જગન્નાથની રથયાત્રામાં મુસ્લિમ સમાજે ભાઈચારો વ્યક્ત કર્યો

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસ મહારાજને 142મી રથયાત્રા પ્રસંગે અમદાવાદના મુસ્લિમ સમૂદાઈના લોકો મળ્યા હતા. જેમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ, કોંગ્રેસના મહામંત્રી ઈકબાલ શેખ વગેરેએ ફૂલહાર પહેરાવી શાંતિના પ્રતિકરૂપે ચાંદીની સીદી શૈયદની જાળીની મુખાકૃતિ અર્પણ કરી ભાઈચારો વ્યક્ત કર્યો હતો.