાનું લોબીંગ કરી રહ્યાં છે.

11 નેતાઓએ ઓમ માથુરને પત્ર લખી વિરોધ કર્યો

રામસિંહ રાઠવાએ જાહેરાત કરી છે કે તેઓ છોટાઉદેપુરથી ચૂંટણી લડશે. તેથી ભાજપના નેતાઓ ભડકી ગયા છે, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ જશુ રાઠવા, માજી ધારાસભ્ય જયંતી રાઠવા સહિતના 11 આગેવાનોએ ટિકિટ માટે દાવેદારી કરી છે. રામસિંહ સામે પક્ષના કાર્યકરોમાં જબરજસ્ત અસંતોષ છે. છોટાઉદેપુરના સાંસદ મળતા નથી એ અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જેથી જિલ્લા ભાજપ પ્રમુખ જશુ રાઠવા, માજી ધારાસભ્ય અને માજી સંસદીય સચિવ જયંતીભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકર રાઠવા તથા સંભવિત ઉમેદવારો રાઠવા ગની રાજેન્દ્ર વિજય મહારાજ, ઉર્મિલાબેન શશીકાંત વસાવા અને ભાજપના ગીતા વજુભાઇ રાઠવાએ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને પ્રભારી ઓમપ્રકાશ માથુર એમ બંનેને પત્ર લખી જણાવ્યું છે કે, સાંસદ રામસીંગ રાઠવા દ્વારા કોઇ નક્કર કામગીરી થઇ નથી અને પ્રજામાં ભારે નારાજગી છે. જો તેઓને પુનઃ ટીકીટ આપવામાં આવશે તો બેઠક ગુમાવવાનો વારો આવશે તેમ પત્રમાં જણાવાયું છે.

ટિકિટ અપાશે તો મુશ્કેલી

રામસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવે તો પણ અનેક પડકારો તેમનો પીછો કરશે તે નક્કી છે. ભાજપમાં આંતર કલહ વધતાં પક્ષમાં જ કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. તેથી જિલ્લા પંચાયતમાં 5 વખત ચૂંટાયેલા ગીતા રાઠવા અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રશ્મિ વસાવાના પત્ની ઉર્મિલા વસાવા માંથી કોઈ એકને ટિકિટ આપવામાં આવે એવું ગાંધીનગરથી વિચારવામાં આવી રહ્યું છે. કવાંટ તાલુકાના બળદ ગામના વતની જૈન મુની ગણીરાજ રાજેન્દ્ર વિજયજી મહારાજે પણ ટિકીટ માગી છે.

આદિવાસી માટે કંઈ ન કર્યું

છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે જ્યાં સોથી વધું રાઠવા જ્ઞાતિ છે. વસતા તમામ રાઠવા, રાઠવા કોળી અને કોળી સમાજના જે આદિવાસીઓ અત્યારે કોઈ પણ પદ ઉપર છે અથવા તો સરકારી અધિકારી કે કર્મચારી છે. એ લોકોના દાખલા ખોટા હોવાના બહાના કાઢીને હેરાનગતિ કરવામાં આવે છે. રાઠવા સમાજની માગ છે જે રેવન્યૂ રૅકર્ડ પર માત્ર રાઠવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે. પોતાની જાતિની માગ સાથે બંને પક્ષના ધારાસભ્યો અને સાંસદોએ ઠરાવ પસાર કર્યો હતો કે, માગણીનો જ્યાં સુધી અમલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષના જાહેર કાર્યક્રમોમાં અને રાજકીય પક્ષ સંબંધિત કોઈ પણ વસ્તુ જેવી કે બેનરો, ટોપી અને ખેસ લગાડીશું નહીં અને લગાડવા દેશું નહીં. 3 વિધાનસભાની બેઠકો પર રાઠવા સમાજના ધારાસભ્યો છે. રાઠવા સમાજ નાં લોકોને 73એએની એન્ટ્રી જમીનમાં ન હોય તો ઘણી મુશ્કેલી પડતી હોય છે. નીમિશા સુથાર પણ ઉમેદવારની રેસમાં છે. આ સાથે અન્ય બેઠકો પર પણ ચર્ચા કરવામાં આવી છે.

રેલવે નડશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેલવે પ્રોજેક્ટને લઇને પૂર્વ રેલવે રાજ્યપ્રધાન નારણ રાઠવા અને હાલના સાંસદ રામસિંહ રાઠવા આમને સામને આવી ગયા હતા. તણખલાથી કેવડીયા ફક્ત 18 કિમી છે અને ત્યાં રેલવેની પોતાની જગ્યા હોવાથી સંપાદનનો પણ કોઇ પ્રશ્ન નથી. સાવ ઓછા ખર્ચે કેવડીયા સુધી રેલ નાંખી શકાય તેમ છે. પરંતુ સરકારના નવા પ્રોજેક્ટને કારણે પ્રજાના પૈસા વેડફાઇ જશે. તેથી રામસિંહ રાઠવા સામે પ્રજાના પૈસા ખરાબ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે તેમને ચૂંટણીમાં નડશે. ટ્રેનમાં પ્રવાસ દરમિયાન નાસ્તામાં બગડી ગયેલ કાજુ બાદામનો નાસ્તો બગડેલો નિકળતાં રેલ્વેમંત્રી સુધી રજૂઆત કરતા સાંસદ સોશિયાલ મિડિયામાં મજાકનું રમકડું બની ગયા હતા.

10 વર્ષમાં ઉદ્યોગો ન આવ્યા

2 મુદતથી ભાજપના ઉમેદવાર રામસિંગ રાઠવા છે. અગાઉ પણ આ સાંસદ રાજ્યસભાના સભ્ય જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા હતા. 10 વર્ષના સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં કોઇ મોટા પ્રોજેકટ આવ્યા નથી. જેને કારણે જિલ્લામાં બેકારી છે. પ્રજા આ વાતથી ભારે નારાજ છે. 5 વર્ષથી જિલ્લો બન્યા પણ જીઆઇડીસી આવી નથી. ઉદ્યોગો આવ્યા નથી. અનેક બેકાર યુવાનો મજૂરી કરીને જીવે છે. દર વર્ષે દશ હજાર આદિવાસીઓ પાસે પાણીની પુરતી સગવડ ન હોય મજૂરી કરવા અર્થે બહાર હિજરત કરવી પડે છે. સરકારનો સ્ટાફ અહીં સૌથી ઓછો છે. દશ વર્ષથી એક શાળા કોલેજ નવી મળી નથી. શિક્ષકો કે પ્રોફેસરો નથી તેથી શિક્ષણ ખરાબ થયું છે.

વિધાનસભા અને પંચાયતમાં વિરોધ

વિધાનસભા ચૂંટણી થઈ તેમાં છોટાઉદેપૂર, પાવીજેતપૂર, પાદરા, નાંદોદ કોંગ્રેસ પાસે છે. આની સાથે જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન છે. આમ રામસિંહ રાઠવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પરથી કાબુ ગુમાવી બેઠા છે.

તેઓ 5 વખત ચૂંટણી લડેલા છે. હવે 6ઠ્ઠી વખત તેઓ ચૂંટણી લડશે. મૂળ કોંગ્રેસી રામસિંહ રાઠવા એ ભાજપમાં પક્ષાંતર કરેલું છે. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, વી.પી.સિંહ અને નરસિંહારાવના વડાપ્રધાનકાળ વેળા બે ટર્મ સુધી રાજ્યસભામાં રહ્યાં હતા.

રામસિંહ રાઠવા 1997-98માં ભાજપમાં જોડાયા હતા. 1998થી 2014 સુધી લોકસભામાં તેમની ઉમેદવારી રહે છે. પક્ષાંતરના કારણે 1998 અને 2004માં તેમનો પરાજ્ય થયો હતો. 1999 અને 2009માં જીત્યા હતા. 2004માં યોજાયેલા લોકસભા ચૂંટણીમાં રામસિંહને હરાવીને નારણ રાઠવા રેલવે રાજ્યમંત્રી બન્યાં હતાં.

મંદિર પ્રવેશ બંધી મોટો ફટકો પાડશે

જિલ્લાના નસવાડી પાસે પાલા ગામ ખાતે આવેલા ભગવાન વિશ્વનાથના મંદિરે ગુરૂપૂર્ણિમાના દિવસે મંદિરે દર્શન કરવા પોતાના સમર્થકો સાથે પહોંચેલા છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાને પ્રવેશ ન અપાતાં વીલા પરત ફરવું પડ્યું હતું. આવી કોઈ ઘટના બની ન હોવાનું તેઓ જૂઠું બોલ્યા હતા. પછી વિડિયો બહાર આવતાં તેમણે નીચા જોવું થયું હતું.

હવે ફરી બન્ને સામ સામે છે.

દિલ્હીની મંજૂરી

અહીં જે કંઈ કરવામાં આવી રહ્યું છે તે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સહમતીથી વિરોધ શરૂ કરીને મોહનસિંહની ટિકિટ કાપી કાઢવા કારસો રચાયો છે. કારણ કે અહીં કોંગ્રેસે અગાઉથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે.